26 લોકોની હત્યા કરનારા આતંકવાદીઓના ફોટા જાહેર

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સુરક્ષા એજન્સીઓએ શંકાસ્પદ આતંકવાદીઓના ફોટોગ્રાફ્સ અને સ્કેચ જાહેર કર્યા છે.
Photos of terrorists

જમ્મુ અને કાશ્મીર(Jammu Kashmir) ના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા(Pahalgam Terrorist Attack) એ આખી દુનિયાને હચમચાવી દીધી છે. મંગળવારે બપોરે પહેલગામની બૈસરણ ખીણમાં 4 થી 6 આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 26 લોકોના મોત થયાના અહેવાલ છે. સુરક્ષા એજન્સીઓએ આ હુમલા પાછળના શંકાસ્પદ આતંકવાદીઓના ફોટોગ્રાફ્સ અને સ્કેચ જાહેર કર્યા છે.

આમાંથી ત્રણ આતંકવાદીઓની ઓળખ આસિફ ફુજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા તરીકે થઈ છે. આ ઉપરાંત એક આતંકવાદીનું નામ આદિલ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

sketches Photos of terrorists

ઈન્ડિયન એક્સપ્રેસે સૂત્રોને ટાંકીને એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે બૈસરણ ખીણ પહોંચ્યા પછી, આતંકવાદીઓએ પહેલા બંદૂકના નાળચે પ્રવાસીઓને બંધક બનાવ્યા હતા. પછી બધી સ્ત્રીઓ અને બાળકોને દૂર રહેવાનું કહેવામાં આવ્યું. ઓળખ પૂછ્યા પછી તેમણે નજીકથી ગોળીબાર કર્યો. બાદમાં તેમણે અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે આતંકવાદીઓ M4 કાર્બાઇન એસોલ્ટ રાઇફલ્સ અને AK-47 થી સતત ફાયરિંગ કરી રહ્યા હતા. તેમાંથી બે પશ્તો ભાષામાં વાત કરી રહ્યા હતા. તેઓ પાકિસ્તાની આતંકવાદી હોવાની શંકા છે. બે આતંકવાદીઓ સ્થાનિક છે, જેમના નામ આદિલ અને આસિફ હોવાનું કહેવાય છે. તે બંને બિજબેહરા અને ત્રાલ વિસ્તારના રહેવાસી છે.

હાથમાં હથિયાર સાથે એક આતંકવાદીની તસવીર પણ સામે આવી છે. જોકે, તેમાં તેનો ચહેરો દેખાતો નથી. તે જ સમયે, સુરક્ષા એજન્સીઓએ ત્રણ આતંકવાદીઓના સ્કેચ પણ જાહેર કર્યા છે.

આ પણ વાંચો:  ફાતિમા શેખને ‘કાલ્પનિક’ કહેનાર પ્રો. દિલીપ મંડલની જબરી ધુલાઈ થઈ?

sketches Photos of terrorists

ઈન્ડિયા ટુડે ટીવીના સૂત્રો અનુસાર, જે આતંકવાદીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે તેમની ઓળખ આસિફ ફુજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા તરીકે થઈ છે. આ હુમલાખોરો પ્રતિબંધિત આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબા (LeT) ની શાખા, ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટના સભ્યો છે.

પહેલગામમાં પ્રવાસીઓ પર હુમલો કર્યા પછી, તેઓ જંગલ તરફ ભાગી ગયા હતા. ગુપ્તચર એજન્સીઓએ લશ્કરના ટોચના કમાન્ડર સૈફુલ્લાહ કસુરી ઉર્ફે ખાલિદને આ હત્યાકાંડના માસ્ટરમાઇન્ડ તરીકે ઓળખી કાઢ્યો છે.

sketches Photos of terrorists

સુરક્ષા દળોએ આતંકવાદીઓની શોધમાં મોટાપાયે કાર્યવાહી શરૂ કરી છે. જંગલનો લાભ લઈને ભાગી રહેલા આતંકવાદીઓને પકડવા માટે હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે. અહેવાલ છે કે આતંકવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા શસ્ત્રો અને સંદેશાવ્યવહાર ઉપકરણો દર્શાવે છે કે તેમને બહારથી મદદ મળી હતી. હુમલાખોરો પુરી તૈયારી કરીને આવ્યા હતા અને તેમણે સૂકા મેવા અને દવાઓનો સ્ટોક કરીને રાખ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે આતંકવાદીઓએ સ્થાનિક લોકોની મદદથી પહેલગામની રેકી પણ કરી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં 71.4 % દલિતો સાથે જાહેર પાણીના નળે આભડછેટ પળાય છે
5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે પહેલગામ જેવા આતંકવાદી હુમલા રોકવા માટેની સૌથી વધુ જવાબદારી કોની છે?
0
Would love your thoughts, please comment.x
()
x