હોળી-ધૂળેટીના બે દિવસમાં અકસ્માતો, મારામારીની વણઝાર

હોળી-ધૂળેટીના તહેવારના બે દિવસમાં માર્ગ અકસ્માતની 715 ઘટના બની છે. જ્યારે મારામારીના 360 કોલ આવ્યા હતા. 108 ઈમરજન્સીના આંકડાઓ બીજું શું કહે છે.
ambulance 108

એક સમય હતો જ્યારે હોળીના તહેવાર પર લોકો દુશ્મનાવટ પણ ભૂલીને ગળે મળતા હતા. પણ આજના જમાનામાં હોળીના દિવસે રંગ લગાડવાના ખાસ કરીને યુવતીઓને રંગ લગાડવાને લઈને દર વર્ષે મારામારીના કેસો વધતા જાય છે. આ સિવાય અસલામત રીતે વાહન ચલાવવાને કારણે પણ હોળી-ધૂળેટીએ માર્ગ અકસ્માતોનો આંકડો વધે છે. આ વર્ષે પણ કંઈક આવું જ થયું છે. ગુજરાતમાં હોળી-ધુળેટીનો તહેવાર ગોઝારો બન્યો હોય તેમ બે દિવસમાં 21 લોકોના મોત નીપજ્યાં છે. જેમાં માર્ગ અકસ્માતમાં 13 લોકોના, આગમાં ત્રણ લોકોના અને આપઘાત- ડૂબી જવાની ઘટનામાં પાંચ લોકોના મોત નીપજ્યાં છે. 108 ઈમરજન્સી સેવાને ધુળેટીના દિવસે સાંજે 6 વાગ્યા સુધીમાં ગુજરાતમાંથી 3485 કેસ મળ્યાં હતાં. જેમાં સૌથી વધુ કેસ અકસ્માત, મારામારી અને પડી જવા જેવા નોંધાયા હતાં.

અમદાવાદમાં સૌથી વધારે 95 જેટલા રોડ અકસ્માતના કેસો નોંધાયા હતાં. સુરતમાં પણ 93 જેટલા કેસ નોંધાયા હતાં. જ્યારે રાજકોટ અને વડોદરામાં પણ અકસ્માતના કેસોમાં વધારો થયો હતો. દાહોદ, બનાસકાંઠા, ખેડા અને ભરૂચ જિલ્લામાં સૌથી વધારે કેસ આવ્યા હતાં. 3485 જેટલા ઇમરજન્સી કેસોમાંથી રોડ અકસ્માતના 715, મારામારીના 315 અને પડી જવાના 209 કેસો નોંધાયા હતાં.

આ પણ વાંચો: અમે હોળીના છાણાં નાખવા ન ગયા, ને હોળીના જ દિવસે સવર્ણોએ વાસ પર સામૂહિક હુમલો કર્યો – દલપત ચૌહાણ

108 ઈમરજન્સી સેવા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, રાજ્યમાં આજે શુક્રવારે ધૂળેટીના દિવસે 3485 મેડિકલ ઈમરજન્સી કોલ્સ રિસિવ કરવામાં આવ્યા હતા. જેમાંથી માર્ગ અકસ્માતની ઘટનાના સૌથી વધુ 715 કોલ્સ નોંધાયા હતા. જ્યારે 360 મારામારીના અને 209 સામાન્ય ઈજાના નોંધાયા હતા.

અમદાવાદમાં સૌથી વધુ 95 માર્ગ અકસ્માત સર્જાયા

જ્યારે અકસ્માતના કેસની વાત કરીએ તો, અમદાવાદમાં 95, સુરતમાં 93, વડોદરામાં 51, રાજકોટમાં 34, દાહોદમાં 30, ખેડામાં 29, બનાસકાંઠામાં 24, પંચમહાલ-ભરૂચમાં 23-23 અને વલસાડ, નવસારી અને આણંદમાં 20-20 કોલ્સ 108 ઈમરજન્સીમાં આવ્યા હતા.
સામાન્ય રીતે રાજ્યમાં સરેરાશ 3735 ઈમરજન્સી કોલ્સ નોંધાતા હોય છે. સામાન્ય દિવસની સરખામણીએ માર્ગ અકસ્માતને લઈને 108 ઈમરજન્સીમાં નોંધાયેલા કેસમાં વધારો જોવા મળ્યો છે. જેમાં 458 સામાન્ય દિવસના કોલની તુલનાએ એક દિવસમાં 257 જેટલાં કોલ વધુ નોંધાયા હતા.

આ પણ વાંચો: મસ્જિદોને તાડપત્રીથી ઢાંકી હતી તે શાહજહાંપુરમાં પથ્થરમારો થયો

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું ગુજરાત કોંગ્રેસ અને તેના સવર્ણ નેતાઓ દલિતો સાથે ભેદભાવ રાખે છે?
0
Would love your thoughts, please comment.x
()
x