દિલ્હી યુનિવર્સિટીમાં મનુસ્મૃતિ, રામાયણ, મહાભારત ભણાવાશે?

દિલ્હી યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં મનુસ્મૃતિ સાથે રામાયણ, મહાભારત ભણાવવાનું નક્કી કરાતા બૌદ્ધિક વર્ગે ભારે હોબાળો મચાવ્યો છે. જાણો યુનિ.એ શું નિર્ણય લીધો.
delhi university curriculum manusmriti

દેશને ફરીથી મનુવાદી-જાતિવાદી વર્ણવ્યવસ્થા આધારિત સમાજ વ્યવસ્થા તરફ ધકેલી જવાના વર્તમાન સરકારના સુનિયોજિત કાવતરાના ભાગરૂપે યુનિવર્સિટીઓના અભ્યાસક્રમોમાં વિજ્ઞાનને બદલે ધીરેધીરે મનુસ્મૃતિ, રામાયણ, મહાભારત જેવા હિંદુ કાલ્પનિક, ધાર્મિક, મનુવાદી વિચારસરણીના ગ્રંથોનો અભ્યાસ કરાવવાનું નક્કી કરાતા હોબાળો મચી ગયો છે.

દિલ્હી યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં મનુસ્મૃતિ ભણાવવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ભારે હોબાળો થતા થોડા જ દિવસમાં આ નિર્ણયને પાછો ખેંચવો પડ્યો છે. યુનિવર્સિટીના ‘ધર્મશાસ્ત્ર અભ્યાસ’ નામના નવા અભ્યાસક્રમમાં ‘મનુસ્મૃતિ’ને મુખ્ય ગ્રંથ તરીકે સામેલ કરવામાં આવી હતી, જેની સામે ભારે હોબાળો મચી ગયો હતો. જેના કારણે પછી યુનિવર્સિટીએ પોતાના નિર્ણયને પાછો ખેંચવાની ફરજ પડી છે. કુલપતિ યોગેશ સિંહે કહ્યું છે કે, મનુસ્મૃતિ યુનિવર્સિટીમાં “કોઈપણ સ્વરૂપમાં” ભણાવવામાં આવશે નહીં.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલો અનુસાર કુલપતિ યોગેશ સિંહે કહ્યું હતું કે, “અમે દિલ્હી યુનિવર્સિટીમાં મનુસ્મૃતિનો કોઈપણ ભાગ કોઈપણ સ્વરૂપમાં ભણાવીશું નહીં. આ નિર્દેશ વાઇસ ચાન્સેલરની ઓફિસ દ્વારા પહેલાથી જ જારી કરવામાં આવ્યો છે અને વિભાગોએ તેનું પાલન કરવું જોઈતું હતું.” થોડા દિવસ પહેલા આ અભ્યાસક્રમના ઉદ્દેશ્યમાં જણાવવામાં આવ્યું હતું કે “પ્રાચીન ભારતીય સમાજ અને તેના વિવિધ ભાગો સહિતનું ચિત્રણ સંસ્કૃતમાં સંકલિત ધર્મશાસ્ત્રમાં કેવી રીતે કરવામાં આવ્યું છે, તે વિદ્યાર્થીઓને શીખવવા માટે મનુસ્મૃતિનો અભ્યાસક્રમમાં સમાવેશ કરાયો હતો.”

આ પણ વાંચો: RSS કહે છે હિંદુ ધર્મગ્રંથોમાં કોઈ ‘અછૂત’ નથી, તો પછી ‘મનુસ્મૃતિ’ માં શું છે?

યુનિવર્સિટીએ મનુસ્મૃતિનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવાની જાહેરાત કરી એ સાથે જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેની ભારે ટીકા કરવામાં આવી હતી. ટીકાકારોએ કહ્યું હતું કે આ ગ્રંથ સામાજિક, આર્થિક અને લૈંગિક અસમાનતાઓને પ્રોત્સાહન આપે છે એ જાણ હોવા છતાં યુનિ. શા માટે તેને અભ્યાસક્રમમાં સામેલ કરવામાં માંગે છે? તેની પાછળ કોઈ ચોક્કસ એજન્ડા છે કે શું? આ મામલે યુનિવર્સિટીના કેટલાક ફેકલ્ટી સભ્યોએ પણ ચિંતા વ્યક્ત કરી હતી અને આ નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો.

રસપ્રદ વાત એ છે કે, રામાયણ, મહાભારત અને પુરાણો જેવા અન્ય હિન્દુ ધાર્મિક ગ્રંથોને પણ આ અભ્યાસક્રમનો ભાગ બનાવવામાં આવ્યા છે. આ અભ્યાસક્રમ ચાલુ શૈક્ષણિક સત્રમાં મુખ્ય અભ્યાસક્રમ તરીકે શરૂ કરવામાં આવ્યો છે અને તેમાં કુલ ચાર ક્રેડિટ્સ છે. આ કોર્સ એ વિદ્યાર્થીઓ માટે ખોલવામાં આવ્યો છે, જેમને સંસ્કૃતનું સામાન્ય જ્ઞાન છે.

