તેલંગાણા(Telangana)માં કોંગ્રેસ (Congress)સરકારે સોમવારે એક મોટું ચૂંટણી વચન પૂર્ણ કર્યું. સીએમ રેવંત રેડ્ડીએ (CM Revanth Reddy) સત્તામાં આવ્યા બાદ જાતિગત વસ્તી ગણતરી (caste census) કરાવવાની જાહેરાત કરી હતી. પાર્ટીએ કહ્યું હતું કે તે વસ્તી ગણતરી પછી OBC માટે અનામત વધારશે. જાતિ સર્વેક્ષણમાં OBC (other backward class) ની સંખ્યા 56.33 ટકા હોવાનું બહાર આવ્યું હતું. એ પછી રેવંત રેડ્ડીએ વિધાનસભામાં નવા જાતિ સર્વેક્ષણનું સંક્ષિપ્ત વર્ણન રજૂ કર્યું હતું. રેવંત રેડ્ડીની જાહેરાત પછી સોમવારે વિધાનસભામાં OBC માટે 42 ટકા બેઠકો અનામત રાખવાનું બિલ પસાર થયું. ઉલ્લેખનીય છે કે બિહાર પછી, તેલંગાણા બીજું રાજ્ય છે જેણે જાતિગત સર્વેક્ષણ કરાવ્યું છે.
સીએમ રેડ્ડીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી
સીએમ રેવંત રેડ્ડીએ શિક્ષણ, નોકરીઓ અને રાજકીય પ્રતિનિધિત્વમાં OBC સમુદાય માટે 42 ટકા અનામત સુનિશ્ચિત કરવાની જાહેરાત કરી. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું, તેલંગાણાને ભારતમાં સામાજિક ક્રાંતિનું નેતૃત્વ કરવાનો ગર્વ છે. મારા માટે એ સન્માનની વાત છે કે આપણે ભારતની સ્વતંત્રતા પછી પછાત વર્ગોની સૌથી લાંબી માંગણી પૂર્ણ કરી રહ્યા છીએ. પછાત વર્ગમાંથી આવતા આપણા ભાઈ-બહેનોની માંગ હતી કે તેમની ગણતરી સત્તાવાર વસ્તી ગણતરીમાં કરવામાં આવે અને તેમને માન્યતા આપવામાં આવે અને આજે આપણને આ મહત્વપૂર્ણ મુદ્દા પર સફળતા મળી રહી છે. તેમણે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું, ‘દેશના ઇતિહાસમાં પહેલીવાર, અમે નબળા વર્ગોનો હિસાબ ચૂકવ્યો છે. આપણે તેમના અધિકારોને કાયદેસર બનાવી રહ્યા છીએ.
దేశ చరిత్రలో మొదటి సారి
బలహీన వర్గాల లెక్కలు తేల్చాం…
హక్కులకు చట్టబద్ధత ఇస్తున్నాం…#TelanganaRising #TelanganaCasteSurvey #CasteCensus #SocialJustice pic.twitter.com/9DAvlsm1IT— Revanth Reddy (@revanth_anumula) March 17, 2025
વિધાનસભામાં ચર્ચા બાદ બિલ પસાર થયું
રેવંત રેડ્ડી સરકારે સોમવારે વિધાનસભામાં તેલંગાણા પછાત વર્ગો (ગ્રામીણ અને શહેરી સ્થાનિક સંસ્થાઓમાં બેઠકોની અનામત) બિલ, 2025 રજૂ કર્યું. ચર્ચા બાદ આ બિલ પસાર કરવામાં આવ્યું. તે ધ્વનિ મતદાનથી પસાર થયું. સત્ર દરમિયાન તેલંગાણા અનુસૂચિત જાતિ (અનામતનું યુક્તિકરણ) બિલ 2025, અને તેલંગાણા પછાત વર્ગો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ શૈક્ષણિક સંસ્થાઓમાં બેઠકોમાં અનામત અને રાજ્ય બિલ, 2025 હેઠળ સેવાઓમાં નિમણૂકો અથવા પોસ્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા. પછાત વર્ગ અનામતની ચર્ચા પર, બીઆરએસ કરીમનગરના ધારાસભ્ય ગંગુલા કમલાકરે વિગતવાર જણાવ્યું કે તમિલનાડુમાં પછાત વર્ગ અનામત સફળતાપૂર્વક લાગુ કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રીએ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો
સીએમ રેવંત રેડ્ડીએ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો અને કહ્યું કે આ એક મોટું પગલું છે જે રાજ્યના સામાજિક અને આર્થિક માળખામાં પરિવર્તન લાવશે. તેમણે તમામ નાગરિકોને આ ઐતિહાસિક પગલાને સમર્થન આપવા અને તેને પોતાના જીવનનો એક ભાગ બનાવવા અપીલ કરી. સરકારના આ નિર્ણય બાદ, તેલંગાણાના OBC સમાજને વિવિધ સરકારી સેવાઓ અને તકોમાં સમાન ભાગીદારી મળશે.
આ પણ વાંચોઃ દલિત વિરોધી કૉંગ્રેસ : તેલંગાણામાં SC પેટા વર્ગીકરણ મંજૂર