Prayagraj Bolero-bus accident: ભારતની ધર્માંધ પ્રજા આસ્થાના નામે સામાન્ય સમજણ પણ ગુમાવી ચૂકી હોય તેવી સ્થિતિ હાલ મહાકુંભમાં જોવા મળી રહી છે. ટોળાશાહીને પ્રોત્સાહન આપતી સરકાર ભીડ ભેગી કર્યા બાદ અરાજકતા ફેલાતા વહીવટમાંથી હાથ ઉંચા કરી દે છે અને તેનો ભોગ છેલ્લે નિર્દોષ લોકો બને છે. હમણાં કુંભમાં થયેલી ભાગદોડમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા હતા. હજારો લોકો ગુમ થયા ત્યારે સરકારે યોગ્ય વ્યવસ્થા કરવાને બદલે મૃતકોના આંકડાઓ છુપાવ્યાનું કૃત્ય કર્યું.
આ સિવાય કુંભ તરફ આવતા-જતા અનેક વાહનોને પણ અલગ અલગ રાજ્યોના હાઈવે પર અકસ્માત નડ્યો છે અને તેમાં પણ અનેક લોકોના જીવ ગયા છે. હવે આવી જ વધુ એક ઘટના કુંભના સ્થાન પ્રયાગરાજ (Prayagraj) માં બની છે. જ્યાં ગઈકાલે રાત્રે લગભગ 2.30 વાગ્યે એક બોલેરો કાર બસ (Bolero-bus accident) સાથે અથડાઈ ગઈ. આ અકસ્માતમાં 10 લોકોના મોત (10 dead) થયા છે, જ્યારે 19 લોકો ઘાયલ (19 injured) થયા છે. જે લોકોએ જીવ ગુમાવ્યો છે તે બધા બોલેરોમાં મુસાફરી કરી રહ્યા હતા અને છત્તીસગઢના કોરબા જિલ્લામાંથી મહાકુંભમાં આવી રહ્યા હતા. આ અકસ્માત પ્રયાગરાજ-મિર્ઝાપુર હાઇવે પર મેજા વિસ્તારમાં થયો હતો.
#UttarPradesh ના પ્રયાગરાજમાં મધરાતે બોલેરો કાર અને બસ વચ્ચે ભીષણ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. 19 લોકો ઘાયલ.#prayagrajaccident #MahaKumbh2025 #khabarantar pic.twitter.com/msTDtz1XSe
— khabar Antar (@Khabarantar01) February 15, 2025
ઘાયલ થયેલા 19 લોકો બસમાં સવાર હતા અને મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના રહેવાસી છે. સંગમમાં સ્નાન કરીને તેઓ વારાણસી જઈ રહ્યા હતા. ટક્કર એટલી ગંભીર હતી કે બોલેરોને ભારે નુકસાન થયું છે. ભક્તો પટકાઈને રસ્તા પક પટકાયા હતા. કોઈનો હાથ તૂટી ગયો હતો તો કોઈનું માથું ફાટી ગયું હતું. ઘણા લોકો બોલેરોમાં ફસાઈ ગયા. બોલેરોમાંથી મૃતદેહો કાઢવામાં અઢી કલાક લાગ્યા.
આ પણ વાંચો: કુંભ મેળા વાળી મોનાલીસા કઈ જાતિની છે?
યમુના પાર વિસ્તારના એસપી વિવેક યાદવે જણાવ્યું હતું કે બોલેરોમાં સવાર બધા મુસાફરો પુરુષો હતા. તેની ગતિ ખૂબ જ વધારે હતી. બસ ડ્રાઈવરે બ્રેક લગાવી, પણ સામેથી આવતી બોલેરો બસ સાથે અથડાઈ ગઈ. મૃતકો કોરબાના દર્રી અને જાંજગીર ચાંપા જિલ્લાના રહેવાસી હતા. બે પરિવારના સભ્યો સાથે આવ્યા હતા.
કમિશનર તરુણ ગાબા અને ડીએમ રવિન્દ્ર કુમાર માંદડ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઘાયલોને રામનગર સીએચસીમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ, બધાને સ્વરૂપ રાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. દરમિયાન, પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
બોલેરોને ગેસ કટરથી કાપી એ પછી મૃતદેહો બહાર કાઢી શકાયા હતા. નજરે જોનાર એક વ્યક્તિએ કહ્યું: અકસ્માતનો અવાજ સાંભળીને અમે ઘટનાસ્થળે દોડી ગયા. જોયું કે બોલેરોમાં મૃતદેહો ખરાબ રીતે ફસાયેલા હતા. એ પછી પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ ગેસ કટર અને એમ્બ્યુલન્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ.
અકસ્માત સમયે બસમાં મોટાભાગના લોકો ઊંઘી રહ્યા હતા
ઘાયલ ભક્ત રોડમલે જણાવ્યું કે અકસ્માત સમયે બસમાં મોટાભાગના લોકો ઊંઘી રહ્યા હતા. અચાનક એક ભયંકર અથડામણ થઈ. તે સમયે હું જાગતો હતો અને બસની કેબિનમાં બેઠો હતો. બેકાબૂ બોલેરો સામેથી આવી અને બસ સાથે અથડાઈ ગઈ. સદનસીબે, હું રીતે બચી ગયો.
મૃતકના પરિવારજનો પ્રયાગરાજ જવા રવાના
કોરબા કલેક્ટર અજિત બંસલે કહ્યું- અમે પ્રયાગરાજ પોલીસના સંપર્કમાં છીએ. એસપીએ ત્યાંની પોલીસ સાથે વાત કરી છે. ભક્તોના પરિવારોને જાણ કરવામાં આવી છે અને તેઓ પ્રયાગરાજ જવા રવાના થઈ ગયા છે. અમે પ્રયાગરાજ તંત્ર સાથે સંકલન કરીને આગળની કાર્યવાહી કરીશું.
અકસ્માતમાં 10 લોકોના મોત થયા
મૃતકો કોરબાના રહેવાસી છે અને તેમની ઓળખ ઇશ્વરી જયસ્વાલ, સંતોષ સોની, ભાગીરથી, સોમનાથ, અજય વણઝારા, સૌરભ સોની, ગંગા દાસ વર્મા, શિવા રાજપૂત, દીપક વર્મા અને રાજુ સાહુ તરીકે થઈ છે.
આ પણ વાંચો: ખોખરામાં સફાઈકર્મી પિતાની દીકરીની કેનેડાથી જાન આવી