ભાજપના નેતાએ દલિત પરિવારની જમીન પર રાતોરાત ઘર બનાવી દીધું

ભાજપના નેતાએ દલિત પરિવારની કરોડોની કિંમતની જમીન પર કબ્જો જમાવીને રાતોરાત ત્યાં ઘર બનાવવાનું શરૂ કરી દીધું હતું. પોલીસ ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી નહીં.
dalit news

જાતિવાદનો ગઢ ગણાતા યુપીમાં દલિતોની જમીન પર જાતિવાદી તત્વો દ્વારા કબ્જો જમાવવાનો સિલસિલો યથાવત છે. અહીંના પ્રયાગરાજના કરછણા વિસ્તારમાં એક દલિત પરિવારની જમીન પર જાતિવાદી તત્વોએ ગેરકાયદેસર કબજો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ચોંકાવનારી વાત એ છે કે, જમીન પર કબ્જો કરનારા લોકો ભાજપના સ્થાનિક નેતાઓ છે. તેમણે કથિત રીતે બરદહા ગામના બુદ્ધિમાન કોટાર્યના કૈથી ગામમાં આવેલી કરોડો રૂપિયાની જમીન પર કબજો કર્યો હતો.

શુક્રવારે સવારે 3 વાગ્યે, ભાજપના નેતાઓએ ગુપ્ત રીતે જમીન પર બાંધકામ ઉભું કરી દીધું હતું. આજે સવારે જ્યારે પરિવારને આ વાતની જાણ થઈ, ત્યારે તેમણે 112 પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. પરંતુ પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી કરવાને બદલે પીડિત પરિવારના રાકેશ અને દિનેશને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા હતા.

આ પણ વાંચો: ‘તમે દલિત છો? નીચે ઉતરી જાવ’ કહી BJP MLAએ સરપંચનું અપમાન કર્યું

પીડિત દલિત પરિવારે જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી તેમની જમીન પર સતત અતિક્રમણના પ્રયાસો થઈ રહ્યા હતા. તેમણે કરછણા પોલીસ અને તાલુકાના વહીવટીતંત્રને ઘણી વખત ફરિયાદ કરી હતી. પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈ અનૂપ સરોજ કહે છે કે તેમને આ બાબત અંગે કોઈ માહિતી નથી. સ્થાનિક લોકોનો આરોપ છે કે કરચણા પોલીસ અને તહસીલ વહીવટીતંત્રની ઉદાસીનતાને કારણે આ વિસ્તારમાં ગેરકાયદેસર અતિક્રમણની ઘટનાઓ વધી રહી છે.

આ પણ વાંચો: કોરોનાનો મૃત્યુ આંક છુપાવવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x