કેન્દ્રમાં જ્યારથી નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા છે ત્યારથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) નો રાજકીય ઉપયોગ થઈ રહ્યાના આરોપો લાગતા રહ્યાં છે. જો કે, હવે કેટલાક આંકડાઓ પણ સામે આવ્યા છે, જે આશંકાને મજબૂત કરે છે. વર્ષ 2014માં કેન્દ્રમાં મોદી સરકાર સત્તામાં આવ્યા બાદથી ઈડીએ મની લોન્ડરિંગના 6,444કેસ નોંધ્યા હતા, જેમાંથી માત્ર 56 કેસોમાં જ સજા થઈ શકી છે.
2014 થી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કુલ 6,444 મની લોન્ડરિંગના કેસ નોંધ્યા છે. આ 11 વર્ષ દરમિયાન અદાલતોએ 56 કેસોમાં 121 લોકોને દોષિત ઠેરવ્યા છે. આવકવેરા વિભાગે આ સમયગાળા દરમિયાન 13,877 કેસ નોંધ્યા છે, જેના પરિણામે 522 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા છે. કેન્દ્રીય નાણાં મંત્રાલયે સોમવાર, 8 ડિસેમ્બરના રોજ સંસદમાં આ માહિતી આપી હતી.

આ પણ વાંચો: માતાના માંડવા માટે રૂપિયા ભેગા ન થતા યુવકે એસિડ પીધું
મીડિયા રિપોર્ટ મુજબ, લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળની વિશેષ અદાલતોએ 1 એપ્રિલ, 2014 થી 30 નવેમ્બર, 2025 વચ્ચે 56 મેરિટ ચુકાદા આપ્યા છે. આમાંથી 53 કેસોમાં 121 વ્યક્તિઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન, એજન્સીએ 16,404 વ્યક્તિઓ અને સંસ્થાઓ સામે 2,416 ચાર્જશીટ દાખલ કરી છે અને 11,106 દરોડા પાડ્યા છે.

નાણાકીય વર્ષ 2014-15 થી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ PMLA હેઠળ કુલ 6,444 કેસ નોંધ્યા છે, જ્યારે આવકવેરા વિભાગ (ITD) એ કુલ 13,877 કેસ નોંધ્યા છે. આવકવેરાના કેસોમાં, 522 વ્યક્તિઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને 963ને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. વિભાગે ૩,૩૪૫ કેસ પાછા ખેંચી લીધા છે.
2014થી ઈડીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે
નવા કેસ દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ 2014 થી તેમાં વધારો થયો છે. ED એ 2021-22માં માં 1,116 મની લોન્ડરિંગ કેસ નોંધ્યા હતા. આવકવેરા વિભાગે 2017-18 માં રેકોર્ડ 4,527 કેસ નોંધ્યા, જે 2014-15માં 669 હતા.
આ પણ વાંચો: કૉલેજિયન દલિત યુવકે 3 સવર્ણોએ માર મારતા આપઘાત કર્યો
1.70 લાખ કરોડની સંપત્તિ જપ્ત કરી
હિન્દુસ્તાન ટાઈમ્સના ઓક્ટોબર-2025ના અહેવાલ મુજબ, ED એ 2024-25 નાણાકીય વર્ષમાં રેકોર્ડ 30,000 કરોડની સંપત્તિ જપ્ત કરી છે અને 2025-26ના નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિના (એપ્રિલ-ઓગસ્ટ) માં રૂ. 15,000 કરોડ સુધી પહોંચી ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષે આ સંખ્યા વધુ વધી શકે છે. 2005 થી પીએમએલએ હેઠળ 8100 કેસોમાં 1.70 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો: માથાભારે તત્વોએ દલિતોનો કૂવો કબ્જે કરી JCB ફેરવી દીધું










