પાલનપુરના દલિત પોલીસકર્મીએ SP-PIના ત્રાસથી આપઘાત કર્યો?

કચ્છના નલિયામાં નોકરી કરતા પાલનપુરના દલિત પોલીસકર્મીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓના ત્રાસથી ગળેફાંસો ખાઈ લીધો.
palanpur dalit police sucide

પાલનપુરમાં દલિત સમાજમાંથી આવતા એક પોલીસકર્મીએ ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૂળ પાલનપુરના  વિંદલ ચૌહાણ કચ્છના નલિયામાં ફરજ બજાવતા હતા, ત્યાંથી તેમને સસ્પેન્ડ કરીને તાત્કાલિક સુરત ગ્રામ્યમાં મોકલી દેવાયા હતા. અહીં હાજર થયા બાદ તેઓ વતન પાલનપુર આવ્યા હતા અને ગળેફાંસો ખાઈ લીધો હતો. મૃતકના પરિવારજનોનું કહેવું છે કે, તેણે સ્યુસાઈડ નોટ લખી છે અને તેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તેને હેરાન કરવામાં આવતો હોવાથી આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું છે. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

palanpur dalit police sucide

મળતી માહિતી મુજબ અબડાસાના જખૌ ખાતે ગત એપ્રિલમાં મધ્ય રાત્રે બંદોબસ્તમાં આવેલા હેડ કોન્સ્ટેબલ વિંદલરાજ રમેશચંદ્ર ચૌહાણે નલિયામાં નશાયુક્ત હાલતમાં પકડાયા બાદ આજે તેણે પોતાના ઘરે પાલનપુરમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મૃતકે લખેલી કથિત સ્યૂસાઇડ નોટમાં પશ્ચિમ કચ્છના પોલીસ અધિકારી સહિત અન્ય પોલીસ કર્મચારી તથા મેડિકલ ઓફિસર સામે ગંભીર આક્ષેપ કરાયા હોવાથી કચ્છ સહિત ગુજરાત પોલીસ દળમાં ચકચાર મચી છે.

વિંદલ ચૌહાણની કચ્છથી સુરત બદલી કરાઈ હતી

સાત વર્ષથી પશ્ચિમ કચ્છ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા વિંદલરાજને જખૌમાં આયોજિત ધાર્મિક સમારોહમાં બંદોબસ્ત માટે તૈનાત કરાયા હતા, ફરજ પૂરી થયા બાદ તા. 29-4ના મધ્ય રાત્રે અર્ટિગા કારમાં તે તથા ડ્રાઇવર રણજિત મહેશ્વરી નલિયા તરફ જતા હતા ત્યારે નલિયાના અબડા દાદા સર્કલ પાસે બંને દારૂના નશામાં મળી આવતાં બેઉ સામે અલગ-અલગ ફરિયાદો નોંધાઇ હતી. આ બનાવ બાદ વિંદલરાજને પોલીસ અધિકારીએ સસ્પેન્ડ કરી દીધો હતો અને બાદમાં તેની સુરત ગ્રામ્યમાં બદલી કરી દેવાઇ હતી. દરમ્યાન પાલનપુર રહેતા વિંદલરાજે ગત રાત્રે ઘરે પંખામાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે આક્ષેપ

આ ઘટના સંદર્ભે પરિવારજનોએ પણ ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પર આરોપ લગાવ્યો છે. પરિવારે કહ્યું કે, વિંદલરાજે આપઘાત કરતાં પહેલાં એક સ્યૂસાઇડ નોટ લખી હતી, જેમાં પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાના ઉચ્ચ અધિકારી તથા અન્ય એક અધિકારી દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. સ્યૂસાઇડ નોટમાં પોલીસ અધિકારી અને અન્ય પોલીસ સામે નામજોગ આક્ષેપ કરાયા છે.

આ પણ વાંચો: 14મી એપ્રિલે દલિત વરરાજા જાન લઈને મંદિરે ગયા, પછી શું થયું

ગુજરાતમાં પોલીસમાં ચકચાર જગાવનારા કોન્સ્ટેબલના ચકચારી આપઘાતની ઘટનામાં બનાસકાંઠા એએસપી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પોલીસ કોન્સ્ટેબલ વિંદલરાજના આપઘાત મુદ્દે અકસ્માત મોત અંગેની ફરિયાદ હાલ તુરત દાખલ કરવામાં આવી છે. હજુ સુધી પોલીસને કોઇ સ્યૂસાઇડ નોટ મળી નથી તેમજ આ ઘટના અંગે તપાસ કરવામાં આવી નથી. દરમ્યાન મોડેથી મૃતક હતભાગી પોલીસ કર્મચારીના પરિવારે એવો આરોપ મૂક્યો હતો કે, પોલીસ તેમની ફરિયાદ લેતી નથી.

