અમદાવાદમાં ‘ડો.આંબેડકરનું ધર્મ અંગેનું તત્વજ્ઞાન’ પર પરિસંવાદ યોજાયો

dr ambedkars philosophy of religion વિષય પર કર્મશીલ રાજુ સોલંકી, ડૉ. જે.ડી. ચંદ્રપાલ અને અસીમ રૉયે તર્કબદ્ધ દલીલો સાથે મજબૂત વક્તવ્યો આપ્યા હતા.
Dr. Ambedkar's Philosophy of Religion

Dr. Ambedkar’s Philosophy of Religion: ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સફોરમેટિવ ચેન્જ (ITC) અમદાવાદ દ્વારા તા. ૧૩ એપ્રિલ ૨૦૨૪ને રવિવારે બપોરે ૨:૦૦થી ૫:૦૦ દરમિયાન “ડૉ. બી.આર. આંબેડકરનું ધર્મ અંગેનું તત્વજ્ઞાન” વિષય પર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદના વિષય નિષ્ણાંત તરીકે કર્મશીલ રાજુ સોલંકી, ડૉ. જે. ડી. ચંદ્રપાલ અને અસીમ રોય દ્વારા વકતવ્ય આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં દિપક સોલંકીએ સર્વેને ઉપેક્ષિત સમાજના હીરોને શ્રદ્ધાંજલિ આપવા જણાવાયું. જે આજે આપણી વચ્ચે રહ્યાં નથી તેવા જયેશ સોલંકી, દિપક ડાભી, બાબુભાઈ ચૌહાણ, રોમેલ સુતરીયા અને દાનિશ કુરેશી વગેરેએ સમગ્ર જીવનભર દરમ્યાન બંધારણીય મૂલ્યોનો વ્યાવહારિક અમલ માટે કામગીરી કરી છે. આ બંધારણીય હિરો વિશે અનિલ ડાભી દ્વારા એક વિડિયો બનાવવામાં આવ્યો તેને સર્વ હાજર રહેલા મિત્રોએ નિહાળ્યો. ત્યારબાદ હૌજેફા ઉજ્જૈની અને તેમની ટીમ દ્વારા દબે પેરો સે ઉજાલા આ રહા હૈ.. ગીત રજૂ કરવામાં આવ્યું.

આંબેડકર ધર્મને શોષણ માટે જવાબદાર માનતાઃ રાજુ સોલંકી

સૌપ્રથમ વક્તવ્ય કર્મશીલ રાજુભાઇ સોલંકી દ્વારા આપવામાં આવ્યું. તેમણે IPL માં ‘ગુજરાતની શાન રાશીદ ખાન’ ના નારાથી કરી. સમાજમાં કેવી રીતે બજાર નિયંત્રણ ધરાવે છે તેની વાત કરી. તેમણે કહ્યું કે ગાંધી, સરદાર અને નહેરુ માટે ધર્મ એ વિશેષાધિકાર અને વારસો હતો, જ્યારે ડો. આંબેડકર ધર્મને દમન અને શોષણ માટે જવાબદાર માનતા હતા. ત્યારબાદ તેમને ધર્મ સાથે જોડાયેલ કુંભમેળાની વાત કરી કે કેવી રીતે ધર્મનું સ્થળ આધારિત મોબીલાઈઝેશન અને રાજકારણ જોવા મળે છે. કુંભમેળામાં પાપ ધોવાની વાત કરવામાં આવે છે. મનુસ્મૃતિ શાસ્ત્રો મુજબ બ્રાહ્મણ પાપ કરતાં નથી, એટલે આમ જોવા જોઈએ તો શુદ્રો પાપ ધોવા જાય છે, જેવી રીતે યુરોપમાં પાપ વિમોચન પત્રિકા વિતરણ કરવામાં આવી હતી તેવી જ રીતે પાપ ધોવાનું કુંભમેળામાં થઈ રહ્યું છે.

બૌદ્ધ ધર્મનો પ્રતિકાર કરવા માટે રામાયણની રચના કરાઈ હતીઃ રાજુ સોલંકી

તેમણે ઇતિહાસ વિશે વાત કરતાં કહ્યું કે ડૉ. આંબેડકરના ‘રિડલ ઓફ હિન્દુઇઝમ’ના પુસ્તકમાં ‘શાસ્ત્રોને ઉડાવી દેવા જોઈએ’ એવી વાત કરી છે તેના વિરોધમાં મહારાષ્ટ્રમાં ૪ લાખ મરાઠાઓએ રેલી કાઢી હતી. પરંતુ ડૉ. આંબેડકરના સમર્થનમાં ૭ લાખ દલિતોએ હુતાત્મા ચોક પર રેલી કાઢીને મરાઠાઓનો વિરોધ કર્યો. આગળ તેમણે જણાવ્યુ કે બૌદ્ધ ધર્મ સામે પ્રતિકાર કરવા રામાયણની રચના થઈ હતી. ગુજરાતની વાત કરીએ તો ‘રામ અને કૃષ્ણના ગૂઢ કોયડા વર્ષ ૧૯૯૩’ પુસ્તિકા ગુજરાતીમાં વાલજીભાઈ પટેલે પ્રકાશિત કરી. આ પુસ્તકના વિરોધમાં વેરાવળમાં કેસ કરવામાં આવ્યો હતો. હું કૃણાલ કામરાની જેમ નહીં કહું કે ‘હમ હોંગે કંગાલ’ પરંતુ એક દિવસ ફૂલે-આંબેડકર વિચારધારાનો વિજય થશે.

