ભાજપ ફરી એકવાર આંબેડકરના મુદ્દા પર ફસાઈ ગયો છે. આમ આદમી પાર્ટીએ પૂછ્યું છે કે શું પીએમ મોદી બાબાસાહેબ આંબેડકર કરતા મોટા છે? દિલ્હીના મુખ્યમંત્રી કાર્યાલયમાંથી ડૉ. આંબેડકર અને ભગતસિંહના ચિત્રો હટાવી દેવાયા બાદ AAPએ તેને મુદ્દો બનાવ્યો છે. બાબાસાહેબની જગ્યાએ મહાત્મા ગાંધી, પીએમ મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ચિત્રો લગાવવામાં આવ્યા છે. AAP એ ભાજપ પર દલિત અને શીખ વિરોધી હોવાનો આરોપ પણ લગાવ્યો છે.
ભાજપ સત્તામાં આવતાની સાથે જ સોમવારે દિલ્હી વિધાનસભાના પહેલા સત્રમાં ભારે હોબાળો થયો. આતિશીએ AAP ધારાસભ્યોના વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું. આતિશીએ શાસક ભાજપ પર દલિત અને શીખ વિરોધી હોવાનો આરોપ લગાવ્યો. આતિશીએ કહ્યું, ‘આજે ભારતીય જનતા પાર્ટીએ દેશને પોતાનો દલિત અને શીખ વિરોધી ચહેરો બતાવી દીધો છે. સત્તામાં આવ્યા પછી તરત જ તેમણે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર અને ભગતસિંહના ફોટા હટાવી દીધા છે. શું ભાજપ એવું માને છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ડૉ. બાબાસાહેબ આંબેડકર અને ભગતસિંહ કરતાં મહાન છે?
क्या BJP को लगता है कि नरेंद्र मोदी, बाबा साहब भीमराव अंबेडकर जी से बड़े हैं? जो आपने बाबा साहब की फोटो हटाकर नरेंद्र मोदी की फोटो लगा दी‼️@AtishiAAP pic.twitter.com/ATU4TsGxbn
— AAP (@AamAadmiParty) February 25, 2025
આતિશીએ X પર બે ફોટા પણ પોસ્ટ કર્યા. એકમાં ડૉ. બી.આર. આંબેડકર અને ભગતસિંહના ફોટા છે, જ્યારે તે મુખ્યમંત્રી હતી, અને બીજામાં ભાજપના શાસન દરમિયાન મહાત્મા ગાંધી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચિત્રો છે. દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને AAPના વડા અરવિંદ કેજરીવાલે ભાજપ પર બાબાસાહેબના લાખો ચાહકોની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, ‘દિલ્હીમાં નવી ભાજપ સરકારે બાબાસાહેબનો ફોટો હટાવીને તેની જગ્યાએ વડા પ્રધાન મોદીનો ફોટો લગાવી દીધો.’ આ બરાબર નથી. આનાથી બાબાસાહેબના લાખો અનુયાયીઓની લાગણીઓને ઠેસ પહોંચી છે. હું ભાજપને વિનંતી કરું છું કે તેઓ પ્રધાનમંત્રીનો ફોટો લગાવવો હોય તો લગાવો પણ કૃપા કરીને બાબાસાહેબનો ફોટો ન હટાવો. તેમના ફોટાને ત્યાં જ રહેવા દો’
નવા ચૂંટાયેલા વિધાનસભા અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાએ AAP પર આરોપ લગાવ્યો કે તેમણે ગૃહને ખોરવવાનું નક્કી કરી લીધું છે. હોબાળા વચ્ચે તેમણે ગૃહની કાર્યવાહી 15 મિનિટ માટે સ્થગિત કરી દીધી. વિજેન્દ્ર ગુપ્તાએ કહ્યું, ‘તે એક સૌજન્ય સંબોધન હતું. તમારે તેને રાજકીય મંચ નહોતું બનાવવું જોઈતું. વિપક્ષ ઈચ્છતો નથી કે ગૃહ શાંતિથી ચાલે. તમે ગૃહમાં ખલેલ પહોંચાડવાના ઈરાદાથી આવ્યા છો. ગૃહની ગરિમા જાળવી રાખો.”
