તમિલનાડુમાં એક મંદિર છે, અરુલમિગુ પુથુકુડી અય્યાનાર મંદિર. મદ્રાસ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં માંગ કરવામાં આવી હતી કે અનુસૂચિત જાતિના લોકોને આ મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે. હવે કોર્ટે આ અંગે આદેશ આપ્યો છે.
મદ્રાસ હાઈકોર્ટે આ કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે જાતિ અને સમાજ માણસે બનાવ્યા છે. જ્યારે ભગવાન તટસ્થ છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે અનુસૂચિત જાતિના લોકોને મંદિરોમાં પ્રાર્થના કરવાના અધિકારથી રોકવા એ તેમના ગૌરવનું અપમાન છે. કાયદા દ્વારા શાસિત દેશમાં આ પ્રકારના પ્રતિબંધને ક્યારેય સાંખી શકાય નહીં. આમ કોર્ટે અનુસૂચિત જાતિના લોકોને મંદિરમાં પ્રવેશની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો અને તેમને તા. 16 થી 31 જુલાઈ દરમિયાન યોજાનાર રથ ઉત્સવમાં ભાગ લેવાની મંજૂરી આપી હતી.

આ મામલાની સુનાવણી કરતા કોર્ટે અધિકારીઓને મંદિર અને રથ ઉત્સવમાં બધા માટે સમાન પ્રવેશ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો. એટલું જ નહીં, જો કોઈ તેમને રોકવાનો પ્રયાસ કરે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. જસ્ટિસ એન. આનંદ વેંકટેશની સિંગલ જજની બેન્ચે કહ્યું કે, જો કોઈ મંદિર જાહેર જનતા માટે ખુલ્લું છે, તો જાતિના આધારે કોઈને તેમાં પ્રવેશતા રોકવા એ તેની ગરિમા અને કાનૂની અધિકારોનું ઉલ્લંઘન છે. કોર્ટે ‘તમિલનાડુ મંદિર પ્રવેશ સત્તાધિકારી અધિનિયમ, 1947’નો પણ ઉલ્લેખ કર્યો. આ કાયદો બધા હિન્દુઓને મંદિરોમાં પ્રવેશ અને પૂજા કરવાનો અધિકાર આપે છે.
આ પણ વાંચો: ધર્મ અને જાતિથી પરે બાળકો જ દેશની અસલી આશા છે: હાઈકોર્ટ જજ

બાર અને બેન્ચના સમાચાર અનુસાર, કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, આ કાયદો ઘણા નેતાઓના લાંબા સંઘર્ષ પછી અમલમાં આવ્યો હતો. તેઓ એ સુનિશ્ચિત કરવા માંગતા હતા કે લોકોને તેમની જાતિના આધારે મંદિરોમાં પ્રવેશ કરતા ન અટકાવવામાં આવે. રાજ્યના મંદિરોમાં અમુક વર્ગના લોકોના પ્રવેશ પર પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. તેને રોકવા માટે, રાજ્ય સરકારે આ કાયદો લાગુ કર્યો હતો.
અરજીમાં શું કહેવામાં આવ્યું હતું?
પુથુકુડી અય્યાનાર મંદિર અરિયાલુર જિલ્લાના ઉદયારપલયમ તાલુકામાં આવેલું છે. અરજદારનું કહેવું છે કે આ મંદિર પુથુકુડી ગામમાં ઘણા દાયકાઓથી અસ્તિત્વમાં છે. બધી જાતિઓ અને સમાજના ગ્રામજનો લાંબા સમયથી તેની પૂજા કરી રહ્યા છે. પરંતુ 2019 માં, કેટલાક લોકોના એક જૂથે પરિસરમાં એક નવું મંદિર બનાવવાનો નિર્ણય લઈને મંદિર વહીવટ પર કબજો કરવાનો પ્રયાસ કર્યો.
ધ હિન્દુના સમાચાર અનુસાર, અરજીમાં કહેવામાં આવ્યું હતું કે અનુસૂચિત જાતિના રહેવાસીઓએ પણ મંદિરના નિર્માણમાં આર્થિક યોગદાન આપ્યું હતું. પરંતુ તેમને મંદિરમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, મંદિર પરિસરમાં અનુસૂચિત જાતિના લોકો દ્વારા સ્થાપિત તમામ મૂર્તિઓ અને પથ્થરની રચનાઓ તોડી પાડવામાં આવી હતી.
અરજદારે એમ પણ કહ્યું હતું કે પુથુકુડી અય્યાનાર મંદિરમાં લોખંડનો દરવાજો સ્થાપિત કરવામાં આવ્યો હતો. અને અનુસૂચિત જાતિના ભક્તોને દરવાજાની બહારથી દેવતાની પૂજા કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. આરોપ મૂકવામાં આવ્યો હતો કે આવા ભેદભાવ છતાં, કાયદો અને વ્યવસ્થાની સમસ્યાના ડરથી સરકારી અધિકારીઓએ આ મામલે હસ્તક્ષેપ કર્યો ન હતો.
આ પણ વાંચો: ‘હું દલિત હોવાથી સ્વામિનારાયણની દીક્ષા ન આપી!’











*હે! દલિતો! મંદિર મંદિરની રમતો બંધ કરો, અને તમે, પરિવાર અને સમાજને મનુવાદ અને બ્રાહ્મણવાદ થી બચાવા માટે ખૂબ મહેનત કરો, આ મહેનત લેખે લાગશે. દુઃખ અને આપત્તિમાં અવશ્ય મદદમાં આવશે. જયભીમ! નમો બુદ્ધાય!
ધન્યવાદ સાધુવાદ!