મનુસ્મૃતિના પાયા પર ઉભેલા હિંદુ ધર્મના વિવિધ સંપ્રદાયના કથાકારો ભારતના બંધારણને કઈ હદે નફરત કરે છે, તેના વિશે કેવા નિમ્ન સ્તરના વિચારો ધરાવે છે તેમાં નવેસરથી કશું સાબિત કરવાની જરૂર નથી. અગાઉ અનેકવાર હિંદુ ધર્મના અલગ અલગ સંપ્રદાયના કથાકારો યેનકેન પ્રકારે દેશના બંધારણ અને તેના ઘડવૈયાઓનું અપમાન કરી ચૂક્યા છે. ત્યારે તેનું તાજું ઉદાહરણ સુરતના ઈસ્કોન સાથે જોડાયેલા ચંદ્ર ગોવિંદ દાસ ઉર્ફે ચેતન પટેલનું સામે આવ્યું છે.
ચંદ્ર ગોવિંદ દાસનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તે ભારતના બંધારણના ઘડવૈયાઓને મૂર્ખ ગણાવીને તેમનું ઘોર અપમાન કરે છે. 14મી એપ્રિલના બે દિવસ પહેલા જ આ કથાકાર અને વક્તાનો બંધારણ વિરોધી ભાષણ આપતો વીડિયો વાયરલ થતા ગુજરાતના બહુજન સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. અનેક બહુજન સંગઠનોના આગેવાનો, અધ્યક્ષોએ આ વીડિયોને લઈને પ્રતિક્રિયા આપી છે અને બંધારણ વિરોધી ચંદ્ગ ગોવિંદ દાસ સામે દેશદ્રોહ સહિતના ગુનાઓ સાથે ફરિયાદ દાખલ કરવાની હિમાયત કરી છે. જો કે ચંદ્ર ગોવિંદ દાસના વીડિયોને લઈને ખબરઅંતર.ઈન કોઈ પુષ્ટિ કરતું નથી. સાથે જ તે વીડિયો ક્યારનો છે તેને લઈને પણ કોઈ માહિતી મળતી નથી.
વાયરલ વીડિયોમાં ચંદ્ર ગોવિંદદાસ શું બફાટ કરે છે?
વાયરલ થયેલા વીડિયોમાં ચંદ્ર ગોવિંદ દાસ વ્યાસપીઠ પર બેસીને બોલતો જણાય છે કે, “જે તે લોકો સરકાર અને સંવિધાનના આશ્રય ઉપર બેઠાં છે. આ લોકો આપણને સુખી કરશે? કોઈ દિ ન થઈ શકે. કાયદો શું કરી લેશે તે મને કહો? તમારો-દીકરો-દીકરી, 20 વર્ષ તમે એનું પાલન-પોષણ કર્યું છે. પણ એ જાતે ક્યાંક વિવાહ કરી લે તો તમે કંઈ ન કરી શકો. કાયદો બનાવવાળી સરકાર કેટલી મૂર્ખ હશે? આ બંધારણ જેમણે બનાવ્યું છે તે કેટલા મૂર્ખ વ્યક્તિઓ હશે, અવ્વલ નંબરના? અને લોકો કહે છે સંવિધાનને ફોલો કરો. આ સંવિધાને દેશને વ્યભિચારમાં ધકેલી દીધો છે. સંવિધાન ધર્મના આધાર ઉપર હોવું જોઈએ.”