दिल्ली की नई बीजेपी सरकार ने बाबा साहेब की फोटो हटाकर प्रधान मंत्री मोदी जी की फोटो लगा दी। ये सही नहीं है। इस से बाबा साहेब के करोड़ो अनुयायियों को ठेस पहुँची है।
मेरी बीजेपी से प्रार्थना है। आप प्रधान मंत्री जी की फोटो लगा लीजिए लेकिन बाबा साहिब की फोटो तो मत हटाइए। उनकी फोटो… https://t.co/k9A2HKFECV
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 24, 2025
આતિશીએ બાદમાં આ મામલે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે ભાજપ પર બાબા સાહેબ અને ભગતસિંહનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, ‘બાબા સાહેબ આંબેડકરે આ દેશને બંધારણ આપીને દલિત અને પછાત સમાજને પ્રગતિ કરવાની તક આપી અને શહીદ-એ-આઝમ ભગતસિંહે દેશની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું. મુખ્યમંત્રી કાર્યાલયમાંથી આ બે મહાનુભાવોના ચિત્રો હટાવીને ભાજપે તેમનું અપમાન કર્યું છે અને AAP આનો વિરોધ રસ્તાઓથી લઈને ગૃહ સુધી કરશે.’
આ મામલે પોતાના મંત્રીઓ અને ભાજપના ધારાસભ્યો સાથે બેઠક કરી રહેલા દિલ્હીના સીએમ રેખા ગુપ્તાએ કહ્યું કે AAP ના આવા દાવાઓ તેમના ભ્રષ્ટાચાર અને દુષ્કૃત્યોને છુપાવવા માટેની એક યુક્તિ છે.
તેમણે ANI ને કહ્યું, ‘શું સરકારના વડાનો ફોટો ન લગાવવો જોઈએ?’ શું દેશના રાષ્ટ્રપતિનો ફોટો ન લગાવવો જોઈએ? શું રાષ્ટ્રપિતા ગાંધીજીનું ચિત્ર ન લગાવવું જોઈએ? ભગતસિંહ અને બાબા સાહેબ દેશના આદરણીય વ્યક્તિઓ અને અમારા માર્ગદર્શક છે. આ રૂમ દિલ્હીના મુખ્યમંત્રીનો છે અને સરકારના વડા હોવાને કારણે અમે વડાપ્રધાનના ફોટાને અહીં જગ્યા આપી છે. તેમને જવાબ આપવાનું મારું કામ નથી. હું લોકો પ્રત્યે જવાબદેહ છું.’
ભાજપના ધારાસભ્ય અરવિંદર સિંહ લવલીએ કહ્યું છે કે આમ આદમી પાર્ટીના લોકો CAG રિપોર્ટથી ડરી ગયા છે અને તેથી તેઓ હોબાળો મચાવવા માંગે છે.
આપે ગાંધીજીનો ફોટો હટાવ્યો ત્યારે વિવાદ થયો હતો
અહીં એ પણ યાદ રાખવું જોઈએ કે, અરવિંદ કેજરીવાલ પણ તેમના કાર્યકાળ દરમિયાન ફોટો બદલવા ને લઈને વિવાદમાં આવ્યા હતા. દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે દિલ્હી સરકારના કાર્યાલયોમાં નેતાઓ કે મુખ્યમંત્રીના ફોટા લગાવવામાં આવશે નહીં. તેમણે રાજ્ય સરકારના તમામ કાર્યાલયોમાં બાબા સાહેબ આંબેડકર અને ભગતસિંહના ફોટા લગાવવા પણ કહ્યું હતું.
