ઓડિશાની એક શાળામાં શિક્ષકે એક વિદ્યાર્થીને 300 ઉઠક-બેઠક કરાવતા તેનું મોત થઈ ગયું. આ કેસની સુનાવણી કરતી વખતે હાઇકોર્ટે શિક્ષકને મૃતકના પરિવારને 1 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. જોકે, કોર્ટે કહ્યું કે શિસ્ત જાળવવાના હેતુથી વિદ્યાર્થીને આપવામાં આવતી શારીરિક સજાને જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન એક્ટ 2015 હેઠળ ગુનો ગણી શકાય નહીં. આ કિસ્સો સુંદરગઢ જિલ્લાના બોનાઈગઢમાં આવેલી આરડીડી હાઈસ્કૂલનો છે. નવેમ્બર 2019 માં, NCC ઇન્ચાર્જ શિક્ષક રમેશ ચંદ્ર સેઠીએ વિદ્યાર્થીને 300 ઉઠક-બેઠક કરાવી હતી જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ અનેક પ્રશ્નો ઉભા થયા હતા.
આ પણ વાંચોઃ દલિત વિદ્યાર્થીને ‘મુર્ગા’ બનાવી શિક્ષક ઉપર બેસી જતા વિદ્યાર્થીનો પગ ભાંગી ગયો
જસ્ટિસ શિબો શંકર મિશ્રાની સિંગલ બેન્ચે જણાવ્યું હતું કે આ વળતર ભૂલનો સ્વીકાર નથી પરંતુ શોકગ્રસ્ત પરિવારને રાહત આપવાનો પ્રયાસ છે. કોર્ટે કહ્યું, ‘એક યુવાએ પોતાનો જીવ ગુમાવ્યો. આ નુકસાનની ભરપાઈ કોઈ પણ રીતે થઈ શકશે નહીં. આ કિસ્સામાં તબીબી અહેવાલ શિક્ષકના સીધા દોષને નકારી કાઢે છે. સરકારી શાળાઓ અને છાત્રાલયોમાં રહેતા વિદ્યાર્થીઓને યોગ્ય તબીબી સહાય અને સલામત વાતાવરણ મળે તે જોવાની રાજ્યની ફરજ છે. વિશ્વભરના આધુનિક દેશોએ સ્વીકાર્યું છે કે બાળકના અસ્તિત્વનું મૂલ્ય તેના મૃત્યુ પછી મળતા વળતરના આર્થિક મૂલ્ય કરતાં અનેકગણું વધારે છે. માતા-પિતાને આપવામાં આવતી રકમ તેમને મૃત બાળકના પ્રેમ, સમર્પણ, સંભાળ અને નુકસાનના વળતર તરીકે આપવામાં આવે છે.
#BigNews 🚨 Odisha HC Asks Teacher To Pay ₹1 Lakh Fine To Family Of Student Who Died After Doing 300 Sit-Ups As Punishment.#OdishaHighCourt #punishment pic.twitter.com/dqDZcZyKLM
— Uday India Magazine (@udayindiaNews) March 15, 2025
શિક્ષક વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી રદ
આ કેસમાં ઓરિસ્સા હાઈકોર્ટે શિક્ષક રમેશ ચંદ્ર સેઠી વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી રદ કરી છે. તેમાં વિદ્યાર્થીને શારીરિક સજા આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. અગાઉ, 4 માર્ચ, 2025 ના રોજ ન્યાયાધીશ શિબો શંકર મિશ્રાના ચુકાદામાં ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ 482 હેઠળની અરજી પર વિચારણા કરવામાં આવી હતી. આમાં, બોનાઈના સબ-ડિવિઝનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના આદેશને રદ કરવાની માંગ કરવામાં આવી હતી. મેજિસ્ટ્રેટે જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન એક્ટ, 2015 ની કલમ 82 હેઠળ ગુનાની નોંધ લીધી હતી. શિસ્તને ધ્યાનમાં રાખીને શિક્ષક સેઠીએ વિદ્યાર્થીને 300 ઉઠક-બેઠક કરવાનું કહ્યું હતું. એ પછી તરત જ વિદ્યાર્થીએ બેચેનીની ફરિયાદ કરી હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, પ્રાથમિક સારવાર બાદ 2 નવેમ્બર 2019 ના રોજ એમકેસીજી મેડિકલ કોલેજમાં તેનું મોત થયું હતું. જો કે, આ કેસમાં હાઈકોર્ટના જજે વિદ્યાર્થીના મોત બદલ શિક્ષકને દોષી ઠેરવવાને બદલે તેને નિર્દોષ છોડી મૂકતા ન્યાય મામલે અનેક સવાલો ઉભા થયા છે.
આ પણ વાંચોઃ 8 સવર્ણ શિક્ષકોએ મળી દલિત વિદ્યાર્થીના બંને હાથ ભાંગી નાખ્યા
મૌત ની સજા નિર્દોષ કેવી રીતે હોય શકે?