આંબેડકર જયંતિએ ડીજે વગાડતા દલિત યુવકની ગોળી મારી હત્યા

આંબેડકર જયંતીની રેલી દરમિયાન ગામના સવર્ણોએ દલિતો સાથે બબાલ કરી. વિવાદ એટલો વધી ગયો કે ફાયરિંગ થયું અને તેમાં દલિત યુવકનું ગોળી વાગવાથી મોત થઈ ગયું.
dalit youth murder

દેશભરમાં ગઈકાલે ડો.આંબેડકરની 134મી જન્મજયંતિની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જોકે મધ્યપ્રદેશના મુરૈનાના એક ગામમાં ઉત્સવનો આ તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો. કેમ કે, રેલી દરમિયાન ડીજે વગાડવાને લઈને ગામના સવર્ણોએ દલિતો સાથે બબાલ કરી હતી. જેમાં ફાયરિંગ થતા એક દલિત યુવકનું ગોળી વાગતા મોત થઈ ગયું હતું, જ્યારે બે લોકો ઘાયલ થયા હતા. ઘટના બાદ ગામમાં ભારે તણાવની સ્થિતિ છે અને મોટાપાયે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

મામલો મધ્યપ્રદેશના મુરૈનાના હિંગોણા ખુર્દ ગામનો છે. મળતી માહિતી મુજબ, જાટવ સમાજના લોકો સોમવારે 14મી એપ્રિલે ડૉ.આંબેડકરની જન્મ જયંતી પર રેલી કાઢી રહ્યા હતા. રેલીમાં ડીજે પર ડો.આંબેડકરના ગીતો વાગી રહ્યા હતા અને જાટવ સમાજના લોકો નાચી રહ્યા હતા. જે ગામના ગુર્જરોને ગમ્યું નહોતું. તેમણે ડો.આંબેડકરની રેલીનો વિરોધ કર્યો અને તેમને ડીજે વગાડતા અટકાવ્યા. આખો વિવાદ અહીંથી શરૂ થયો અને હિંસક બની ગયો.

ગુર્જરો બાળકનો જન્મદિવસ ઉજવી રહ્યા હતા

મળતી માહિતી મુજબ, ગુર્જર સમાજના એક ઘરમાં બાળકનો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો હતો. એટલા માટે તેમણે દાદાગીરી કરીને રેલીમાં વાગતા ડીજે સામે વાંધો ઉઠાવ્યો હતો. આ મામલે પહેલા ગાળાગાળી શરૂ થઈ અને પછી બબાલ એટલી વધી ગઈ કે ગુર્જરોએ દલિત સમાજ પર ગોળીબાર કરી દીધો.

dalit youth murder

યુવાનોએ અચાનક ગોળીબાર કર્યો

રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ પરિસ્થિતિ અચાનક વધુ વણસી ગઈ. એવો આરોપ છે કે બબાલ દરમિયાન કેટલાક ગુર્જર યુવાનોએ અચાનક ગોળીબાર શરૂ કરી દીધો હતો. ગોળી વાગવાથી સંજય પિપ્પલ નામના દલિત યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે રાનુ દૌનેરિયા ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો.

આ પણ વાંચો: માય લોર્ડ, સામાજિક ન્યાયનો ભાર દલિતો-આદિવાસીઓને ખભે શા માટે?

ઘાયલ યુવક રાનુને પહેલા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને ત્યાંથી પછી ગ્વાલિયર રિફર કરવામાં આવ્યો. અન્ય એક વ્યક્તિ પણ ઘાયલ થઈ છે.

ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું

આ ઘટના બાદ ગામમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબુમાં લીધી છે. શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે મુરૈનાથી પોલીસ ફોર્સ બોલાવવામાં આવી છે અને ગામમાં સુરક્ષા વધારીને ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.

આ પણ વાંચો: શાળામાં સરસ્વતી પૂજાને લઈને બબાલ, દલિતોના બાઈક સળગાવ્યા

3.3 3 votes
Article Rating
Subscribe
Notify of
guest
2 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
1 month ago

*પુનર્જન્મ વિષે કોઈ વ્યક્તિ માંગણી કરે તો હિન્દુસ્તાન સહિત સાર્ક દેશો સિવાયનાં કોઈ પણ સમૃદ્ધ દેશોમાં આખરી ઈચ્છા રાખશે! તે ચોક્કસ છે, પરંતુ અસહિષ્ણુતા, અસલામતી, અસુરક્ષિત અને અંધશ્રધ્ધા/અંધવિશ્વાસથી પીડાતાં દેશમાં હરગીઝ નહિ!
જય સંવિધાન જય ભારત જય લોકતંત્ર!

Soma parmar
Soma parmar
1 month ago

Kem Dalito,, aadivashio uper aatala ,, Hindu astankvadio atyachar kare che?? Su sarkar nathi jo time??

ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
2
0
Would love your thoughts, please comment.x
()
x