‘અહીં ગાયો કાપો છો?’ કહી દલિતો પર હિંદુ સંગઠનોનો હુમલો

Dalit News: દલિત વેપારીઓ પર ગૌહત્યાનો આરોપ મૂકી હિંદુ સંગઠનોએ હુમલો કર્યો. હુમલાખોરોએ મહિલાઓ સાથે અભદ્ર વર્તન કર્યું.
Dalit news

Dalit News: કેન્દ્રમાં ભાજપની સરકાર બન્યા બાદ સતત દલિતો પર હુમલાની ઘટનાઓ વધતી જઈ રહી છે. આવી જ એક ઘટના યુપીના મેરઠમાં બની છે. અહીં દલિત વેપારીઓ પર હિંદુત્વવાદી સંગઠનોએ ગૌહત્યાનો આરોપ મૂકીને હુમલો કર્યો હતો. આરોપીઓએ દલિત વેપારીઓને માર મારી તોડફોડ કરી હતી. એટલું જ નહીં, દલિત મહિલાઓ સાથે અભદ્ર વર્તન કર્યું હતું.

દલિત વેપારીઓ પર રાત્રે હુમલો કર્યો

ઘટના ૨૮ નવેમ્બરની રાત્રે બની હતી. હિન્દુ સંગઠનોના સભ્યોએ મેરઠના શોભાપુર ગામમાં ચર્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા દલિત સમાજના વેપારીઓ પર હુમલો કર્યો હતો. ગુંડા તત્વોએ દલિત વેપારીઓ પર ગૌહત્યાનો આરોપ મૂક્યો હતો અને તેમને માર મારીને તોડફોડ કરી હતી. દલિત વેપારીઓનો આરોપ છે કે પોલીસની હાજરીમાં પણ તેમને માર મારવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: જૂનાગઢના ચોકી ગામે દલિતોએ સામૂહિક હિજરતની ચીમકી ઉચ્ચારી

આરોપીઓએ મહિલાઓ સાથે અભદ્ર વર્તન કર્યું

મંગળવારે, દલિત સમાજના લોકો એસએસપી ઓફિસે પહોંચ્યા હતા અને આરોપ લગાવ્યો કે કેટલાક હિન્દુ સંગઠનો સાથે સંકળાયેલા લોકોએ તેમના વિસ્તારમાં ઘૂસીને તોડફોડ કરી કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. આરોપીઓએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી અને મહિલાઓ સાથે દુર્વ્યવહાર પણ કર્યો.

આ પણ વાંચો:

હુમલો છતાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરી

દલિત વેપારીઓના જણાવ્યા અનુસાર, તેઓ ત્યારથી કાંકરખેડા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી રહ્યા છે, પરંતુ પોલીસ કોઈ કાર્યવાહી કરી રહી નથી. તેમણે જણાવ્યું કે ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવી હતી, પરંતુ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને કોઈ કાર્યવાહી કર્યા વિના પાછી ફરી ગઈ. લેખિત ફરિયાદ છતાં ન તો કેસ નોંધવામાં આવ્યો કે ન તો કોઈ આરોપીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ‘મોદી સરકારમાં સૌથી વધુ ગૌમાંસ એક્સપોર્ટ થાય છે’ – ઇન્દ્રનીલ રાજ્યગુરુ

ચામડું પકવવાની મંજૂરી મળી હોવા છતાં હુમલો કર્યો

દલિત સમાજના લોકોએ જણાવ્યું કે તેઓ લાંબા સમયથી “AVP ચિનુ લેધર” નામની ટેનરીમાં સફાઈ કામદાર અને રંગકામ કરનાર તરીકે કામ કરી રહ્યા છે. 1956માં સરકાર દ્વારા ગ્રામજનો માટે મંજૂર કરાયેલી આ ટેનરીમાં વિવિધ સ્થળોએથી કાચું ચામડું પ્રોસેસિંગ માટે લાવવામાં આવે છે.

હજુ સુધી આરોપીઓ સામે કોઈ કાર્યવાહી નથી થઈ

દલિતોના જણાવ્યા અનુસાર, 28 નવેમ્બરની રાત્રે, અનેક હિન્દુ સંગઠનોના સભ્યો ટેનરીના પરિસરમાં ઘૂસી ગયા અને ગૌહત્યાનો આરોપ લગાવીને હોબાળો મચાવ્યો. હુમલાખોરોએ કર્મચારીઓ પર હુમલો કર્યો, મહિલાઓ સાથે દુર્વ્યવહાર કર્યો અને તૈયાર માલ અને મશીનરીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો. હિન્દુ સંગઠનોના સભ્યો સામે કાર્યવાહી ન થવાને કારણે, દલિત સમાજના ડઝનબંધ પીડિતો મંગળવારે SSP ઓફિસ પહોંચ્યા હતા. જો કે, હજુ સુધી આરોપીઓ સામે કોઈ જ કાર્યવાહી થઈ નથી.

આ પણ વાંચો:ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર ગૌહત્યા માટે 3ને આજીવન કેદ

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
2 months ago

*જાતિવાદનો નશો ચામડાના પગરખાં અને પર્સ પોકેટ જેવી ચીજ વસ્તુઓ સાથે ઊતરતો જાય છે…! આ પણ જાતિભેદ દૂર કરવાનો અસલી ઉપાય છે જે સદીઓથી તેઓની સાથે છે, છતાં તેનો મજબૂર થઈને વપરાશ કરવો પડે છે…! ત્યાં જાતિવાદી નડતો નથી શું?

પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x