વસ્ત્રાપુરમાં ગટર સાફ કરવા ઉતરેલા કર્મચારીનું ગેસ ગળતરથી મોત

વસ્ત્રાપુરની સુભાષ પાર્ક સોસાયટીમાં એએમસીનો સફાઈ કર્મચારી ગટર સાફ કરવા માટે ઉતર્યો હતો. એ દરમિયાન ઝેરી ગેસ લીક થતા તેનું મોત થઈ ગયું હતું.
vastrapur sewer cleaning death

આજે જ સમાચાર આવ્યા છે કે ઈલોન મસ્કની સ્ટારલિંક કંપની એરટેલ સાથે ભાગીદારી કરીને ભારતમાં છેવાડાના ગામડાઓ સુધી હાઈસ્પીડ ઈન્ટરનેટની સુવિધા પુરી પાડીને નવી ડિજિટલ ક્રાંતિ કરવા જઈ રહી છે. ભારતમાં કેટલીયે સરકારો આવી અને ગઈ. અનેક લોકોએ મસમોટા વાયદો કર્યા. પણ ગટરમાં ગૂંગળાઈને મોતને ભેટવાનો સફાઈ કામદારોનો સિલસિલો આજે પણ અટકી શક્યો નથી. સુપ્રીમ કોર્ટે તેના પર પ્રતિબંધ ફરમાવ્યો હોવા છતાં આવી વધુ એક ઘટના બની છે.

અમદાવાદના વસ્ત્રાપુર(Vastrapur)માં સુભાષ પાર્ક પાસે ગઈકાલે લાલા પટેલ નામનો શ્રમિક ગટર સાફ (sewer cleaning) કરવા માટે અંદર ઉતર્યો હતો. એક ખાનગી સોસાયટી દ્વારા શ્રમિકને ગટર સાફ કરવા માટે બોલાવવામાં આવ્યો હતો. શ્રમિક ગટર સાફ કરતો હતો તે દરમિયાન સાંજે 6 વાગ્યાની આસપાસ ગેસ ગળતર(gas leaked)ના કારણે તેનો શ્વાસ રૂંધાયો હતો અને તેનું મોત (death)નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ફાયર અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરની ટીમ દ્વારા શ્રમિકના મૃતદેહને બહાર કાઢી પોસ્ટ મોર્ટમ ખાતે મોકલવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ ગટર સાફ કરવા ઉતરેલા બે સફાઈકર્મીઓના શ્વાસ રૂંધાવાથી મોત

મળતી માહિતી મુજબ, મૃતક શ્રમિક કોર્પોરેશનનો કર્મચારી હતો. ત્યારે પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે, કોર્પોરેશન દ્વારા શ્રમિકને સુરક્ષાના સાધનો પૂરા પાડવામાં કેમ નહતાં આવ્યા? ક્યાં સુધી વિકસિત અમદાવાદને સુંદર બનાવી રાખનારા સફાઈ કામદારો સુરક્ષાના અભાવે મોતના મોંમાં ધકેલાતા રહેશે? સમગ્ર મુદ્દે હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, દેશભરમાં ડિજિટલ ક્રાંતિની વાતો કરવામાં આવે છે. ટેક્નોલોજીમાં હરણફાળ ભરવાની વાત કરવામાં આવે છે પરંતુ, ગુજરાત સહિત ભારત દેશમાં અનેક જગ્યાએ હજુ સુધી ગટર સાફ કરવાને લઈને કોઈ જ ટેક્નોલોજી વિકસિત કરવામાં આવી નથી. યોગ્ય મશીનરી અને ટેક્નોલોજીના અભાવે અવાર-નવાર ગટર સાફ કરવા માટે શ્રમિકોએ ગટરની અંદર ઉતરવું પડે છે. જે દરમિયાન ગેસ ગળતરના કારણે શ્રમિકો મોતને ભેટે છે. આવો જ કિસ્સો ફરી અમદાવાદના પોષ વિસ્તારમાં બન્યો છે. જેમાં વસ્ત્રાપુરમાં ગટર સાફ કરતા દરમિયાન એક શ્રમિકનું મોત નિપજ્યું છે. હજુ બે દિવસ પહેલા મુંબઈમાં પણ આ જ રીતે બે સફાઈકર્મીઓ ગટરમાં ગૂંગળાઈને મોતને ભેટ્યા હતા.

આ પણ વાંચોઃ ગટર-જાજરૂ સફાઈના કામને કેમ ટોક્સિક વર્ક કલ્ચરમાં ગણતા નથી?

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x