તિરુપતિમાં ભક્તોએ 5 વર્ષ સુધી ‘ચરબીયુક્ત’ લાડુનો પ્રસાદ લીધો!

તિરુપતિમાં 5 વર્ષ સુધી 'ચરબીયુક્ત' ઘીમાંથી બનેલા લાડુ બનાવવામાં આવ્યા હતા. જૈન વેપારીઓ નકલી ઘી બનાવતા હતા.
Tirupati Laddu Prasad controversy

Tirupati Laddu Prasad controversy: સવર્ણ હિંદુઓ ગાયના નામે દલિતો પર હુમલા કરતા રહે છે. ગૌમાંસ અને ગાયને લઈને તેમને જેટલી લાગણી ઉભરાય છે, તેટલી જીવતા દલિતો માટે ઉભરાતી નથી. જો ભૂલથી દલિતોને સ્પર્શ કરી જાય તો તેઓ અભડાઈ જાય છે અને ગૌમૂત્રથી પોતાને પવિત્ર કરે છે. ગાયનું દૂધ શિવલિંગ પર ચડાવે છે અને ગૌમૂત્ર પીએ છે.

હિંદુ ધર્મની આ પ્રકારની માનસિકતાનો સૌથી વધુ ભોગ દલિતો બનતા આવ્યા છે. સવર્ણ હિંદુઓ માંસાહારના બહાને દલિતો પર હુમલાઓ કરતા રહે છે. પરંતુ હવે તેમના સૌથી મોટા મંદિર ગણાતા તિરુપતિ(Tirupati)માં તેઓ ખુદ 5 વર્ષ સુધી ‘ચરબીયુક્ત’ ઘીમાંથી બનેલા લાડુનો પ્રસાદ(Laddu Prasad) આરોગી ગયા હોવાનું સામે આવ્યું છે.

5 વર્ષ સુધી ચરબીયુક્ત ઘીમાંથી લાડુ બનતા રહ્યા

આંધ્રપ્રદેશના તિરુપતિમાં ભેળસેળયુક્ત ઘીમાંથી બનેલા લાડુ અંગે ખાસ તપાસ સમિતિ(SIT) ની રચના કરવામાં આવી હતી, જેણે અનેક ખુલાસા કર્યા છે. SIT રિપોર્ટમાં જણાવાયું છે કે 5 વર્ષ સુધી ‘ચરબીયુક્ત’ ભેળસેળવાળા ઘીનો ઉપયોગ કરીને લાડુ બનાવવામાં આવ્યા હતા, અને ફક્ત ઘી ખરીદવા પર જ આશરે 250 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: રામમંદિરને 2 માસમાં 26 કરોડ દાન મળ્યું, 36 કરોડની જમીન ખરીદી

250 કરોડથી વધુ કિંમતના લાડુ મોકલાયા હતા

તિરુપતિમાં ‘ચરબીયુક્ત’ ઘીમાંથી બનેલા લાડુના પ્રસાદ અંગે SIT એ મોટો ખુલાસો કર્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી SIT એ તેના અહેવાલમાં જણાવ્યું છે કે ભેળસેળયુક્ત ઘીમાંથી બનેલા લાડુનો પુરવઠો પાંચ વર્ષ સુધી ચાલુ રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન, 250 કરોડ રૂપિયાથી વધુ કિંમતના આશરે 6 મિલિયન કિલોગ્રામ લાડુ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) ને મોકલવામાં આવ્યા હતા.

Tirupati Laddu Prasad controversy

દૂધ,માખણ ખરીદ્યું નહોતું છતાં કોન્ટ્રાક્ટ મેળવ્યો

SIT એ જણાવ્યું છે કે ઉત્તરાખંડની એક ડેરીમાંથી પાંચ વર્ષમાં આશરે 6.8 મિલિયન કિલોગ્રામ ભેળસેળયુક્ત ઘી ખરીદવામાં આવ્યું હતું. આ ડેરીનું નામ ‘ભોલે બાબા ઓર્ગેનિક ડેરી’ હતું. 2019 થી 2024 દરમિયાન આ ડેરીમાંથી ઘી સપ્લાય કરવામાં આવતું હતું. ડેરીએ ક્યારેય દૂધ કે માખણ ખરીદ્યું ન હતું. તે મોનોડાઇગ્લિસરાઇડ્સ અને એસિટિક એસિડ એસ્ટર જેવા રાસાયણિક સંયોજનોનો ઉપયોગ કરીને કૃત્રિમ ઘીનું ઉત્પાદન કરતી હતી.

જૈન ભાઈઓએ નકલી ઘીની ફેક્ટરી સ્થાપી હતી

રિપોર્ટ અનુસાર, પોમિલ જૈન અને વિપિન જૈને ઉત્તરાખંડના ભગવાનપુરમાં આ નકલી ઘી ફેક્ટરી સ્થાપી હતી. તેમણે દૂધ ખરીદીના નકલી દસ્તાવેજો બનાવ્યા હતા. આ ડેરીને 2022 માં બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી. આ પછી પણ, તેનું નકલી ઘી બીજી ડેરી દ્વારા વેચવાનું અને TTD ને સપ્લાય કરવાનું ચાલુ રાખ્યું હતું.

આ પણ વાંચો:  ગુજરાતમાં રાજકીય પક્ષોને મળેલા કુલ દાનમાંથી 99 ટકા ભાજપને

કોન્ટ્રાક્ટર મેળવવા ટ્રસ્ટીના પીએને 50 લાખની લાંચ આપી

આ કેસમાં 50 લાખ રૂપિયાની લાંચ પણ પ્રકાશમાં આવી છે. એવો આરોપ છે કે મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ વાયવી સુબ્બા રેડ્ડીના પીએ ચિન્નાપ્પન્નાને લાંચ આપવામાં આવી હતી. તે સમયે, સુબ્બા રેડ્ડી લોકસભા સાંસદ હતા અને હાલમાં રાજ્યસભા સાંસદ તરીકે સેવા આપી રહ્યા છે. અહેવાલો અનુસાર, તેમને ઉત્તર પ્રદેશની એક કંપની એગ્રી ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ₹50 લાખ રોકડા આપવામાં આવ્યા હતા.

ગયા વર્ષે ‘ચરબીયુક્ત’ લાડુનો વિવાદ થયો હતો

ગયા વર્ષે, તિરુપતિમાં ‘ચરબીયુક્ત’ લાડુના પ્રસાદને લઈને ભારે વિવાદ થયો હતો. ત્યારબાદ, સુપ્રીમ કોર્ટે રાજ્ય પોલીસ, સીબીઆઈ અને ફૂડ વિભાગના અધિકારીઓની બનેલી એક SIT ની રચના કરી હતી. તપાસમાં બહાર આવ્યું કે ચાર કંપનીઓ ઘીના સપ્લાયમાં સામેલ હતી. ટેન્ડર મેળવવા માટે કિંમતોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા અને અનેક નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભોલે બાબા ઓર્ગેનિક ડેરીમાં ઘી બનાવવા માટે પામ તેલ, ચરબી અને રસાયણોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો: મંદિરો પર I Love Mohammad લખી તણાવ ભડકાવનાર 4 હિન્દુ યુવકોની ધરપકડ

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x