ઈદ પહેલા ભાજપે ‘સૌગત-એ-મોદી’ અભિયાન શરૂ કર્યું છે. ઈદના અવસરે આ અભિયાનનો લાભ 32 લાખ જરૂરિયાતમંદ લોકોને મળશે તેવી ધારણા છે. આ અભિયાન અંતર્ગત ‘સૌગત-એ-મોદી’ કીટ દ્વારા જરૂરિયાતમંદ લોકોને આવશ્યક વસ્તુઓ પૂરી પાડવામાં આવશે.
સમાચાર એજન્સી ANI અનુસાર, ભાજપ લઘુમતી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જમાલ સિદ્દીકીએ પાર્ટીના લઘુમતી મોરચાની વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન આ ઝુંબેશની જાહેરાત કરી હતી. આ બેઠકમાં મોરચાના રાષ્ટ્રીય પદાધિકારીઓ, પ્રદેશ પ્રભારી, પ્રદેશ પ્રમુખ અને જિલ્લા પ્રમુખ હાજર રહ્યા હતા. ભાજપ લઘુમતી મોરચાના 32,000 અધિકારીઓ 32,000 મસ્જિદો સાથે જોડાશે અને 32 લાખ જરૂરિયાતમંદ લોકોને ઓળખી કાઢી તેમને મદદ પૂરી પાડશે. આ કીટમાં તેમને જોઈતી વસ્તુઓ હશે.
આ પણ વાંચો: વર્ષ 2024માં લઘુમતીઓ વિરુદ્ધ હેટ સ્પીચમાં ૭૪ ટકાનો ઉછાળો નોંધાયો
સિદ્દીકીએ કહ્યું કે, “રમઝાનના પવિત્ર મહિનામાં ગરીબ અને નબળી આર્થિક સ્થિતિ ધરાવતા પડોશીઓ અને સંબંધીઓને મદદ કરવી જોઈએ. ઈદ ઉપરાંત ગુડ ફ્રાઈડે, ઈસ્ટર, નવરોઝ અને ભારતીય નવા વર્ષમાં પણ આવું કરવામાં આવશે. ‘સૌગાત-એ-મોદી’ કીટનું વિતરણ કરીને સાંપ્રદાયિક સૌહાર્દને પ્રોત્સાહન આપવામાં આવશે.”
સિદ્દીકીએ કહ્યું કે “મોદી સરકાર સબકા સાથ, સબકા વિકાસની નીતિને અનુસરે છે. આ નીતિથી મુસ્લિમોને સૌથી વધુ ફાયદો થયો છે. દેશના ઘણા મુસ્લિમો ગરીબોની શ્રેણીમાં આવે છે, તેથી આ સમાજને મોદી સરકારના ગરીબો સંબંધિત તમામ અભિયાનોનો લાભ મળ્યો છે.”
‘સૌગાત-એ-મોદી’ કીટમાં શું હશે?
મીડિયા રિપોર્ટ મુજબ, કીટમાં સૌગાત એ મોદી કીટમાં કપડાંની સાથે સેવૈયા, ખજૂર, સૂકામેવા અને ખાંડ જેવી ખાદ્ય ચીજો હશે. આ કીટમાં મહિલાઓ માટે સૂટનું કાપડ અને પુરુષો માટે કુર્તા-પાયજામા હશે. આ કીટની કિંમત લગભગ 500 થી 600 રૂપિયા હશે.
અગાઉ, લોકસભા ચૂંટણી દરમિયાન, મુસ્લિમો મતોમાં પગપેસારો કરવા માટે ભાજપ દ્વારા ‘મોદી મિત્ર’ નામનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. પાર્ટીએ મુસ્લિમ વિસ્તારો અને બેઠકો પર આ ઝુંબેશ ચલાવી હતી. જોકે, રમઝાન દરમિયાન ભાજપ દ્વારા કીટ વિતરણ અભિયાનનો પ્રારંભ આ પ્રકારનો પ્રથમ પ્રયાસ છે. એક બાજુ ભાજપના મોટા નેતાઓ દ્વારા સતત મુસ્લિમો વિરોધી પ્રવૃત્તિઓને ખૂલ્લેઆમ ઉત્તેજન આપવામાં આવે છે, બીજી તરફ પીએમની છબિ ચમકાવવા માટે ભાજપ દ્વારા સૌગાત-એ-મોદી જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે. જો કે, ભાજપના આ અભિયાનથી મુસ્લિમ સમાજ તેનાથી કેટલો પ્રભાવિત થશે તે સમય કહેશે.
આ પણ વાંચો: Chamar Studio: જ્ઞાતિના થપ્પાને જ બ્રાન્ડ બનાવી દીધી!
*દેશમાં બીજેપી સરકાર 82 કરોડ લોકોને પાંચ(5) કિલો રાશન જેવી યોજનાઓ અને ભેટસોગાદો આપીને સત્તા માં ટકી રહેવા માટે બિનકાર્યક્ષમ નુસખા અપનાવે તે કેટલે અંશે સફળ રાજનીતિ છે? ધન્યવાદ…!