ચંદ્ર ગોવિંદ સામે બહુજનોમાં રોષ
ચંદ્ર ગોવિંદ દાસનો આ વીડિયો વાયરલ થયા બાદ બહુજન સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. અનેક બહુજન કાર્યકરોએ વીડિયો અને પોસ્ટ લખીને ચંદ્ર ગોવિંદ દાસ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. રાજકોટના રમેશભાઈ મુછડિયા નામના વ્યક્તિએ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મૂકીને પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, બંધારણના ઘડવૈયાઓ સામે ચંદ્ર ગોવિંદ દાસની કોઈ હેસિયત નથી. છતાં તેણે જે બફાટ કર્યો છે તો તેને કહેવું જોઈએ કે, અમેરિકાની વિશ્વવિખ્યાત કોલંબિયા યુનિ.એ પોતાના ઈતિહાસના સૌથી શ્રેષ્ઠ વિદ્યાર્થી માન્યા છે તે ડો.આંબેડકરે આ દેશનું બંધારણ ઘડ્યું છે. મૂર્ખ બંધારણ ઘડનારા નહીં પરંતુ તું છે. રમેશ મુછડિયાએ ચંદ્ર ગોવિંદ દાસ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે બહુજન સમાજના લોકોને આગળ આવવા વિનંતી કરી છે.
આ પણ વાંચો: ઠાકુર મહિલા નકલી SC સર્ટિફિકેટ પર ચૂંટણી જીતી મંત્રી બની ગઈ?
બીજી તરફ યુવા ભીમ સેનાના ડી.ડી. સોલંકીએ પણ આ મામલે વીડિયો બનાવી ચંદ્ર ગોવિંદ દાસની આકરી ઝાટકણી કાઢી છે. તેમણે ચંદ્ર ગોવિંદદાસ પર દેશદ્રોહ સહિતની કલમો સાથે ફરિયાદ નોંધવા માટે આહ્વાન કર્યું છે અને સરકારે બંધારણના ઘડવૈયાઓનું અપમાન કરવા બદલ ચંદ્ર ગોવિંદ દાસને જેલમાં ધકેલી દેવા માટે વિનંતી કરી છે.
કોણ છે ચંદ્ર ગોવિંદદાસ?
ચંદ્ર ગોવિંદ દાસની યુટ્યુબ ચેનલ પર આપેલી માહીતી મુજબ તેનું અસલી નામ ચેતન પટેલ છે અને તે હાલ સુરત ઈસ્કોન મંદિરમાં સેવા આપી રહ્યો છે. 12 જૂન 1989ના રોજ બોટાદના પીપળ ગામમાં વૈષ્ણવ પરિવારમાં તેનો જન્મ થયો હતો. એ પછી તેનો પરિવાર સુરત શિફ્ટ થયો હતો.
બાળપણથી જ તેણે શ્રીમદ્ ભાગવત, ભગવદ ગીતાનો અભ્યાસ કર્યો હોવાનું અને “હરે કૃષ્ણ મહામંત્ર”નો જાપ કરી કૃષ્ણ ભાવનામૃતનો અભ્યાસ કર્યો હોવાનું કહેવાય છે. હાલ તે ઇસ્કોન શ્રી શ્રી રાધા દામોદર મંદિર સુરતમાં સેવા અને ઉપદેશ આપી રહ્યો છે. હાલ તેનો બંધારણ અને તેના ઘડવૈયાઓનું અપમાન કરતો આ વીડિયો વાયરલ થયા બાદ તેણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું છે. અનેક બહુજન કાર્યકરોએ તેના મોબાઈલ નંબર પર સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે ફોન ઉપાડતો ન હોવાનું કહેવાય છે. જોવાનું એ રહેશે કે, છાશવારે બંધારણની દુહાઈઓ દેતા રાજકીય પક્ષો આ મામલે શું સ્ટેન્ડ લે છે.
આ પણ વાંચો: ઈડરમાં ડો.આંબેડકર વિશે અભદ્ર કોમેન્ટ કરનાર ઈસમ સામે ફરિયાદ
Aa salla harami ki paidash ke uper jald he FIR dakhil karo
*કથા કરો તમારાં રોટલા સેકો! સુનિતા વિલિયમ્સને
સંવિધાન અને આધુનિક વિજ્ઞાન વિષે સમજવાની કોશિશ કરશો, ત્યારે આવા ધાર્મિક ધૂતારાઓને ભાગવું પડશે એમાં કોઈ શક નથી. જયભીમ! ધન્યવાદ!
Tara bap pase samvidhan lakhavavatu