મંદિરના ભંડારામાં જમવા ગયેલા દલિત યુવકને ગોંધી રાખી ફટકાર્યો

પ્રસાદ લેવા પહોંચેલા દલિત યુવકને જાતિવાદી તત્વોએ અટકાવી બંધક બનાવીને ફટકાર્યો. 10 દિવસ પછી પણ કોઈની ધરપકડ નહીં.
dalit news

હરિયાણાના યમુનાનગરના જાથલાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાતિ ભેદભાવના એક ગંભીર કેસમાં પોલીસની નિષ્ક્રિયતાના વિરોધમાં વિવિધ સામાજિક સંગઠનોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવાની ચેતવણી આપી છે. મામલો 13 જુલાઈનો છે, જ્યારે બરહેડી ગામમાં એક દલિત યુવકને કેટલાક જાતિવાદી તત્વો દ્વારા ભંડારામાં પ્રસાદ લેતો રોકવામાં આવ્યો હતો અને કથિત રીતે બે કલાક સુધી બંધક બનાવવામાં આવ્યો હતો.

dalit news

મામલો શું હતો?

પીડિત કમલ ઉર્ફે બલ્લુએ જણાવ્યું હતું કે 13 જુલાઈના રોજ ગામમાં સતપાલ જોગી ચૌહાણના ઘરે ગોગામેડીની મૂર્તિ અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે તે બપોરે 2 વાગ્યે ભંડારામાં પ્રસાદ લેવા માટે પહોંચ્યો ત્યારે આરોપી સોનુ અને શુભમે તેને રોક્યો હતો. આરોપીએ કહ્યું કે પહેલા ઉચ્ચ જાતિના લોકો અને તેમના સંબંધીઓ ભોજન કરશે, ત્યારબાદ જ તને ભોજન મળશે. જ્યારે કમલે વિરોધ કર્યો ત્યારે આરોપીએ તેને માર માર્યો અને બળજબરીથી રૂમમાં બંધ કરી દીધો.

આ પણ વાંચો: છોટા ઉદેપુરમાં પ્રસુતાને ઝોળીમાં નાખી 4 કિમી દૂર 108 સુધી લઈ જવાઈ

માર મારી યુવકને બંધક બનાવી રૂમમાં પુરી દીધો

કમલનો આરોપ છે કે આરોપીઓ ગુસ્સે થઈ ગયા હતા અને તેને માર મારી બળજબરીથી એક રૂમમાં લઈ ગયા અને બંધક બનાવ્યો. આરોપીઓએ કહ્યું કે જ્યાં સુધી કથિત ઉચ્ચ જાતિના લોકો ભોજન ન કરી લે ત્યાં સુધી તેઓ તેને રૂમમાંથી બહાર નહીં જવા દે. તેને લગભગ 2 કલાક સુધી બંધક બનાવવામાં આવ્યો હતો. દરમિયાન, દલિત વાસની મહિલાઓને કમલને બંધક બનાવાયો હોવાની જાણ થતાં જ આરોપીઓએ કમલને છોડી દીધો હતો. કમલને છોડતા પહેલા આરોપીઓએ તેને ધમકી આપી હતી કે જો તે ફરીથી અહીં દેખાયો તો તેને જાનથી મારી નાખશે.

FIR નોંધાયાના 10 દિવસ પછી પણ કોઈ કાર્યવાહી નહીં

કમલનો આરોપ છે કે આરોપી સામે કેસ નોંધાયાને 10 દિવસ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. જ્યારે પણ હું પોલીસ સ્ટેશન જાઉં છું, ત્યારે મને બહાના બતાવીને પાછો મોકલી દેવામાં આવે છે. કમલે કહ્યું કે હવે ચંદ્ર શેખર આઝાદ, આઝાદ સમાજ પાર્ટી અને ભીમ આર્મીના કાર્યકરો તેને ન્યાય અપાવવા માટે આગળ આવ્યા છે.

ભીમ આર્મીના કાર્યકર વિનય રતન સિંહે કહ્યું કે પીડિત કમલને ન્યાય અપાવવા માટે તેઓ આવતીકાલે જઠલાણા પોલીસ સ્ટેશનમાં વિરોધ પ્રદર્શન શરૂ કરશે. આ દરમિયાન, સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થશે અને આરોપીઓ સામે કાર્યવાહીની માંગ કરશે.

કેસની તપાસ ચાલી રહી છે: પોલીસ અધિકારી

બીજી તરફ આ મામલે જઠલાણા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રાજેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે પીડિત કમલની ફરિયાદ પર આરોપીઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. DSP આશિષ ચૌધરી સમગ્ર કેસની તપાસ કરી રહ્યા છે. તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: લગ્નમાં DJ પર ડૉ.આંબેડકરના ગીતો વાગતા સવર્ણોએ હુમલો કર્યો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે બહુજન સમાજ માટે સૌથી મહત્વના મુદ્દા ક્યા છે?
0
Would love your thoughts, please comment.x
()
x