અભ્યાસક્રમમાં પ્રાથમિક વાંચન તરીકે સમાવિષ્ટ મુખ્ય ગ્રંથોમાં આપસ્તંબ ધર્મસૂત્ર, બૌધાયન ધર્મસૂત્ર, વશિષ્ઠ ધર્મસૂત્ર, મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, નારદ સ્મૃતિ અને કૌટિલ્યના અર્થશાસ્ત્રનો સમાવેશ થાય છે.

કુલપતિ યોગેશ સિંહે હિન્દુસ્તાન ટાઇમ્સને જણાવ્યું હતું કે, “આ ગ્રંથને સંસ્કૃત વિભાગના ‘ધર્મશાસ્ત્ર અધ્યયન’ અભ્યાસક્રમમાંથી દૂર કરવામાં આવ્યો છે. ભવિષ્યમાં પણ, જો અમારા ધ્યાનમાં આવશે કે આ ગ્રંથ અભ્યાસ માટે સૂચવવામાં આવ્યો છે, તો વહીવટીતંત્ર તેને દૂર કરશે.”

જે દિવસે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ અહેવાલ આપ્યો હતો કે દિલ્હી યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગે ‘ધર્મશાસ્ત્ર અધ્યયન’ અભ્યાસક્રમના મુખ્ય અભ્યાસક્રમમાં મનુસ્મૃતિનો સમાવેશ કર્યો છે, તે જ દિવસે યુનિવર્સિટીએ સોશિયલ મીડિયા પર તેને દૂર કરવાની જાહેરાત કરી હતી.

ટીએનએને લખ્યું હતું કે, “દિલ્હી યુનિવર્સિટીમાં કોઈપણ અભ્યાસક્રમમાં મનુસ્મૃતિ શીખવવામાં આવશે નહીં. સંસ્કૃત વિભાગના ‘ધર્મશાસ્ત્ર અધ્યયન’ (DSC) અભ્યાસક્રમમાં જ્યાં મનુસ્મૃતિનો ‘રિકમેંડેડ રીડિંગ’ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેને દૂર કરવામાં આવ્યો છે.” આ પોસ્ટમાં અનેક મોટા સરકારી લોકોને પણ ટૅગ કરવામાં આવ્યા હતા. અભ્યાસક્રમમાં મનુસ્મૃતિના સમાવેશને લઈને યુનિવર્સિટીએ વ્યાપક ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો: મનુસ્મૃતિના એ કાયદા, જેણે ભારતીય સમાજમાં અસમાનતાના બીજ વાવ્યાં 

યુનિવર્સિટી દ્વારા “નવા અભ્યાસક્રમ” ની જાહેરાતના બે દિવસ બાદ તેને પાછો ખેંચી લેવો એ વાતનો સંકેત આપે છે કે આ નિર્ણય ભારે વિરોધને પગલે લેવામાં આવ્યો છે. 12 જૂનના રોજ, ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ અહેવાલ આપ્યો હતો કે દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને હવે શીખવવામાં આવશે કે વર્ણ અથવા જાતિ વ્યવસ્થા સમાજને કેવી રીતે સંગઠિત છે?, લગ્ન કેવી રીતે “સભ્ય” સામાજિક વ્યવસ્થા બનાવવામાં મદદ કરે છે? અને નૈતિકતા વ્યક્તિગત વર્તનને કેવી રીતે નિયંત્રિત કરે છે.? આ પાઠ ‘ધર્મશાસ્ત્ર અધ્યયન’ નામના નવા સંસ્કૃત અભ્યાસક્રમનો મુખ્ય ભાગ બનવાનો હતો, જેમાં ‘મનુસ્મૃતિ’ને મુખ્ય પાઠ તરીકે શામેલ કરવામાં આવી છે.

સમાચારપત્રે એમ પણ લખ્યું છે કે “મનુસ્મૃતિ, જેને પહેલા કાયદા અને ઈતિહાસના અભ્યાસક્રમમાં સામેલ કરવાના પ્રસ્તાવને અગાઉ વિરોધને પગલે વહીવટીતંત્ર દ્વારા સ્થગિત કરવામાં આવ્યો હતો, હવે ફરી એકવાર આ ચોક્કસ વિષયના અભ્યાસક્રમમાં ફરજિયાત વાંચન સામગ્રી તરીકે શામેલ કરવામાં આવ્યો છે.” આ સાથે, રામાયણ, મહાભારત અને પુરાણો જેવા અન્ય હિન્દુ ધાર્મિક ગ્રંથો, જેમની સામે પણ મનુસ્મૃતિ જેવા જ વાંધા ઉઠાવવામાં આવ્યા હતા, તેમનો પણ અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.”

ચાલુ શૈક્ષણિક સત્રમાં આ વિષય હેઠળ મુખ્ય અભ્યાસક્રમ તરીકે રજૂ કરાયેલ આ પેપર ચાર ક્રેડિટનું છે અને સંસ્કૃતનું સામાન્ય જ્ઞાન ધરાવતા અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે છે. ડિસિપ્લિન સ્પેસિફિક કોરનો અર્થ વિદ્યાર્થીએ પસંદ કરેલા અભ્યાસ ક્ષેત્રના અભ્યાસક્રમો સાથે છે, જે તેમના કાર્યક્રમ માટે ફરજિયાત છે.

આ પણ વાંચો: ગુજરાતમાં RTI કરનારને 5 પાનાં સુધીની માહિતી મફત મળશે

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x