બહુજન સમાજ પાર્ટી (BSP) ના પ્રમુખ અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતી (Mayawati) એ BSP માંથી બે મોટા નેતાઓને હાંકી કાઢ્યા છે, જેમાં તેમના ભત્રીજા અને ઉત્તરાધિકારી આકાશ આનંદ (Akash Anand) ના સસરા અશોક સિદ્ધાર્થ (Ashok Siddharth) નો પણ સમાવેશ થાય છે. બહેનજીએ બે વરિષ્ઠ બસપા નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢતા અન્ય નેતાઓમાં ખળભળાટ મચી ગયો છે.
बीएसपी की ओर से ख़ासकर दक्षिणी राज्यों आदि के प्रभारी रहे डा अशोक सिद्धार्थ, पूर्व सांसद व श्री नितिन सिंह, ज़िला मेरठ को, चेतावनी के बावजूद भी गुटबाजी आदि की पार्टी विरोधी गतिविधियों में लिप्त होने के कारण पार्टी के हित में तत्काल प्रभाव से पार्टी से निष्कासित किया जाता है।
— Mayawati (@Mayawati) February 12, 2025
માયાવતીએ પોતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર માહિતી આપી છે કે બસપા વડાએ આ નેતાઓ સામે કાર્યવાહી કેમ કરી.
માયાવતીએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, BSP દ્વારા ખાસ કરીને દક્ષિણના રાજ્યોના પ્રભારી ડૉ. અશોક સિદ્ધાર્થ, ભૂતપૂર્વ સાંસદ અને શ્રી નીતિન સિંહ, જિલ્લા મેરઠને ચેતવણીઓ આપવા છતાં જૂથવાદ જેવી પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ પક્ષના હિતમાં તાત્કાલિક અસરથી પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવે છે. બસપા વડાના આ પગલા બાદ પાર્ટીના નેતાઓમાં ગભરાટ ફેલાયો છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષો બસપા માટે સારા નથી રહ્યાં. વર્ષ 2012ની ચૂંટણી હાર્યા બાદથી BSP સત્તામાં પાછા ફરવા માટે મહેનત કરી રહી છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં બસપાને થોડી રાહત મળી હતી, પરંતુ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં બસપા ફરી હચમચી ગઈ. આ સિવાય બીએસપીએ અન્ય રાજ્યોમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું હતું પરંતુ ત્યાં પણ ખાસ સફળતા મળી નથી.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પણ બસપાએ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પરંતુ એક પણ ઉમેદવાર જીતી શક્યો નહીં. લગભગ બધા ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ ગઈ હતી. બસપા કાર્યકરોની ઉદાસીનતા અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓને કારણે બસપા સુપ્રીમોને આ નિર્ણય લેવો પડ્યો છે.
આ પણ વાંચો: હું દલિત છું…ગમે ત્યારે મારી હત્યા થઈ શકે છે