दिल्ली की मुख्यमंत्री श्रीमती @gupta_rekha एवं सभी मंत्रियों के कक्ष में श्रद्धेय महात्मा गांधी जी, बाबा साहेब भीमराव अंबेडकर जी, भगत सिंह जी, महामहिम राष्ट्रपति जी एवं प्रधानमंत्री जी के चित्र सुशोभित हैं। pic.twitter.com/zx6puyqr1w
— BJP Delhi (@BJP4Delhi) February 24, 2025
કેજરીવાલના આ નિર્ણયનો ઘણો વિરોધ થયો હતો કારણ કે તે સમયે ગાંધીજીનો ફોટો હટાવી દેવામાં આવ્યો હતો. વિરોધ પક્ષોએ તેને મુદ્દો બનાવ્યો હતો. કોંગ્રેસના નેતા અશોક ગેહલોતે કહ્યું હતું કે, ‘અરવિંદ કેજરીવાલની હિંમત તો જુઓ, તેમણે ઓફિસોમાંથી મહાત્મા ગાંધીનો ફોટો હટાવવાનો નિર્ણય લીધો.’ ગેહલોતે કહ્યું હતું કે કેજરીવાલ પોતાને રાષ્ટ્રીય સ્તરના નેતા માને છે પરંતુ ગાંધીજીને અપનાવવામાં તેમને ખચકાટ થાય છે.
હકીકત શું છે?
આ આખા ઘટનાક્રમમાં હકીકત એ છે કે, દિલ્હી સીએમઓમાં અગાઉ જે મુખ્યમંત્રીની ખુરશીની બરાબર પાછળના ભાગમાં ડો.આંબેડકર અને ભગતસિંહની તસવીરો લગાવાઈ હતી. પરંતુ હવે તેને હટાવી દેવાઈ છે અને તેને સાઈટ દિવાલમાં ધકેલી દેવાઈ છે. હવે સીએમની ખુરશીની પાછળ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, રાષ્ટ્રપિતા ગાંધીજી અને પીએમ મોદીનો ફોટો લગાવી દેવાયો છે. દિલ્હી ભાજપ ભલે ઈનકાર કરે પરંતુ ડો.આંબેડકર અને ભગતસિંહના ફોટા પહેલા કેન્દ્રીય સ્થાને હતા, તેને હટાવીને હવે પીએમ મોદી સહિતના ત્રણ ફોટા ગોઠવી દેવાયા છે. બસ આટલા પરિવર્તનમાં સત્તા પક્ષની આખી વિચારધારા અને પ્રાથમિકતા આવી જાય છે.
જે મનુવાદી બ્રાહ્મણવાદી રાજનીતિ કરે છે તેઓને પરમ પૂજ્ય બાબા સાહેબ ડો.ભીમરામ આમ્બેડકર જીના
ઈમાનદાર અને ચારિત્ર્યવાન મહાન વ્યક્તિત્વનો મોટો ડર
પેદા થયો છે, કે જો બાબા સાહેબને દેશ દુનિયામાં ઉજાગર કરવામાં આવશે તો સામ્પ્રદાયિક બીજેપી રાજનીતિનો “સત્યાનાશ” થઈ જશે એવી મનઘડંત વાતો થી પીડાય રહી છે! એટલે બાબા સાહેબ આંબેડકરથી
રાજકીય અંતર રાખવું નરેન્દ્ર મોદી એન્ડ કંપનીને વધુ સરળ લાગે છે…! ધન્યવાદ સાધુવાદ જયભીમ!
ભાજપની મુળ વિચારધારા આર એસ એસ ની છે એટલે તેઓ ક્યારેય ડૉ. બાબાસાહેબ ના ફોટાને કે તેમના વિચારો ને કે તેમના અનુયાયીઓ ને સાખી લેતાં નથી તેઓ ડૉ. બાબાસાહેબ અને તેમની વિચારધારા ને ભયંકર નફરત કરે છે અને તેઓ સત્તામાં પણ ખાનગીમાં ઓબીસી સમાજના માણસોને ઉધા ચશ્મા પહેરાવીને જ આવ્યા છે જયારે ઓબીસી સમાજના માણસોને સત્ય સમજાશે ત્યારે આપોઆપ તેમના થી વિમુખ થઈ જશે