બ્રાહ્મણોએ ક્લાસરૂમમાં ઘૂસી દલિત વિદ્યાર્થીઓને માર માર્યો!

Dalit News: જાતિવાદી તત્વોએ સ્કૂલના ક્લાસરૂમમાં ઘૂસી સગીર દલિત વિદ્યાર્થીઓને જાતિસૂચક અપશબ્દો કહી માર માર્યો!
dalit news

Dalit News: હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં શિક્ષણ જગતને શરમજનક સ્થિતિમાં મૂકતો એક કિસ્સો સામે આવ્યો છે. જાતિવાદી ગુંડાઓએ ગોહર સ્થિત પીએમશ્રી સિનિયર સેકન્ડરી સ્કૂલમાં ઘૂસીને અનુસૂચિત જાતિ (SC) ના વિદ્યાર્થીઓને નિર્દયતાથી માર માર્યો હતો. આરોપીઓએ શાળાના પરિસરમાં સગીર વિદ્યાર્થીઓ સાથે જાતિસૂચક અપશબ્દો કહીને તેમને મારી નાખવાની ધમકી આપી. આ ઘટના બાદ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો ગભરાઈ ગયા છે. આજે પરિવારોએ પોલીસમાં ફરિયાદ નોંધાવીને આરોપીઓ સામે SC/ST એક્ટ હેઠળ કેસ દાખલ કરવાની વિનંતી કરી છે. પીડિતોએ ન્યાય અને રક્ષણ માટે SDM ને અપીલ કરી છે.

લુખ્ખા તત્વોને સ્કૂલમાં બોલાવી હુમલો કર્યો

ફરિયાદ મુજબ, સમગ્ર ઘટના 30 ડિસેમ્બર, 2025 ના રોજ બની હતી. ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓ ઇશાંત ભારતી, તિશાલ, ઇશા અને ધીરજ કુમાર શાળામાં હાજર હતા. એવો આરોપ છે કે અન્ય એક વિદ્યાર્થી ઇશાંત શર્માએ તેના દાદા બુદ્ધિ સિંહ શર્મા અને પરિવારના અન્ય સભ્યોને શાળામાં બોલાવ્યા હતા. ત્યારબાદ સુનીલ કુમાર શર્મા, નરેન્દ્ર કુમાર શર્મા અને સમીર કુમાર શર્માએ શાળાના પરિસરમાં બળજબરીથી પ્રવેશ કર્યો અને અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો.

આ પણ વાંચો: Bhima Koregaon Battle – જ્યારે મુઠ્ઠીભર મહાર યોદ્ધાઓએ પેશ્વાની વિશાળ સેનાને પરાસ્ત કરેલી

બ્રાહ્મણ શખ્સોએ જાતિસૂચક અપશબ્દો કહ્યા

પીડિત વિદ્યાર્થીઓના માતા-પિતાએ ગોહરના SDM ને આપેલી ફરિયાદમાં ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે જણાવ્યું છે કે આરોપીઓ કથિત ઉચ્ચ જાતિ (બ્રાહ્મણ સમાજ) ના છે. તેમણે ગુંડાગીરી દર્શાવી અને અનુસૂચિત જાતિના બાળકોનું અપમાન કર્યું છે. હુમલા દરમિયાન જાતિવાદી અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ શાળાના સ્ટાફની હાજરીમાં બન્યું હતું, જેનાથી કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે.

આ કલમો હેઠળ FIR નોંધાઈ

ઘટના પછી તરત જ, શાળા તંત્રે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. એ પછી પોલીસે કાર્યવાહી કરતા આરોપીઓ બુદ્ધિ સિંહ, નરેન્દ્ર કુમાર, સમીર કુમાર, સુનીલ કુમાર અને વિદ્યાર્થી ઇશાંત શર્મા સામે કેસ નોંધ્યો છે.

‘બાળકો ડરી ગયા છે, તેમને રક્ષણની જરૂર છે’

પીડિતના માતા-પિતા અમરી દેવી, કિશોરી લાલ, હરિ સિંહ અને રાકેશ કુમારે વહીવટીતંત્રને જણાવ્યું હતું કે તેઓ ગરીબ પરિવારોમાંથી આવે છે. આરોપીઓ પ્રભાવશાળી છે. તેમણે બાળકોને વધુ હેરાન કરવાની ધમકી આપી છે. માતા-પિતાએ માંગ કરી છે કે આરોપીઓ સામે SC/ST એક્ટની કલમ 3(1)(r) અને 3(1)(u) હેઠળ કેસ નોંધવામાં આવે અને તેમને શાળામાં પ્રવેશતા અટકાવવામાં આવે અને તેમની ધરપકડ કરવામાં આવે. તેમણે માંગ કરી છે કે SDM બાળકોના શિક્ષણ અને સલામતી સુનિશ્ચિત કરવા માટે આ મામલાની નિષ્પક્ષ તપાસ કરે.

આ પણ વાંચો: ‘ટીચર કહે છે તમે નીચી જાતિના છો, તમે લોકો અહીંના બેસો!’

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x