હવે સરકારી બાબુઓ અરજદારોને કલાકો સુધી બેસાડી નહીં શકે

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના નિર્ણય મુજબ સરકારી કચેરીમાં કામ અર્થે ગયેલા અરજદારોને હવે એક કલાકથી વધુ રાહ નહીં જોવી પડે.
gujarat govt

સરકારી કચેરીઓમાં કામ લઈને ગયેલા અરજદારોને ‘સાહેબ મિટિંગમાં છે’ એવું હવે સાંભળવું નહીં પડે તેવો એક નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. આ અંગે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક પરિપત્ર પ્રસિદ્ધ કરીને સૂચના આપી છે કે, સરકારી અધિકારીઓની મિટિંગ હવે એક કલાકથી વધુ નહીં ચાલે. એટલે કે, અરજદારોએ સરકારી અધિકારીઓની મુલાકાત માટે હવે કલાકો સુધી બેસવું નહીં પડે.

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક પરિપત્ર પાસિદ્ધ કરીને સૂચના આપી છે કે, સરકારી અધિકારીઓ હવેથી મિટિંગ માટે 1 કલાકથી વધારે સમય વેડફી શકશે નહીં. એટલું જ નહીં, મિટિંગ શરૂ થવાની હોય તેના પાંચ મિનિટ અગાઉ તમામ અધિકારીઓએ હાજર થઈ જવું પડશે. જ્યારે બહારગામના અધિકારીઓને વર્ચ્યુઅલી રીતે જોડાવવાની સૂચના અપાઈ છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી સમય અને નાણાંની બચત સાથે હવે વહીવટમાં ઝડપ આવશે.

આ પણ વાંચો: વકીલ હોવા છતાં ડૉ.આંબેડકર ભગતસિંહનો કેસ કેમ નહોતા લડ્યા?

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વહીવટી સુધારણા પંચ દ્વારા સરકારને વહીવટમાં ગતિ લાવવા માટે જે ભલામણો કરાઇ હતી. તેમાં વહેલી કચેરીઓ શરૂ કરવા ઉપરાંત એક મુદ્દો આ પણ હતો. જેના અંતર્ગત હવે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ પરિપત્ર પ્રસિદ્ધ કરીને સૂચના આપી છે કે, કલાકો સુધી અને ક્યારેક તો આખો દિવસ માત્ર મિટિંગો ચાલતી રહેતી હોવાથી સેંકડો અરજદારોના કામ અટકી પડતાં હતા. જેના કારણે વિવિધ વિભાગોમાં ફાઈલોના ઢગલા થઈ જતાં હોવાનું ચિત્ર જોવા મળતું હતું. જેના કારણે અનેક કામો અટકીને પડતાં હતા અને આવા પ્રકારના વિલંબને ટાળવા માટે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ પરિપત્ર પ્રસિદ્ધ કરીને અધિકારીઓને માત્ર એક કલાકમાં જ મિટિંગ આટોપી લેવા માટેની સૂચના અપાઈ છે.

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના આ પરિપત્ર બાદ હવે અરજદારોએ પોતાના કામ માટે સરકારી અધિકારીની કલાકો સુધી રાહ જોઈને બેસી રહેવું નહીં પડે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. જો કે સરકારી બાબુઓ તંત્રના આવા અનેક પરિપત્રોને ઘોળીને પી ગયા હોવાથી આ પરિપત્રથી બાબુઓ સુધરી જાય તે બાબતે નાગરિકોના મનમાં શંકા છે. સરકારી બાબુઓની આવી મિટિંગો લાંબી ચાલતી હોવાથી નાસ્તા-પાણી પાછળ પણ ખૂબ મોટો ખર્ચ સરકારી ચોપડે ઉધારાતો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં રૂ. સવા બે કરોડથી વધુનો ખર્ચ આવી મિટિંગોમાં અને મુલાકાતીઓના નાસ્તા પાણી માટે થયો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ એક પરિપત્રથી કેટલો ફરક પડશે તે જોવું રહ્યું.

આ પણ વાંચો: કડીની SC અનામત બેઠક પર ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટયો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું ગુજરાત કોંગ્રેસ અને તેના સવર્ણ નેતાઓ દલિતો સાથે ભેદભાવ રાખે છે?
0
Would love your thoughts, please comment.x
()
x