બે બૌદ્ધ દેશો એક શિવ મંદિર માટે કેમ લોહી વહેવડાવી રહ્યાં છે?

Thailand and Cambodia fighting: બે બૌદ્ધ દેશો થાઈલેન્ડ અને કંબોડિયા હાલ એક શિવ મંદિર માટે કેમ યુદ્ધે ચડ્યાં છે.
Thailand and Cambodia fighting

Thailand and Cambodia fighting: 8 ડિસેમ્બરના રોજ, દક્ષિણ એશિયાના બે બૌદ્ધ દેશો કંબોડિયા(Cambodia) અને થાઈલેન્ડ(Thailand) વચ્ચે સરહદ વિવાદ(border dispute) મુદ્દે હવાઈ હુમલો થયો હોવાના સમાચાર આવ્યા હતા. તમે ઘણીવાર બે દેશો વચ્ચે સરહદ વિસ્તાર, પોતાની તાકાત દર્શાવવા અથવા લશ્કરી કારણોસર યુદ્ધ(Fighting) થયું જોયું હશે અથવા સાંભળ્યું હશે. જોકે, કંબોડિયા અને થાઈલેન્ડ વચ્ચેનો આ વિવાદ લશ્કરી તાકાત વિશે નથી, પરંતુ એક મંદિરને લઈને છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે કંબોડિયા અને થાઈલેન્ડની 90 ટકા વસ્તી થેરવાદ બૌદ્ધ ધર્મનું પાલન કરે છે, અને બંને દેશો એક મંદિર માટે લડી રહ્યા છે.

આશ્ચર્ય એ વાતનું પણ થાય કે, એ મંદિર ભગવાન બુદ્ધનું નથી, પરંતુ હિન્દુ દેવતા મહાદેવનું છે. પરંતુ પ્રશ્ન એ છે કે: બે બૌદ્ધ દેશો હિન્દુ મંદિર માટે કેમ લડાઈ પર ઉતરી આવ્યા છે? આ વિવાદ આટલો હિંસક કેમ બન્યો છે? ચાલો લગભગ 400 વર્ષ જૂના સરહદ વિવાદ વિશે જાણીએ, જેના કારણે થાઈલેન્ડ અને કંબોડિયા, જે એક સમયે નજીકના મિત્રો હતા, તેમની વચ્ચે વિવાદ થયો છે અને બંને દેશોને દુશ્મન બનાવી દીધા છે.

આ પણ વાંચો: કેવી રીતે મનુવાદીઓએ Buddha અને તેમના વિચારોનું બ્રાહ્મણીકરણ કર્યું?

શિવ મંદિરનો ઇતિહાસ શું છે?

કંબોડિયા અને થાઇલેન્ડ પડોશી દેશો છે, જે પૂર્વમાં લાઓસથી થાઇલેન્ડના અખાત સુધી ફેલાયેલી આશરે 817 કિલોમીટરની સરહદ ધરાવે છે. જોકે સમગ્ર સરહદ વિભાજિત છે, શિવને સમર્પિત એક પ્રાચીન મંદિર, જે સ્થાનિક રીતે પ્રીહ વિહિયર તરીકે ઓળખાય છે, તેણે બંને દેશો વચ્ચે આ 800 કિલોમીટરના પટ્ટા પર વિવાદ ઉભો કર્યો છે.

Thailand and Cambodia fighting

પ્રીહ વિહિયર મંદિર 1100 વર્ષ પહેલાં બંને દેશોના વતની સિયામી અને ખમેર જનજાતિઓ દ્વારા બનાવવામાં આવ્યું હતું, જેઓ આ સરહદ પર રહેતા હતા. આ તે સમય હતો જ્યારે બંને દેશોમાં બૌદ્ધ ધર્મ નહીં, પરંતુ હિન્દુ ધર્મ પ્રચલિત હતો, અને કંબોડિયા અને થાઇલેન્ડ વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધ હતો. આ મંદિરમાં, બંને જાતિઓએ સંયુક્ત રીતે એક શિવલિંગ સ્થાપિત કર્યું, જેને થાઇ ભાષામાં ફ્રા વિહાન તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ પણ વાંચો: મહેસાણામાં 14 લોકોએ હિંદુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવ્યો

વિવાદ કેવી રીતે શરૂ થયો

15મી સદી સુધી, બંને દેશો વચ્ચે બધું બરાબર હતું. બંને દેશોમાં બૌદ્ધ ધર્મનો વિકાસ થઈ રહ્યો હતો, છતાં બૌદ્ધ રાજાઓ અને પ્રજાએ પ્રીહ વિહિયર મંદિરને નુકસાન પહોંચાડ્યું ન હતું. જો કે, 15મી સદી પછી, બધું બદલાવા લાગ્યું. થાઇલેન્ડમાં અયુત્થ્યા એક મજબૂત સામ્રાજ્ય બન્યું, જ્યારે કંબોડિયામાં ખમેર રાજાની સ્થિતિ નબળી પડી. 16મી સદીના અંતમાં અયુત્થ્યાના રાજા નરેસુસાને ખમેરની રાજધાની અંગકોર પર હુમલો કર્યો અને ખમેર રાજાનું શિરચ્છેદ કર્યું.