ડો.આંબેડકરનું ધર્મનું તત્વજ્ઞાન એટલે ન્યાય અને માનવતાની શોધઃ ડૉ.જે.ડી. ચંદ્રપાલ

ડૉ. જે. ડી. ચંદ્રપાલના મતે ડૉ. આંબેડકરનું ધર્મનું તત્વજ્ઞાન એટલે ધાર્મિક દર્શન, ન્યાય, માનવતાની શોધ અને ડૉ. આંબેડકરની બૌદ્ધિક યાત્રા છે. ડૉ. આંબેડકરમાં ધાર્મિક દર્શન આધ્યાત્મિક કરતાં સામાજિક ન્યાય વધારે છે. તેમણે બુદ્ધિઝમમાં નવયાન માર્ગ અપનાવ્યો હતો. ધ્યાની બુદ્ધ કરતાં ચાલતાં-ફરતાં બુદ્ધ વધારે સારા લાગે છે. ટીકાત્મક અભિગમથી જોઈએ તો તેમનું ધર્મનું દર્શન Republic છે. પરંતુ સકારાત્મક સ્વરૂપે ધર્મને જોતા તેમણે બૌદ્ધ ધર્મ આપ્યો છે. શા માટે આપ્યો? બધા ધર્મમાં એક સમસ્યા છે એટલે ધર્મની પુન:રચના કરવી જોઈએ. ડૉ. આંબેડકરે કહ્યું કે ધર્મ માટે માનવી નથી પરંતુ માનવી માટે ધર્મ છે. ધર્મ ફક્ત મનની શાંતિ કે આધ્યાત્મિકતા માટે નહીં પણ મુક્તિનો માર્ગ હોવો જોઈએ.

Dr. Ambedkar's Philosophy of Religion

ડો. આંબેડકરે ત્રણ બાબતો દ્વારા ધર્મના તત્વજ્ઞાનની વાત કરી છે. ૧. સામાજિક ન્યાય- એટલે કે જે ધર્મમાં ન્યાય નથી તે ધર્મ આપણો નથી. ૨. ધર્મ નૈતિક મૂલ્યો પર આધારિત હોવો જોઈએ. 3. ધર્મ દ્વારા ક્રાંતિકારી પરિવર્તન આવવું જોઈએ. તેમણે કહ્યું કે આધ્યાત્મિક માળખામાં સમાનતા હોવા જોઈએ. માનવીય ગૌરવ હોવું જોઈએ. જે ધર્મમાં માનવીય ગરિમા જોવા મળતી નથી એ ધર્મનો ત્યાગ કરવો જોઈએ.

આ પણ વાંચો: 14મી એપ્રિલે દલિત વરરાજા જાન લઈને મંદિરે ગયા, પછી શું થયું

બૌદ્ધ ધર્મ તરફનો ડૉ. આંબેડકરનો ઝુકાવ આ માપદંડ પર આધારિત હતો. શું સમાજ સામાજિક ન્યાય માટે નૈતિક માળખું પ્રદાન કરે છે? એટલે જ ડૉ. આંબેડકર ક્રાંતિકારી પરિવર્તનની વાત કરે છે કે સમાજમાં અન્યાય છે એટલે સામાજિક ન્યાય જોઈએ છે.

ડૉ.આંબેડકર સામાજિક ન્યાય આપે તે ધર્મમાં જવા માંગતા હતા, એટલે બૌદ્ધ બન્યાં

ડૉ. જે. ડી. ચંદ્રપાલે વધુમાં જણાવ્યું હતું કે, ડૉ. આંબેડકરના મતે ધર્મ એક એવું સાધન છે જે સ્વતંત્રતા, સમાનતા અને ન્યાય પ્રદાન કરે છે. તેમણે કહ્યું કે બાબાસાહેબ જે ધર્મ સામાજિક ન્યાય આપી ન શકે તે ધર્મમાં જવા માંગતા ન હતા. સામાજિક ન્યાય એ ફક્ત તકોની સમાનતાની વાત કરતું નથી પરતું સામાજિક સંરચનાનું નૈતિક પુનઃગઠન કરવાની વાત કરે છે સમાજના સંસાધનોની યોગ્યત્તમ વહેંચણી હોવી જોઈએ.જાતિ ભેદભાવ, લિંગ અને વર્ગ આધારિત શોષણ ન હોવું જોઈએ. સામાજિક ન્યાય ફક્ત અદાલતમાં જ ન હોવો જોઈએ. સમાજની સામાજિક સંસ્થાઓ લગ્ન અને કુટુંબમાં પણ ન્યાય હોવો જોઈએ. ન્યાય એ પરંપરામાં હોવો જોઈએ એટલે ડૉ . આંબેડકરે જ્ઞાતિ નિર્મૂલનની વાત કરી હતી.

