દલિત સગીરા પર બ્રાહ્મણ યુવકે રેપ કરી બ્લિડીંગ બંધ ન થતા ઝાડીમાં ફેંકી દીધી

બ્રાહ્મણ યુવકે દલિત દીકરી પર મિત્ર સાથે મળી રેપ કર્યો. બળાત્કાર બાદ સગીરાને બ્લિડીંગ બંધ ન થતા ઝાડીમાં ફેંકી દીધી. 10 ટાંકા પછી પણ હાલત ગંભીર.
dalit news

બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં એક દલિત સગીરા પર બળાત્કારનો મામલો પ્રકાશમાં આવ્યો છે. મુઝફ્ફરપુરના ઔરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 15 વર્ષની છોકરી સાથે એક જ ગામના બે યુવાનોએ આ દુષ્કર્મ કર્યું અને પછી તેને મારી નાખવાના ઇરાદાથી તેના પર ગંભીર હુમલો કર્યો. છોકરી ગંભીર રીતે ઘાયલ થઈ જતા બદમાશોએ તેને નિર્જન જગ્યાએ ફેંકી દીધી હતી.

10 ટાંકા લીધા પછી પણ સગીરાની હાલત નાજુક

પરિવાર દ્વારા ઘણી શોધખોળ કર્યા પછી પીડિતા સીતામઢીના પુપરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જખ્મી હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ તેને તાકીદે સીતામઢી સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ તેને મુઝફ્ફરપુરના SKMCH રિફર કરવામાં આવી હતી. ડોક્ટરોએ ન્યુરોસર્જનનો સંપર્ક કર્યો છે. પીડિતા હજુ પણ બેભાન છે. આ કેસમાં 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રવિવારે સવારે સગીરા ઝાડીઓમાંથી મળી આવી હતી. 24 કલાક પછી તે ભાનમાં આવી હતી. તેના માથા પર 10 ટાંકા આવ્યા છે. તેની હાલત હજુ પણ ગંભીર છે.

આ પણ વાંચો: દલિત યુવતીનું ગળું કાપી હત્યા કરનારને કોર્ટે ફાંસીની સજા કરી

પીડિતાની માતાએ જણાવ્યું હતું કે તેની પુત્રી 26 જુલાઈના રોજ સવારે 11 વાગ્યે તેનો મોબાઈલ રિપેર કરાવવા માટે ઘરેથી નીકળી હતી. તે રાત સુધી ઘરે પાછી ન આવી. ત્યારબાદ તેની શોધખોળ શરૂ થઈ. આખી રાત તેની શોધખોળ કરવામાં આવી, પરંતુ કંઈ મળ્યું નહીં. 27 જુલાઈના રોજ સવારે અમને જાણ કરવામાં આવી કે અમારી દીકરીને સીતામઢીની એક હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવી છે. ત્યાં પહોંચતા તે બેભાન હાલતમાં મળી આવી હતી.

આરોપીએ બ્રાહ્મણ યુવકે બળાત્કારનો ગુનો કબૂલ્યો

મોબાઈલ દુકાનદાર પિન્ટુ શર્મા અને તેના સાથી ગણેશ કુમાર સાહ બાજુમાં આવેલા મેરે ગામના વતની છે. સગીરા મિન્ટુ શર્માની દુકાને તેનો મોબાઈલ રિપેર કરાવવા ગઈ હતી. એવો આરોપ છે કે પિન્ટુ શર્માએ તેના પર બળાત્કાર કર્યો હતો. સગીરા શનિવારે સવારે 11 વાગ્યે ઘરેથી નીકળી ગઈ હતી. રાત્રે 12 વાગ્યે દુકાનમાં તેના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. 12.30 વાગ્યે, આરોપી તેના સાથી ગણેશ સાથે અલ્ટો કારમાં તેને ઉપાડી ગયો હતો. રવિવારે, તેણીને સીતામઢીમાં નેશનલ હાઇવે 527-સી પર ઝાડીઓમાં ફેંકી દેવામાં આવી હતી. રવિવારે બપોરે 2 વાગ્યે પરિવારને આ વાતની જાણ થઈ. સગીરાની સારવાર હજુ પણ SKMCH માં ચાલી રહી છે.

પોલીસ પૂછપરછમાં, આરોપી મિન્ટુ શર્માએ જણાવ્યું કે સગીરા તેનો મોબાઇલ રિપેર કરાવવા માટે તેની દુકાન પર આવી હતી. ત્યારબાદ તે તેના સાથી ગણેશ સાથે તેને હાઇવે પર લઈ ગયો હતો. જ્યાં તેના પર બળાત્કાર કર્યો હતો. જ્યારે તેણીને ભારે બ્લિડીંગ થવા લાગ્યું, ત્યારે તેને ઉપાડીને જિલ્લાની સરહદ પર ઝાડીઓમાં ફેંકી દીધી.

પોલીસે શું જણાવ્યું?

આ કેસમાં, ASP પૂર્વી સહરિયાર અખ્તરે જણાવ્યું હતું કે, ‘૨૭ જુલાઈના રોજ ઔરાઈ પોલીસ સ્ટેશનમાં અપહરણનો કેસ નોંધવામાં આવ્યો હતો. જે લોકોના આ કેસમાં નામ આવ્યા છે તેમની તાત્કાલિક અટકાયતમાં કરવામાં આવી છે. પીડિતા સીતામઢી જિલ્લાના પુપરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેભાન હાલતમાં મળી આવી હતી. બેભાન હોવાને કારણે તેની સાથે વાત કરી શકાઈ નહોતી. ત્યાંથી તેણીને SKMCH રિફર કરવામાં આવી છે. બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પીડિતાની સારવાર અને આગળની કાર્યવાહી ચાલુ છે.

આ પણ વાંચો: વિધિના નામે તાંત્રિકે મહિલાને ટોઈલેટનું ગંદુ પાણી પીવડાવતા મોત

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Soma parmar
Soma parmar
2 days ago

Ye Hindu jatankvadi hai or aatankvadi ki paidash hai or ye log uresia ki auolad hai

તમારા મતે બહુજન સમાજ માટે સૌથી મહત્વના મુદ્દા ક્યા છે?
1
0
Would love your thoughts, please comment.x
()
x