બેંગલુરુમાં RCB ની ઉજવણીમાં ભીડ બેકાબૂ બનતા 7 લોકોના મોત

આઈપીએલની ટ્રોફી લઈને બેંગલુરુની ટીમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આવવાની હતી, જેને જોવા માટે ભારે ભીડ ભેગી થઈ જતા દુર્ઘટના સર્જાઈ.
bengaluru news

છાશવારે ટોળાં ભેગાં કરવાની ભારતીયોની માનસિકતાએ વધુ એક દુર્ઘટના સર્જી. બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ભાગદોડ મચી ગઈ હતી. હજારો RCB ચાહકો ટીમના IPL 2025 જીતવાના જશ્નમાં જોડાવા માટે અહીં આવ્યા હતા. પરંતુ ભીડ અચાનક બેકાબૂ થઈ ગઈ. અહેવાલો અનુસાર, ભાગદોડને કારણે ઓછામાં ઓછા 7 લોકોના મોતની આશંકા છે. જોકે, તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. અકસ્માતમાં 25 લોકો ઘાયલ પણ થયા છે. તેમાંથી 6 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

મંગળવાર, 3 જૂનના રોજ, RCB એ IPLની ફાઇનલ મેચમાં પંજાબ કિંગ્સ ઇલેવનને હરાવીને ટાઇટલ જીત્યું હતું. ૧૮ વર્ષમાં પહેલી વાર ટાઇટલ જીતવાની ઉજવણી માટે RCBના હોમ ગ્રાઉન્ડ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઉજવણી થઈ રહી હતી. કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશને અહીં RCBના તમામ ખેલાડીઓ માટે એક ખાસ સન્માન સમારોહનું આયોજન કર્યું હતું.

‘ધ હિન્દુ’ના અહેવાલ મુજબ સાંજથી જ હજારો RCB ચાહકો ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં એકઠા થવા લાગ્યા હતા. ટીમ IPL ટ્રોફી સાથે આ સ્ટેડિયમમાં પહોંચવાની હતી, જેને જોવા માટે લોકો ઉત્સુક હતા. સ્ટેડિયમની અંદર ભારે ભીડ હતી, જ્યારે બહાર અને નજીકના રસ્તાઓ પર જામ જેવી સ્થિતિ હતી.

આ પણ વાંચો: ઓઢવ ચર્ચ ગુંડાગીરી મામલે પોલીસનું ‘જૂઠ્ઠાણું’ પકડાયું?

ટ્રાફિક પોલીસને રસ્તાઓ પર ભીડને નિયંત્રિત કરવામાં મુશ્કેલી પડી હતી. ‘ધ હિન્દુ’એ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે ઘણા ઘાયલ લોકોને શિવાજીનગરની બોરિંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યારે 3 ગંભીર રીતે ઘાયલોને વૈદેહી હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે સ્ટેડિયમના ગેટ નંબર ૩ પર RCB ટીમના આગમનના સમાચાર મળ્યા હતા, ત્યારબાદ ત્યાં ચાહકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. એ દરમિયાન ઘણા લોકો કચડાઈ ગયા હતા. ઘણા ચાહકો ઘાયલ થયા હતા.

કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે ભાગદોડ પર કહ્યું, “હું હાલમાં કેટલા લોકો ઘાયલ થયા છે તેના આંકડાની પુષ્ટિ કરી શકતો નથી. હું સ્ટેડિયમ જઈ રહ્યો છું. મોટી સંખ્યામાં આરસીબી ચાહકો હાજર છે અને તેઓ ભાવુક છે. અમે સ્થળ પર 5 હજાર લોકોને તૈનાત કર્યા હતા.”

ભાજપે આ અકસ્માત અંગે રાજ્યની કોંગ્રેસ સરકાર પર નિશાન સાધ્યું છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે સરકારની બેદરકારીને કારણે લોકોએ જીવ ગુમાવ્યા છે.

આ પણ વાંચો: અરવલ્લીમાં નદીકાંઠે દલિત યુવકનો મૃતદેહ મળ્યો, 9 સામે એટ્રોસિટી

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું ગુજરાત કોંગ્રેસ અને તેના સવર્ણ નેતાઓ દલિતો સાથે ભેદભાવ રાખે છે?
0
Would love your thoughts, please comment.x
()
x