દલિતની હત્યા થાય ત્યારે ‘સમરસતા’ ક્યાં જતી રહે છે?: નરેશ મહેશ્વરી

નિલેશ રાઠોડની હત્યા મામલે કચ્છના સામાજિક કાર્યકર નરેશ મહેશ્વરીએ કલેક્ટર, આઈજી અને એસપીને આવેદનપત્ર આપી હિંદુત્વવાદીઓની આકરી ઝાટકણી કાઢી છે.
dalits murder

અમરેલીના લાઠી તાલુકાના જરખીયા ગામના દલિત યુવક નિલેશ રાઠોડની 15 જેટલા જાતિવાદી ભરવાડોઓ કરેલી નિર્મમ હત્યાના પડઘા કચ્છ સુધી પડ્યાં છે. ભૂજમાં રાષ્ટ્રીય બહુજન સમાજ સંગઠન દ્વારા કચ્છ કલેક્ટર, રેન્જ આઈજી અને એસપીને આવેદનપત્ર પાઠવી નિલેશ રાઠોડના હત્યારાઓને કડકમાં કડક સજા થાય તે રજૂઆત કરવામાં આવી છે.

રાષ્ટ્રીય બહુજન સમાજ સંગઠનના સંસ્થાપક નરેશભાઈ મહેશ્વરીએ આવેદનપત્રમાં બહુ આકરા શબ્દોમાં સમગ્ર ઘટનાની ઝાટકણી કાઢીને આરોપીઓને વહેલી તકે કડકમાં કડક સજા થાય તેવી માગણી કરી છે.

dalits murder

નરેશ મહેશ્વરીએ શું કહ્યું?

નરેશભાઈ મહેશ્વરીએ રાષ્ટ્રીય બહુજન સમાજ સંગઠનના લેટરહેડ પર આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, “દલિત યુવક નિલેશ રાઠોડ સીધી રીતે કથિત વાયબ્રન્ટ ગુજરાતમાં ચાલતા જાતિવાદનો ભોગ બન્યો છે. હવે દલિતોએ ફરી લાશ ઉપાડવાની, સરકાર સામે માગણીઓ મૂકવાની અને સરકારની ચામડી મગરની બની જશે. ચૂંટણી આવે ત્યારે દલિતોને કહેશે તમે દલિત નહીં પણ હિંદુ છો અને અમે તો સામાજિક સમરસતામાં માનીએ છીએ. પણ જ્યારે કોઈ દલિતની હત્યા થાય છે ત્યારે તેઓ દલિત કેમ બની જાય છે? મહેરબાની કરીને અમને એમ ન પૂછતા કે દલિત યુવકની હત્યા કરનારા કઈ જાતિ કે ધર્મના હતા? કેમ કે અમે આરોપીઓની જાતિ કે ધર્મ નથી જોતા.”

આ પણ વાંચો: 50 ડ્રાઈવરોની હત્યા કરી મગરને ખવડાવી દેનાર ડોક્ટર ઝડપાયો

કચ્છમાં આવો બનાવ ન બને તે માટે તંત્ર તકેદારી રાખેઃ નરેશ મહેશ્વરી

નરેશભાઈએ કલેક્ટર, કચ્છ બોર્ડર રેન્જ આઈજી અને પશ્ચિમ કચ્છ એસપીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, આ બનાવમાં જવાબદાર તમામ અસામાજિક તત્વો વિરુદ્ધ બંધારણની જોગવાઈઓ મુજબ ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવે. આ પ્રકારના બનાવો કચ્છ જિલ્લામાં ન બને નહીં તે માટે તમામ પોલીસ તંત્રને આગોતરી તકેદારી રાખે. જો આ મામલે કાર્યવાહી કરવામાં તંત્ર નિષ્ફળ નિવડશે તો રાષ્ટ્રીય બહુજન સમાજ સંગઠને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.

કોણ છે નરેશ મહેશ્વરી?

કચ્છમાં બહુજન સમાજ પર થતા અત્યાચારો-અન્યાયોમાં ન્યાય અપાવવા માટે સામાજિક કાર્યકર નરેશભાઈ મહેશ્વરી કાયમ અગ્રેસર હોય છે. કચ્છમાં જમીની સ્તરે કામ કરી દલિત સમાજને ન્યાય અપાવવામાં તેમનો સિંહફાળો રહ્યો છે. જિલ્લામાં એસસી સમાજની અનેક સહકારી મંડળીઓની માથાભારે તત્વોએ પચાવી પાડેલી હજારો એકર જમીનો તેમણે સરકારમાં રજૂઆત કરીને પરત અપાવી છે. સમસ્ત મહેશ્વરી સમાજના પ્રમુખ તરીકે તેઓ સતત સમાજ માટે ચિંતિત રહે છે.

dalits murder

દલિત-બહુજન સમાજની દરેક નાનીમોટી સમસ્યાઓમાં પક્ષાપક્ષીના રાજકારણથી પર થઈને સમાજહિતમાં તટસ્થ નિર્ણય માટે જાણીતા છે. સમાજના હિત માટે તેઓ કોઈની પણ સાડાબારી રાખ્યા વિના રોકડું પરખાવી દે છે. તેનું જ કારણ છે કે, કચ્છના દલિત સમાજમાં નરેશ

આ પણ વાંચો: વીરમગામમાં ઠાકોરોએ દલિત મામા-ભાણેજના પગ ભાંગી નાખ્યા

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું ગુજરાત કોંગ્રેસ અને તેના સવર્ણ નેતાઓ દલિતો સાથે ભેદભાવ રાખે છે?
0
Would love your thoughts, please comment.x
()
x