Dr. Ambedkar's Philosophy of Religion

ધર્મમાં નૈતિકતાની વાત એ પરલોકની વાત નથી પરતું સામાજિક ન્યાયની વાત છે. જેના માટે ડૉ. આંબેડકરે બૌદ્ધ ધર્મના અષ્ટાંગ માર્ગની વાત કરી હતી. ધર્મ મનુષ્ય માટે છે, અને ધર્મ એ આધ્યામિક સાધન નથી, પરંતુ સામાજિક ક્રાંતિનું ઓજાર છે. બૌદ્ધ વિચાર સમાજજીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે. આપણે એ બાબતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે ક્રાંતિ સામે પ્રતિક્રાંતિની પ્રક્રિયા પણ ચાલતી રહે છે. છેલ્લે ધર્મમાં નૈતિક આચરણ વિના મુક્તિ શક્ય નથી.

શાસ્ત્રોમાં માનવતાનો આધાર નથી એટલે ડો.આંબેડકરે મનુસ્મૃતિનું દહન કર્યુઃ અસીમ રૉય

અસીમ રોયના મતે ડૉ. આંબેડકરના ધર્મનું તત્વજ્ઞાન આધુનિક હતું. તેમણે આધુનિક માપદંડના આધારે ધર્મનું વિશ્લેષ્ણ કર્યું હતું. તર્ક કે Reason (કારણ) વગર ધર્મનું વિશ્લેષ્ણ કરવું જોઈએ નહિ. તેમણે વેદ અને મનુસ્મૃતિની પરંપરા એટલે કે બ્રાહ્મણિક હિંદુવાદ સામે ટીકા વ્યક્ત કરી હતી. શરૂઆતમાં દેશમાં ૯૦ ટકા લોકોને આધ્યાત્મિકતા તરફ જવાનો રસ્તો ન હતો. એટલે ધર્મમાં નૈતિકતા આવતી નથી. ભારતમાં હિન્દુ સમાજમાં અતિમાનવ અને તુચ્છ માનવ છે પરંતુ માનવી નથી, એટલે કે શાસ્ત્રોમાં માનવતાનો આધાર જ નથી. એટલે જ ડૉ. આંબેડકરે મનુસ્મૃતિનું દહન કર્યું હતું. વૈદિક પરંપરા સામે અવૈદિક પરંપરાની શૃંખલા જેવી કે લોકાયત, બૌદ્ધ, જૈન વગેરેથી ચાલી આવે છે, જે તર્ક અને નૈતિકતામાં માને છે.

આ પણ વાંચો: ભાજપ-કોંગ્રેસ બંને અનામત વિરોધી છે, વિશ્વાસ ન કરશોઃ Mayawati

Dr. Ambedkar's Philosophy of Religion

ધર્મ વ્યક્તિગત હોઈ શકે પરંતુ સમાજ માટે ધર્મ માનવતાવાદી અને આધુનિક હોવો જોઈએ. આધુનિક ધર્મની સ્થાપના રાજ્ય દ્વારા થઈ શકે. સમાજમાં માનવતા ઊભી કરવાની જવાબદારી રાજ્યની છે. આધુનિક રાજ્ય હશે તો જ જ્ઞાતિ નિર્મૂલનની વાત કરશે. પરતું જ્ઞાતિ નિર્મૂલન તો સમાજે કરવાનુ છે. જે મૈત્રી દ્વારા સમાજમાં શક્ય બનશે. મૈત્રી વિના જ્ઞાતિ નિર્મૂલન શક્ય નથી. સમાજમાં બૌદ્ધ ધર્મ દ્વારા મૈત્રી લાવવી પડશે. આજે થઈ રહેલ ધર્મના રાજકીયકરણનો વિરોધ કરવો પડશે.

ર્યક્રમના અંતે મુકેશભાઈ લકુમ દ્વારા વકતવ્યનો ટૂંકસાર રજૂ કરવામાં આવ્યો. હોજૈફા ઉજ્જૈની અને તેમની ટીમ દ્વારા ગીત રજૂ કરવામાં આવ્યું .. તોડ દો તોડ ડો જાતિ કી જંજીરે.. ત્યાર બાદ તેમના દ્વારા દરેક સહભાગીઓની આભારવિધિ કરવામાં આવી. દિપકભાઈ સોલંકીએ સમગ્ર કાર્યક્રમનું ઉત્તમ સંચાલન કર્યું હતું.

(અહેવાલ-ડૉ. રાજેશ લકુમ)

આ પણ વાંચો: તેલંગાણામાં SC પેટાવર્ગીકરણ લાગુ, કોંગ્રેસે 14મી એપ્રિલે જ દલિતોની પીઠમાં ઘા કર્યો?

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Parmar Vinod
Parmar Vinod
1 month ago

Wonderful event ! I am reading each and every article ! I can find intellectuality in lucid language.

ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x