શાળામાં સરસ્વતી પૂજાને લઈને બબાલ, દલિતોના બાઈક સળગાવ્યા

શાળામાં દલિત બાળકો સાથે આભડછેટ રાખવામાં આવતા બાળકોના માતાપિતા તપાસ કરવા પહોંચ્યા હતા. એ દરમિયાન જાતિવાદી તત્વોએ હુમલો કરી તેમની બાઈકો સળગાવી દીધી.

દેશભરમાં વિદ્યાની દેવી સરસ્વતી કે સાવિત્રીબાઈ ફૂલે તેને લઈને બહુજન સમાજ અને મનુવાદીઓ વચ્ચે વૈચારિક લડાઈ ચાલી રહી છે ત્યારે ઝારખંડના એક ગામમાં વસંત પંચમી દરમિયાન સરસ્વતી પૂજામાં દલિત વિદ્યાર્થીઓ સાથે આભડછેટ રાખવામાં આવતા હોબાળો મચી ગયો હતો. મનુવાદી તત્વોએ દલિત બાળકોના માતાપિતાની બાળકો સળગાવી દીધી હતી. એટલું જ નહીં, તેમની સાથે મારામારી કરતા મામલો પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો.

ઘટના જમુઆ વિસ્તારના સિરસિયા પોલીસ સ્ટેશનની છે. અહીં કેટલાક દલિત બાળકોના માતા-પિતા પર હુમલો કરવામાં આવ્યો અને તેમની મોટરસાયકલ સળગાવી દેવામાં આવી. આ ઘટના ત્યારે બની જ્યારે બડકીટાંડ ગામના માતા-પિતા સિરસિયા ગામમાં તેમના બાળકોની પૂજામાં હાજરી આપી શક્યા ન હતા.

મળતી માહિતી મુજબ, સિરસિયા ગામને અડીને આવેલા બડકીટાંડ ગામના ઘણા દલિત બાળકો સિરસિયા સ્થિત પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. સરસ્વતી પૂજા (Saraswathi Puja) ના દિવસે ઉપરોક્ત બાળકો પણ પૂજા કરવા માટે શાળામાં પહોંચ્યા હતા. પરંતુ સિરસિયા ગામના ગ્રામજનોએ બાળકોને દલિત ગણાવીને પૂજામાં ભાગ લેવા દીધો ન હતો. આ અંગે માહિતી મેળવવા માટે, બડકીટાંડ ગામના ઘણા વાલીઓ બુધવારે સાંજે સિરિયા ગામમાં આવ્યા હતા અને તેઓ સ્થાનિક લોકોને બાળકોને પૂજામાં ભાગ ન લેવા દેવાનું કારણ પૂછી રહ્યા હતા.

એ દરમિયાન મામલો વધુ વકર્યો અને સિરસિયા ગામના કેટલાક મનુવાદી તત્વોએ બડકીટાંડ ગામના દલિતો સાથે ઝઘડો શરૂ કરી દીધો. એટલું જ નહીં, બડકીટાંડના દલિતો જે મોટરસાયકલ પર આવ્યા હતા તેને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. આ બાબતે હજુ સુધી જામુઆ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી નથી. હાલમાં આ ઘટનાને કારણે બંને ગામો વચ્ચે તણાવની સ્થિતિ છે. આ અંગે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ મણિકાંત કુમારે જણાવ્યું હતું કે બંને પક્ષો તરફથી અરજીઓ મળી છે. જામુઆ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. તપાસ બાદ જ કંઈક કહી શકાય.

આ પણ વાંચોઃ દલિતોએ સવારે ડૉ.આંબેડકરની પ્રતિમા સ્થાપી, મનુવાદીઓએ રાત્રે તોડી નાખી

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x