મંદિરનો પૂજારી ચોક્કસ જાતિનો હોય તે જરૂરી નથીઃ કેરળ હાઈકોર્ટ

કેરળની હાઈકોર્ટે એક મહત્વનો ચૂકાદો આપતા જણાવ્યું છે કે, મંદિરના પૂજારીઓ કોઈ ચોક્કસ જાતિ કે વંશના હોવું ફરજિયાત ધાર્મિક પ્રથા નથી.
Kerala High Court

કેરળ હાઈકોર્ટે બ્રાહ્મણોની મંદિરો પરની સદીઓ જૂની વગર અનામતની અનામત પ્રથાને ફગાવી દેતો એક મહત્વનો ચૂકાદો આપ્યો છે. કેરળ હાઈકોર્ટે સંતીઓ (મંદિરના પૂજારીઓ) ની નિમણૂક પરંપરાગત પ્રથા અનુસાર હોવી જોઈએ અને કાયદા દ્વારા નિયંત્રિત કરી શકાય નહીં તે બંને દલિલોને ફગાવી દીધી હતી. હાઈકોર્ટે જણાવ્યું હતું કે મંદિરોમાં નિમણૂક માટે પાત્ર બનવા માટે કોઈ વ્યક્તિ ચોક્કસ જાતિ કે વંશનો હોવો જરૂરી નથી.

કેરળ હાઈકોર્ટે બુધવાર તા, 22 ઓક્ટોબર 2025ના રોજ ચૂકાદો આપ્યો હતો કે મંદિરોમાં નિમણૂક માટે પૂજારી ચોક્કસ જાતિ કે વંશના હોવો જોઈએ તેવી કોઈ ફરજિયાત ધાર્મિક પ્રથા નથી.

લાઈવ લો રિપોર્ટ મુજબ, જસ્ટિસ રાજા વિજય રાઘવન અને કે.વી. જયકુમારની બેંચે અખિલ કેરળ તંત્રી સમાજ (AKTS) ની એ દલીલ ફગાવી દીધી હતી કે, મંદિરના પૂજારીઓની નિમણૂક પરંપરાગત પ્રથા અનુસાર હોવી જોઈએ અને કાયદા દ્વારા તેને નબળી પાડી શકાતી નથી.

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિ.એ જાહેરાત-ઈન્ટરવ્યૂ વિના સગાઓને આસિ. પ્રોફેસર બનાવ્યા

ત્યારબાદ હાઇકોર્ટે AKTS દ્વારા દાખલ કરાયેલી રિટ અરજીને ફગાવી દીધી, જેમાં ત્રાવણકોર દેવાસ્વમ બોર્ડ (TDB) અને કેરળ દેવાસ્વમ ભરતી બોર્ડ (KDRB) દ્વારા “તંત્ર વિદ્યાલય” નામની સંસ્થાઓને આપવામાં આવેલી માન્યતા અને મંજૂરીને પડકારવામાં આવી હતી.

કોર્ટે જણાવ્યું હતું કે, “આવા સંજોગોમાં, નિમણૂક માટે લાયક બનવા માટે કોઈ વ્યક્તિ ચોક્કસ જાતિ અથવા વંશની હોવી જોઈએ તેવો આગ્રહ રાખવો અમારા મતે કોઈપણ આવશ્યક ધાર્મિક પ્રથા, ધાર્મિક વિધિ અથવા પૂજા પદ્ધતિનો ભાગ નથી. હાલના કિસ્સામાં, આવા દાવાને ન્યાયી ઠેરવવા માટે કોઈ તથ્યપૂર્ણ અથવા કાનૂની આધાર સ્થાપિત કરવામાં આવ્યો નથી. આ તર્ક ભારતીય બંધારણની કલમ 25 અને 26 હેઠળ અરજદારોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે તેથી તે દલીલ અસ્વીકાર્ય છે.”

અગાઉ, બ્રાહ્મણો દ્વારા AKTS દ્વારા દાખલ કરાયેલી અરજીમાં KDRB દ્વારા વિવિધ મંદિરોમાં પાર્ટ-ટાઇમ સંથી (પૂજારી) તરીકે નિમણૂક માટે તંત્ર વિદ્યાપીઠોમાંથી મેળવેલા પ્રમાણપત્રોને લાયકાત તરીકે માન્યતા આપતી સૂચનાઓને પડકારવામાં આવી હતી.

AKTS એ જણાવ્યું હતું કે પરંપરાગત તંત્રી સમાજ સહિત હિતધારકો સાથે યોગ્ય પરામર્શ કર્યા વિના નિયમો ઘડવામાં આવ્યા હતા. અરજીમાં જણાવાયું હતું કે આના પરિણામે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે ઘણા લોકોને ફક્ત એટલા માટે પૂજારી તરીકે નિયુક્ત થવાથી અન્યાયપૂર્ણ રીતે માત્ર એટલા માટે વંચિત રાખવામાં આવ્યા કારણ કે તેઓ પ્રમાણપત્ર આપતી નવી સંસ્થાઓ સાથે જોડાયેલા નથી.

રાજ્ય, જે પ્રતિવાદીઓમાંનું એક છે, તેણે જવાબ આપ્યો કે સંથીનું વારસાગત પ્રમાણપત્ર બંધારણના મૂળભૂત માળખાના લોકશાહી પાસાને નબળું પાડે છે, કારણ કે તે પુજારીપદને ફક્ત થોડા લોકો સુધી મર્યાદિત કરે છે.

TDB એ કોર્ટમાં દલીલ કરી હતી કે AKTS ને કોઈ કાનૂની નુકસાન થયું નથી અને તે જાહેર હિતની અરજીને ખાનગી હિતની અરજી તરીકે રજૂ કરી રહી છે.

આ પણ વાંચો: કહેવાતી ‘સંસ્કારી નગરી’એ જ્યારે ડો.આંબેડકરને ચોધાર આંસુએ રડાવ્યા..

કોર્ટમાં દાખલ કરાયેલા પ્રતિ-સોગંદનામામાં, KDBR એ જણાવ્યું હતું કે સંથી શિક્ષણ આપતી માન્ય સંસ્થાઓની યાદીને વિસ્તૃત કરવાનો નિર્ણય ત્યારે લેવામાં આવ્યો, જ્યારે તેણે જોયું કે આવા અભ્યાસક્રમોનું સંચાલન કરવા માટે એકીકૃત સિસ્ટમના અભાવને કારણે હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમાજોનું પ્રતિનિધિત્વ ઓછું હતું.

લાઈવ લો રિપોર્ટ અનુસાર, કોર્ટે કહ્યું, “અરજદારો અમારી સમક્ષ એ સાબિત કરી શક્યા નથી કે નિયમ બનાવતી સત્તા પાસે કોઈ કાયદાકીય ક્ષમતાનો અભાવ છે અથવા જે કાયદા હેઠળ નિયમો બનાવવામાં આવ્યા હતા તેનું પાલન કરવામાં કોઈ નિષ્ફળતા રહી છે. અમે પહેલાથી જ એવું માન્યું છે કે આ નિયમો બંધારણના અનુચ્છેદ 25 અને 26 હેઠળ બાંયધરીકૃત અધિકારોનું ઉલ્લંઘન કરે છે તે દાવો માન્ય નથી.”

આ પણ વાંચો: રેશનાલિસ્ટ લંકેશ ચક્રવર્તીનું ‘પલ્લી પરિવર્તન અભિયાન’ શું છે?

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x