મૃતકના પરિવારજનોનો હોસ્પિટલમાં આક્રંદ અને આક્રોશ

બીજી તરફ આ ઘટનાને લઈને મૃતક વિંદલ ચૌહાણના પરિવારજનો અને દલિત સમાજના લોકોએ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે આક્રોશ વ્યક્ત કરી હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોએ પાલનપુર સિવિલ હોસ્પિટલમા ધરણા કરીને જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલા લેવાની માંગ કરી છે. પરિવારજનોએ પણ ઉપરી પોલીસ અધિકારીઓ સામે આરોપ લગાવવામાં આવ્યા છે.

અમારે ન્યાય જોઈએ છેઃ વિંદલ ચૌહાણના પિતા

મૃતક પોલીસકર્મી વિંદલ ચૌહાણના પિતાએ જણાવ્યું હતું કે, મારો પુત્ર વિંદલ કચ્છ-ભુજ ખાતે પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતો હતો. એક મહિના પહેલા તેની સામે એક કેસ કરવામાં આવ્યો હતો અને વિકાસ તુંડા સાહેબ દ્વારા તેની કચ્છ-ભુજ ખાતેથી બદલી કરી સુરત ગ્રામ્યમાં મોકલી આપી માનસિક રીતે હેરાન કરવામાં આવ્યો હતો. તેને સુરત ગ્રામ્યએ તાત્કાલીક હાજર થવાનો ઓર્ડર આપ્યો હતો, તેને એક-બે દિવસનો ટાઈમ પણ આપવામાં આવ્યો નહોતો. તેથી તે તાત્કાલિક સુરત ખાતે હાજર થઈ ગયો હતો. સુરત પહોંચીને તે રજા ઉપર ઘરે પરત આવ્યો હતો અને અહીં તેણે ઉચ્ચ પોલીસ અધિકારીઓના ત્રાસને કારણે આપઘાત કરી લીધો હતો. અમારે ન્યાય જોઈએ છે અને જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી છે.

જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે- વિંદલ ચૌહાણના કાકા

વિંદલ ચૌહાણના કાકાએ જણાવ્યું હતું કે, મારો ભત્રીજો છેલ્લાં સાત વર્ષથી ભુજ ખાતે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો. છેલ્લાં એક વર્ષથી તેને ઉપરી અધિકારીઓ દ્વારા સતત માનસિક રીતે હેરાન કરવામાં આવતો હતો. જેનાથી તે સતત તાણમાં રહેતો હતો. સામાન્ય ગુનામાં તેની છેક સુરત ખાતે તાત્કાલિક બદલી કરી દેવામાં આવી હતી. આમ માનસિક ત્રાસના કારણે ઘરે આવીને તેણે આપઘાત કરી લીધો હતો. અમને તેની સ્યૂસાઈડ નોટ મળી છે અને તેથી અમારી વિનંતી છે કે, અમારી FIR નોંધીને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવે.

વિંદલ ચૌહાણ સામે 66/2 મુજબ ફરિયાદ થઈ હતી

મહત્વપૂર્ણ છે કે, મૃતક વિંદલ ચૌહાણ કચ્છ-ભુજ ખાતે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા જેમની હાલમાં જ સુરત ગ્રામ્ય વિસ્તારમાં બદલી કરવામાં આવી હતી. અને તેમણે પાલનપુર સ્થિત પોતાના ઘરે અંતિમ પગલું ભરી લીધું હતું. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આપઘાત પહેલા વિંદલ ચૌહાણે એક સ્યૂસાઈડ નોટ લખી હતી. જેમાં તેમણે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે માનસિક ત્રાસ આપવા સહિતના ગંભીર આક્ષેપો કરાયા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. મૃતક પોલીસકર્મી વિંદલ ચૌહાણ સામે 66/2 મુજબ ફરિયાદ થઈ હતી, ત્યાર બાદ તેની સુરત ગ્રામ્ય ખાતે બદલી કરી દેવામાં આવી હતી. તેઓ પાલનપુર તાલુકાના જગાણા ગામના વતની હતા.

આ પણ વાંચો: પાટણના ભીલવણમાં લગ્નમાં ડીજે મુદ્દે દલિતો પર મુસ્લિમોનો હુમલો

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું ગુજરાત કોંગ્રેસ અને તેના સવર્ણ નેતાઓ દલિતો સાથે ભેદભાવ રાખે છે?
0
Would love your thoughts, please comment.x
()
x