આદિવાસી સગીરાને કામના બહાને ઘરે બોલાવી બળાત્કાર ગુજાર્યો

Adivasi news: આદિવાસી સગીરાને કામના બહાને ઘરે બોલાવી ત્રણ યુવકોએ બળાત્કાર ગુજાર્યો. ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યાનો આક્ષેપ.
Adivasi minor girl Gangrape

Adivasi news: ભારતમાં સૌથી વધુ આદિવાસી સમાજની વસ્તી મધ્યપ્રદેશમાં છે અને ત્યાં જ આદિવાસીઓ પર સૌથી વધુ અત્યાચારની ઘટનાઓ સામે આવે છે. આવી જ એક ઘટનામાં એક સગીર આદિવાસી દીકરી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

ઘટના અલીરાજપુર જિલ્લાના જોબટ(jobat) ગામની છે. અહીં 17 વર્ષની એક આદિવાસી(Adivasi minor) છોકરીને ત્રણ યુવકોએ કામના બહાને એક ઘરમાં લઈ જઈને બળાત્કાર(gangrape) ગુજાર્યો. ફરિયાદ બાદ પોલીસે ત્રણ આરોપીઓ – અહેમદ શેખ, અમજદ અને ઇમરાન યાકુબ વિરુદ્ધ SC/ST એક્ટ, POCSO એક્ટ અને ધર્મ સ્વતંત્રતા કાયદાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. હાલ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક ફરાર છે.

આ ઘટના રવિવારે બપોરે બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, અહેમદ શેખ, અમજદ અને ઇમરાન કામ માટે જોબટ આવેલી એક આદિવાસી કિશોરીને કામના બહાને વોર્ડ 11 માં ગુરુનાનક માર્ગ પર અહેમદના ઘરે લઈ ગયા હતા. પીડિતાનો આરોપ છે કે ઘરે પહોંચ્યા પછી, આરોપીએ તેના પર ધર્મ પરિવર્તન કરવા અને તેમની સાથે લગ્ન કરવા દબાણ કર્યું હતું. તેમણે સગીરાને કહ્યું કે જો તે ધર્મ પરિવર્તન કરશે, તો તેણીને કામ કરવાની જરૂર નહીં રહે.

આ પણ વાંચો: તોફાની તત્વોએ આદિવાસી યોદ્ધા ટંટ્યા મામાની પ્રતિમા તોડી નાખી

પીડિતાના જણાવ્યા મુજબ, જ્યારે તેણીએ પ્રતિકાર કર્યો, ત્યારે આરોપીએ તેના પર હુમલો કર્યો, અને પછી ઇમરાને તેના પર બળાત્કાર કર્યો. અવાજ સાંભળીને આસપાસના લોકો ભેગા થયા અને તેને છોડાવી. પીડિતાએ જોબટ પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી, અહેમદ શેખ અને ઇમરાનની ધરપકડ કરી છે. ત્રીજો આરોપી અમજદ ફરાર છે અને તેની શોધ ચાલી રહી છે.

સામાજિક સંગઠનોમાં રોષ, લોકોએ હોબાળો મચાવ્યો

ઘટના બાદ, આદિવાસી સમાજ અને અન્ય સામાજિક સંગઠનો રોષે ભરાયા છે. જનજાતિ વિકાસ મંચના જિલ્લા પ્રમુખ રાજેશ દુડવેએ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. તેમણે કહ્યું કે આદિવાસી સમાજ તેમની બહેનો અને પુત્રીઓ સામે આવા કૃત્યો સહન કરશે નહીં.

સોમવારે, સામાજિક કાર્યકર નિતેશ અલાવા, ભીલ સેના સંગઠનના વડા શંકર બામણિયા અને જયાસ રાજ્ય પ્રભારી મુકેશ રાવત સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ રવિન્દ્ર સિંહ રાઠી સાથે મુલાકાત કરી કડક કાર્યવાહીની માંગ કરી.

આ પણ વાંચો: આદિવાસી મહિલા ખાતર માટે બે દિવસ લાઇનમાં ઉભી રહેતા મોત

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x