બિહાર (Bihar) ના સાસારામ (Sasaram) ના કોંગ્રેસના સાંસદ મનોજ કુમાર (Congress MP Manoj Kumar) પર તાજેતરમાં હુમલો (Attack) થયો હતો. બદમાશોએ તેમના પર હુમલો કર્યો એ દરમિયાન તેમને માથામાં ઈજા થઈ. સાંસદ મનોજ કુમારે ગઈકાલે ગૃહ (Lok Sabha) માં તેમના પર થયેલા હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
સંસદમાં બનેલી ઘટનાનો ઉલ્લેખ કરતા કોંગ્રેસના સાંસદે કહ્યું, “30 જાન્યુઆરીએ મારા પર ખૂની હુમલો થયો હતો. મને દલિત અને ગરીબ સમજીને મારા પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે વહીવટીતંત્ર પણ મૂક પ્રેક્ષક બની રહ્યું. સાંસદે આરોપ લગાવ્યો કે પોલીસે તેમના જ સંબંધી અને ભત્રીજાની ધરપકડ કરી અને જેલમાં ધકેલી દીધા.
૩૦ જાન્યુઆરીએ હુમલો થયો હતો
કોંગ્રેસના સાંસદ મનોજ કુમારે વધુમાં જણાવ્યું કે 30 જાન્યુઆરીએ તેઓ તેમના નિવાસસ્થાન ખુદરાથી આવી રહ્યા હતા. ત્યારે પૈક્સ ચૂંટણી જીતનાર સુનીલ રસ્તાની વચ્ચે સરઘસ સાથે જઈ રહ્યો હતો. તે સમયે સાંસદના ડ્રાઇવરે લોકોને કહ્યું કે આ મારી શાળા છે, કૃપા કરીને ઓછો અવાજ કરો. સાંસદે કહ્યું કે તેમના ડ્રાઇવરે ઓછો અવાજ કરવાનું કહેતા ટોળાંએ તેને માર મારીને અધમૂઓ કરી દીધો હતો. એ પછી તેમનો નાનો ભાઈ આવતા ટોળું ત્યાંથી વિખેરાઈ ગયું હતું.
Sasaram sansad Manoj Kumar ram par janleva hamla !
Kudra kaimur #rahul Gandhi pic.twitter.com/L4DHA5RbEG— MITHILESH KUMAR (@MITHILE45153807) January 30, 2025
‘મારી અને મારા ભાઈની હત્યા થઈ શકે છે’
કોંગ્રેસના સાંસદે કહ્યું કે તેઓ દલિત સમાજમાંથી આવે છે અને તેમની વાત સંસદે સાંભળવી જોઈએ. તેમણે કહ્યું કે ડ્રાઈવર પર હુમલાની એ પછી, ગામના ગુંડા તત્વો તેમની શાળામાં આવ્યા અને હોબાળો મચાવવા લાગ્યા. જ્યારે તેઓ સમજાવવા માટે ત્યાં ગયા ત્યારે તેમના પર પથ્થરોથી હુમલો કરવામાં આવ્યો અને વહીવટીતંત્ર મૂક પ્રેક્ષક બનીને તમાશો જોતું રહ્યું. આ મુદ્દે સંસદમાં ભારે હોબાળો થયો.
सासाराम के कांग्रेस सांसद मनोज राम का संसद में छलका दर्द: बोले- मेरे ऊपर 30 जनवरी को जानलेवा हमला हुआ. दलित और गरीब समझकर मुझे पीटा गया. पुलिस और प्रशासन मूक दर्शक बनी रही. मेरे परिवार के लोगों को जेल में डाल दिया गया.@INCIndia @INCBihar #Bihar #BiharNews pic.twitter.com/ELNTVANK8N
— FirstBiharJharkhand (@firstbiharnews) February 11, 2025
સાંસદ મનોજ કુમારે કહ્યું કે તેમના વિસ્તારમાં ગમે ત્યારે તેમની હત્યા થઈ શકે છે. તેમણે કહ્યું કે તેમની અથવા તેમના ભાઈની ગમે ત્યારે હત્યા થઈ શકે છે. તેનો પરિવાર પણ જોખમમાં છે. તેમણે હાથ જોડીને કહ્યું, “હું વિનંતી કરું છું, હું એક દલિત, મજૂર અને ગરીબનો પુત્ર છું. મારું રક્ષણ કરવામાં આવે. ગુનેગારો ગમે ત્યારે મારી હત્યા કરી શકે છે અને તેમને બે દિવસમાં જામીન મળી જશે, તેથી મારી સુરક્ષામાં વધારો કરવામાં આવે”
આ પણ વાંચોઃ પરિવર્તનનો પવન : બિહારમાં 3 ટ્રાન્સજેન્ડરોને પહેલીવાર પોલીસમાં સામેલ કરાયા