રાજપૂતોએ દલિત વરરાજાને ઘોડી પર બેસાડી શોભાયાત્રા કાઢી

રાજપૂત સમાજના આગેવાનોએ દલિત વરરાજાને ઘોડી પર બેસાડીને ગામમાંથી શોભાયાત્રા કાઢી સામાજિક એકતાનો સંદેશો આપ્યો.
procession of dalit groom

જાતિવાદ અને આભડછેટથી ખદબદતા ભારત દેશમાં એકબાજુ દરરોજ દલિતો સાથે જાતિ આધારિત અત્યાચારોની ઘટના બને છે, તો બીજી બાજુ તેનાથી વિરુદ્ધ કેટલીક એવી ઘટનાઓ પણ બને છે, જે સમાજને સામાજિક એકતાનો સંદેશો આપે છે. આવી જ એક ઘટના હાલમાં પડોશી રાજ્ય રાજસ્થાનમાં સામે આવી છે. જ્યાં રાજપૂત સમાજના આગેવાનોએ દલિત વરરાજાને ઘોડી પર બેસાડીને આખા ગામમાં વરઘોડો કાઢી સામાજિક એકતાનો મજબૂત સંદેશો આપ્યો હતો.

રાજસ્થાનના રૂપપુરા ગામની ઘટના

ઘટના રાજસ્થાનના કુચામણ સિટીના રૂપપુરા ગામની છે. અહીં રાજપૂત સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં દલિત સમાજના વરરાજાનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જેમાં ગામલોકો ઉત્સાહભેર જોડાયા હતા. આ ઐતિહાસિક પ્રસંગ માત્ર સામાજિક એકતાનું જ પ્રતીક નહોતો, પરંતુ જાતિ ભેદભાવને નાબૂદ કરવાની દિશામાં એક મજબૂત પહેલ તરીકે પણ સામે આવ્યો હતો.

રાજપૂત આગેવાનોએ દલિત વરરાજાને ઘોડી પર બેસાડ્યા

દલિત સમાજમાંથી આવતા મનોજ મેઘવાલની જાન કુચામનથી રૂપપુરા પહોંચી ત્યારે ગામના રાજપૂત સમાજ દ્વારા તેમને ઘોડી પર બેસાડીને તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ગામના આગેવાનો સુરેન્દ્ર સિંહ કંસેડા, શ્યામ પ્રતાપસિંહ રૂંવા, સાંગલપતિ પીઠાધીશ્વરના સેવક પ્રમોદ આર્ય, જોગેન્દ્ર સિંહ રુપપુરા, મનોહર સિંહ રુપપુરા વગેરેએ મળીને દલિત વરરાજાને ઘોડી પર બેસાડીને આખા ગામમાં શોભાયાત્રા કાઢી અને સામાજિક એકતાનો સંદેશ આપ્યો હતો.

આ પણ વાંચો: 200 થી વધુ પોલીસકર્મીઓની સુરક્ષા વચ્ચે દલિત વરરાજાની જાન નીકળી

રાજપૂતોએ ઘોડીની લગામ પકડી રાખી આદર આપ્યો

આ ઘટના ફક્ત પરંપરાગત વિધિ સુધી મર્યાદિત ન હતી, પરંતુ તે સામાજિક વિચારસરણી અને સામૂહિક ચેતનામાં પરિવર્તનનો પુરાવો પણ બની. રાજપૂત આગેવાનોએ વરરાજાની શોભાયાત્રા દરમિયાન આખા રૂટ પર વારાફરતી ઘોડીની લગામ પકડી રાખીને વરરાજાને આદર આપ્યો હતો.

રાજપૂતોએ આપેલું વચન પાળી બતાવ્યું

દોઢ વર્ષ પહેલા આ ગામના રાજપૂત આગેવાન સુરેન્દ્રસિંહ કંસેડાએ વચન આપ્યું હતું કે, તેમના ગામમાં તેઓ કોઈપણ દલિત વરરાજાની જાન આવશે ત્યારે તેઓ વરઘોડા માટે પોતાની ઘોડી આપશે અને જાતે જ ઘોડીની લગામ પકડીને વરરાજાને આખા ગામમાં ફેરવશે. હવે તેમણે આ વચન પાળી બતાવ્યું છે. આ પ્રસંગે રાજપૂત આગેવાન સુરેન્દ્ર સિંહ કંસેડાએ કહ્યું, “આ પહેલ માત્ર ગામ માટે પ્રેરણા નથી, પરંતુ સમગ્ર સમાજ માટે સામાજિક સંવાદિતા તરફ આગળ વધવાનો સંદેશ પણ છે. દલિત સમાજ સાથે થતા ભેદભાવો દૂર થવા જોઈએ.”

રૂપપુરાના રાજપૂત સમાજના ઘણા આગેવાનોએ આ વરઘોડામાં ભાગ લીધો હતો. આ સિવાય અન્ય સમાજના આગેવાનોએ પણ આગળ આવીને દલિત વરરાજાની જાન અને વરઘોડાને વધાવ્યો હતો. આ ઘટનાએ જાતિવાદથી ગ્રસ્ત રાજસ્થાનને સામાજિક એકતાનો નવો સંદેશો આપ્યો છે.

આ પણ વાંચો: બેંગલુરુમાં RCB ની ઉજવણીમાં ભીડ બેકાબૂ બનતા 7 લોકોના મોત

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું ગુજરાત કોંગ્રેસ અને તેના સવર્ણ નેતાઓ દલિતો સાથે ભેદભાવ રાખે છે?
0
Would love your thoughts, please comment.x
()
x