બે મહિલાઓએ આતંકવાદીઓને જોયા હોવાના દાવાથી ખળભળાટ

જમ્મુ કશ્મીરની એક સ્થાનિક અને કશ્મીરથી પરત ફરેલી યુપીની એક મહિલાએ દાવો કર્યો છે કે હુમલા પહેલા તેમણે આતંકવાદીઓને જોયા હતા.
Pahalgam terror attack a

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત બાદ હવે પોલીસે આતંકવાદીઓને શોધી કાઢવામાટે સર્ચ ઓપરેશન ઝડપી તેજ કર્યું છે ત્યારે કઠુઆ જિલ્લામાં એક મહિલાએ દાવો કર્યો છે કે તેણે હુમલામાં સામેલ આતંકવાદીઓને જોયા હતા. આ સિવાય યુપીની એક મહિલાએ પણ આતંકવાદીઓના સ્કેચ જારી થયા બાદ તેમાંના બેને ઓળખતી હોવાનો દાવો કર્યો છે.

પહેલગામમાં પ્રવાસીઓ પર હુમલો કરનારા ત્રણ આતંકવાદીઓનો સ્કેચ જાહેર કરવામાં આવ્યો છે. સરકારે આતંકવાદીઓ પર 20 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. આ દરમિયાન, જમ્મુ-કાશ્મીરથી પરત આવેલી યુપીના જૌનપુર જિલ્લાની રહેવાસી એકતા તિવારી નામની એક મહિલાએ પણ મોટો દાવો કર્યો છે. તેણે કહ્યું કે જે આતંકવાદીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે, તેમાંથી બે આતંકીઓએ તેમના ગ્રુપના લોકો સાથે ઝઘડો થયો.

એકતા તિવારીએ જણાવ્યું કે 13 એપ્રિલે અમારું 20 લોકોનું ગ્રુપ જમ્મુ-કાશ્મીરમાં વિવિધ સ્થળોએ ફરવા ગયું હતું. મુસાફરી કરતા કરતા અમે 20 એપ્રિલે પહેલગામ પહોંચ્યા હતા. પરંતુ તે જ દિવસે અમને મામલો થોડો શંકાસ્પદ જણાયો હતો. જેના કારણે અમે બધા હુમલાના વિસ્તારથી લગભગ 500 મીટર પહેલા બૈસરન ખાતે ઉતર્યા હતા.

એકતા તિવારીએ આગળ જણાવ્યું કે ખચ્ચર પર બેસતી વખતે બે લોકો અમને મળ્યા હતા. તેમણે પહેલા મારા વિશે પૂછ્યું અને બાદમાં મને પૂછ્યું કે તમારા ગ્રુપમાં કેટલા લોકો છે. એ દરમિયાન તેમણે અમને પૂછ્યું કે તમારો ધર્મ શું છે? તમે હિન્દુ છો કે મુસ્લિમ, તે સિવાય તેમણે મને કુરાન વાંચવાનું કહ્યું અને એ પણ પૂછ્યું કે હું રુદ્રાક્ષ કેમ પહેરું છું. એ દરમિયાન મારા ભાઈએ તેમને જવાબ આપ્યો હતો અને અમારો તેમની સાથે ઝઘડો પણ થયો હતો. એ પછી અમે ત્યાંથી નીચે ઉતર્યા અને બીજા ખચ્ચર માલિકોની મદદથી પાછા ફર્યા.

એકતા તિવારીનો દાવો છે કે તેમની સાથે ઝઘડો થયા પછી તે વ્યક્તિઓમાંથી એકને કોઈનો ફોન આવ્યો હતો. એ પછી તેણે તરત દૂર જઈને કોલ પર કહ્યું હતું કે, ‘પ્લાન એ’ ફેઈલ થઈ ગયો છે. એ દરમિયાન તેણે ખીણમાં 35 બંદૂકો મોકલવા અંગે પણ ચર્ચા કરી હતી. જે સાંભળીને અમારી શંકા વધુ ઘેરી બની હતી. હુમલા બાદ આતંકવાદીઓના સ્કેચ જાહેર થયા પછી મેં તેને ઓળખી કાઢ્યો છે.

આ તરફ જમ્મુ અને કાશ્મીર પોલીસનું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ઘટનાસ્થળે પહોંચી ગયું છે અને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યું છે. કઠુઆ ઉપરાંત પુલવામા અને બારામુલ્લામાં પણ આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે, 22 એપ્રિલ 2025 ના રોજ, જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. એ પછી આતંકવાદીઓ સ્થળ પરથી ભાગી જવામાં સફળ રહ્યા હતા. હવે ભારતીય સેન્ય આતંકવાદીઓને શોધવા માટે સ્થાનિક પોલીસ સાથે મળીને કાર્યવાહી કરી રહી છે.

આ પણ વાંચો: ‘બંધારણ લખનારા મૂર્ખ હતા’ -સુરત ઈસ્કોનના કથાકાર ચંદ્ર ગોવિંદ દાસનો બફાટ

દરમિયાન, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ શુક્રવારે કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ દરેક ગુનેગારને શોધી કાઢવા જોઈએ. તેમણે કહ્યું કે હુમલાખોરોને આ કાયરતાપૂર્ણ કૃત્યની ભારે કિંમત ચૂકવવી પડશે. લેફ્ટનન્ટ ગવર્નરે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સહિત ટોચના લશ્કરી અધિકારીઓ સાથે સુરક્ષા સમીક્ષા બેઠક યોજી હતી. લગભગ એક કલાક ચાલેલી બેઠકમાં ઉપરાજ્યપાલે સેના પ્રમુખને પહેલગામ આતંકવાદી હુમલા માટે જવાબદાર લોકોને ન્યાયના કઠેડામાં લાવવા માટે અસરકારક પગલાં લેવા અને આતંકવાદના પાયાને અને અર્થતંત્રને કચડી નાખવાના પ્રયાસોને વધુ તીવ્ર બનાવવા જણાવ્યું હતું.

બેઠક દરમિયાન સિંહાએ કહ્યું કે દેશને સેના, પોલીસ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની બહાદુરી અને હિંમત પર સંપૂર્ણ વિશ્વાસ છે અને આ બધી એજન્સીઓએ સંયુક્ત રીતે પહેલગામ આતંકવાદી હુમલાના ગુનેગારો અને મદદગારોની ઓળખ કરવી જોઈએ અને તેમના સમગ્ર નેટવર્કને ખતમ કરવા માટે સતત કાર્યવાહી કરવી જોઈએ. શુક્રવારે આર્મી ચીફ ખીણ વિસ્તારમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે પહેલગામ હુમલા પછીની પરિસ્થિતિનો અભ્યાસ કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે સેના પ્રમુખ જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરશે અને ઉચ્ચ લશ્કરી અધિકારીઓ તેમને હુમલા પછી લેવામાં આવેલા પગલાં વિશે માહિતી આપશે.

આ પણ વાંચો: ઓઢવ ચર્ચ ગુંડાગીરી મામલે પોલીસનું ‘જૂઠ્ઠાણું’ પકડાયું?

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x