સેપ્ટિક ટેંકમાં ગૂંગળામણથી 4 સફાઈકર્મીના મોત, 2 ગંભીર

વધુ પૈસા આપવાની લાલચ આપી ટાંકીમાં ધકેલી દેવામાં આવ્યા. ચાર સફાઈકર્મીઓના ગૂંગળામણથી મોત થયા, હજુ બેની હાલત ગંભીર છે.
sanitation workers die

રાજસ્થાનના જયપુરમાં એક સેપ્ટિક ટાંકીમાં ગૂંગળામણથી ચાર કામદારોના મોત થયા છે. તેમને બચાવવા માટે ટાંકીમાં ઉતરેલા અન્ય બે કામદારોની હાલત પણ ગંભીર છે. તેમની સારવાર ચાલી રહી છે. આ કામદારો એક જ્વેલરીની દુકાનની સેપ્ટિક ટેન્ક સાફ કરી રહ્યા હતા. પોલીસે જણાવ્યું છે કે શરૂઆતમાં કામદારો આ કામ કરવા તૈયાર ન હતા. પરંતુ બાદમાં તેમને વધુ પૈસા આપીને આ કામ કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. એવો પણ આરોપ છે કે જરૂરી સલામતી વ્યવસ્થા વિના કામદારોને ટાંકીમાં ઉતારવામાં આવ્યા હતા.

ઘટના સીતાપુરના જી-બ્લોક સ્થિત અચલ જ્વેલર્સમાં બની હતી. 26 મેની રાત્રે લગભગ 8 વાગ્યે સફાઈકર્મીઓ અમિત અને રોહિત ટાંકીમાં સૌથી પહેલા ઉતર્યા હતા. થોડા સમય પછી બંનેને ગૂંગળામણ થવા લાગી અને તેઓ બેભાન થઈ ગયા. જ્યારે તેઓ બૂમો પાડવા લાગ્યા ત્યારે બહાર ઉભેલા સંજીવ અને મુકેશ તેમને બચાવવા માટે ટાંકીમાં પ્રવેશ્યા.

જ્યારે તેઓ પણ પાછા ન ફર્યા ત્યારે વધુ બે કામદારો નીચે ઉતર્યા. પરંતુ એક પછી એક બધા બેભાન થઈ ગયા. બાદમાં બધા કામદારોને બહાર કાઢવામાં આવ્યા. તેમને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ત્યાં ડોકટરોએ ચાર કામદારોને મૃત જાહેર કર્યા. ઘટનાના લગભગ એક કલાક પછી પોલીસને માહિતી મળી. એ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી. ફોરેન્સિક ટીમે સ્થળ પરથી જરૂરી પુરાવા એકત્રિત કર્યા છે.

આ પણ વાંચો:  ઘરઘાટી, ગૃહયોગી, હાઉસ હેલ્પર: ન ઉજળું નામ, વધુ કામ, કમ દામ

આ ઘટના અંગે, આક્સૂના એસપી સુરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટર દ્વારા અચલ જ્વેલર્સમાં રિફાઇનિંગ કામ માટે કામદારોને રાખવામાં આવ્યા છે. ફેક્ટરીમાં બનેલા દાગીના સાફ કર્યા પછી ટાંકીમાં જે પાણી એકઠું થાય છે તેમાં રસાયણો હોય છે. કામદારો તેને સાફ કરવા માટે સેપ્ટિક ટાંકીમાં પ્રવેશ્યા હતા.

સ્થાનિક પોલીસ અધિકારી અનિલ જયમનને જણાવ્યું હતું કે, “દુકાન માલિક અને કંપનીના સીઈઓ વિકાસ મહેતા અને ડિરેક્ટર અરુણ કોઠારીએ કામદારોને વધુ પૈસાની લાલચ આપીને ટાંકીમાં ઉતરવા માટે મજબૂર કર્યા હતા. કામદારોએ શરૂઆતમાં ગરમીને કારણે કામ કરવાનો ઇનકાર કર્યો હતો.”

ટાંકી આટલી ઝેરી કેમ હતી?

ફેક્ટરીમાં ઘરેણાં બનાવતી વખતે સોના અને ચાંદીના કણો નીકળે છે. આ કણો ફેક્ટરીમાંથી નીકળતા ગંદા પાણી સાથે એક જગ્યાએ જમા થાય છે અને કાદવરૂપે ટાંકીમાં ભરાઈ રહે છે. બાદમાં આ કણોને તે ગંદા પાણીમાંથી રિકવર કરવામાં આવે છે. પરંતુ ફેક્ટરીના અન્ય ભાગોમાંથી નીકળતું પાણી પણ તે જ ટાંકીમાં જમા થાય છે અને તેમાં રસાયણો ધરાવતું પાણી પણ શામેલ છે. જેના કારણે ટાંકી આટલી ઝેરીલી બની જાય છે. જ્વેલરોને આ બધી બાબતોનો ખ્યાલ હોવા છતાં તેમણે ચારેય સફાઈકર્મીઓને તેમાં ધકેલ્યા હતા.

આ પણ વાંચો: સવર્ણોની ધમકી બાદ પોલીસ સુરક્ષા વચ્ચે દલિતનો વરઘોડો નીકળ્યો

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે બહુજન સમાજ માટે સૌથી મહત્વના મુદ્દા ક્યા છે?
0
Would love your thoughts, please comment.x
()
x