રાજા વિના, વિયેતનામ અને થાઇલેન્ડ જેવા મજબૂત રાષ્ટ્રોની સામે કંબોડિયા એક નબળો દેશ બની ગયો. ત્યારથી લઈને 19મી સદીમાં અંગ્રેજોએ શાસન શરૂ કર્યું ત્યાં સુધી, કંબોડિયા થાઇલેન્ડની દયા પર હતું. યુરોપિયન સંસ્થાનવાદે 19મી સદીમાં કંબોડિયાને ફ્રેન્ચ ઇન્ડોચાઇનાનો ભાગ જાહેર કરીને તેનો નકશો બનાવ્યો. 1904માં, જ્યારે યુરોપિયનોએ કંબોડિયાનો નકશો પાસ કર્યો, ત્યારે પ્રીહ વિહિયર મંદિરને કંબોડિયાનો ભાગ દર્શાવવામાં આવ્યું. જોકે, થાઇલેન્ડે આ નકશાને સ્વીકારવાનો ઇનકાર કર્યો અને મંદિરના વિસ્તારને પોતાનો પ્રદેશ જાહેર કર્યો, ત્યારથી મંદિર અંગે કંબોડિયા અને થાઇલેન્ડ વચ્ચે સરહદ વિવાદ ચાલુ છે.

1962માં પહેલી વાર મામલો વૈશ્વિક સ્તરે સામે આવ્યો

વાસ્તવમાં, સરહદ વિવાદ અંગે, પ્રીહ વિહિયર મંદિરની આસપાસની સરહદના ભાગને પોતાનો ગણાવીને કંબોડિયા 1962માં પહેલી વાર આ મામલાને આંતરરાષ્ટ્રીય અદાલતમાં લઈ ગયું. યુરોપિયન પુરાવાઓના આધારે, આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત (ICJ) એ મંદિર વિસ્તારને સત્તાવાર રીતે કંબોડિયન પ્રદેશ જાહેર કર્યો. જોકે, થાઇલેન્ડે આ નિર્ણય સ્વીકારવાનો ઇનકાર કર્યો, દલીલ કરી કે મંદિરની આસપાસની આશરે 4.6 કિલોમીટર જમીન હજુ પણ દાવા વગરની અને અનિશ્ચિત રહી છે,  તે કોના ભાગમાં છે તેનો નિર્ણય નથી થયો તો મંદિર કંબોડિયન પ્રદેશ કેવી રીતે હોઈ શકે? એ રીતે આ વિવાદ આગળ પણ ચાલુ રહ્યો.

આ પણ વાંચો: ગોધરામાં બગી સાથે નીકળેલી ધમ્મ ચારિકાએ આકર્ષણ જમાવ્યું

વર્ષ 2008માં, કંબોડિયાની વિનંતી પર, આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતે યુનેસ્કોને પ્રીહ વિહિયર મંદિરને વર્લ્ડ હેરિટેજ સૂચિમાં સામેલ કરવાનો નિર્દેશ આપ્યો અને તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવવામાં આવ્યું. એ રીતે તેને કંબોડિયાનો ભાગ જાહેર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેનાથી થાઇલેન્ડ ગુસ્સે થયું.

2025માં અનેક લશ્કરી હુમલાઓ થયા

8 ડિસેમ્બરે થાઇલેન્ડ દ્વારા કરવામાં આવેલો હુમલો વાસ્તવમાં કંબોડિયા સામે બદલો લેવાની કાર્યવાહી હતી. અહેવાલો અનુસાર, થાઈ લશ્કરી અધિકારી મેજર જનરલ વિન્થાઈ સુવારીએ જણાવ્યું હતું કે કંબોડિયા દ્વારા તેમના પર સતત હુમલો કરવામાં આવી રહ્યો હતો. આ હુમલામાં તેમનો એક સૈનિક શહીદ થયો હતો, જેના કારણે થાઈલેન્ડે જવાબી કાર્યવાહી કરી હતી. જુલાઈની શરૂઆતમાં, મંદિરને લઈને બંને દેશો વચ્ચે 5 દિવસ સુધી વિવાદ થયો હતો અને યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી.

આ કારણે, સરહદ પર રહેતા લોકો ત્યાંથી હિજરત કરી ગયા હતા. જોકે ઓક્ટોબરથી યુદ્ધવિરામ હતો, પરંતુ આ હુમલાઓ ફરીથી તીવ્ર બન્યા છે. હવે બધાનું ધ્યાન વૈશ્વિક સ્તરે કંબોડિયા અને થાઈલેન્ડ વચ્ચે મંદિરને લઈને ચાલી રહેલા વિવાદ પર કેન્દ્રિત છે. આવી સ્થિતિમાં, આ વિવાદમાં કોઈ નિર્ણય લેવામાં આવશે કે કેમ તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો: શું બાબરી મસ્જિદ નીચે એક સમયે બૌદ્ધ મંદિર હતું?

5 4 votes
Article Rating
Subscribe
Notify of
guest
4 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
કનુભાઈ વી રોહિત
કનુભાઈ વી રોહિત
1 month ago

જે દેશમાં બૌદ્ધ ધર્મ ચાલતો હોય ત્યાં હિંદુઓનું મંદિર છે એ તમે કયા આધાર પુરાવાઓથી કહો છો?

Sandip Parmar
Sandip Parmar
1 month ago

પ્રીહ વિહિયર એ “વિહાર” છે.

Pravin Boddha
Pravin Boddha
1 month ago

કઈ ખબર ના હોય અને કોઈ મંદિર ને શિવ લિંગ અને શિવ મંદિર બનાવી દો છો લોકો ને મૂર્ખ બનાવવા નું છોડી દો બોદ્ધ વિહાર ને શિવ મંદિર બનાવી દો છો પહેલા તપાસ કરો પછી પોસ્ટ કરો

Sandip Parmar
Sandip Parmar
1 month ago

https://youtu.be/cz1CoAytbp8?si=22g6AxZAWl7bL-Zz

આ વીડિયોમાં કંબોડિયા ના રાજાની વાત કરવામાં આવી છે. વધુ માહિતી વીડિયોમાંથી મળી રહેશે 🙏

CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
4
0
Would love your thoughts, please comment.x
()
x