મથુરા(Mathura)માં ભીમ આર્મી(Bhim Army)ના વડા સાંસદ ચંદ્રશેખર આઝાદ(Chandrashekhar Azad)ના કાફલા (convoy) પર પથ્થરમારો (Stones pelted) કરવામાં આવ્યો છે. સુરીરથી આગળ ફ્રીડમ ફાઇટર ગેટ પાસે ઈંટના ભઠ્ઠા પાસે તેમની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારામાં કાફલામાં રહેલા ચાર-પાંચ બાઇક સવારોને સામાન્ય ઇજાઓ થઈ હતી. પથ્થરમારો શરૂ થતાં જ અંધાધૂંધી મચી ગઈ. ઘટનાને કારણે ભારે પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું છે. પોલીસે પથ્થરમારો કરનારાઓની ધરપકડ કરી છે.
“जब इस देश में एक सांसद ही सुरक्षित नहीं है, तो आम जनता की सुरक्षा की क्या उम्मीद की जाए? मथुरा में नगीना के सांसद चंद्रशेखर आज़ाद जी के काफिले पर पथराव हुआ – यह कानून व्यवस्था की विफलता का जीता-जागता सबूत है! प्रशासन कब जागेगा? #ChandrashekharAzad #LawAndOrder” pic.twitter.com/G9q7g6iEOS
— Rajxpression (@rajxpression) February 28, 2025
ચંદ્રશેખર આઝાદ જાતીય સંઘર્ષનો ભોગ બનેલા ભગત નગરિયા ગામ જઈ રહ્યા હતા. જ્યાં દલિત દીકરીઓના પરિવારોને મળવાનો કાર્યક્રમ હતો. પથ્થરમારાને કારણે તેઓ ત્યાં જઈ શક્યા નહીં અને તેમની સભા સુરીરના આંબેડકર પાર્કમાં યોજાઈ રહી છે. અહીં દલિત દીકરીઓ અને તેમના પરિવારોને બોલાવીને એકબીજાનો પરિચય કરાવ્યો હતો. ચંદ્રશેખરે કહ્યું કે તેઓ પીડિત પરિવારને ન્યાય અપાવશે અને તેઓ સંપૂર્ણપણે પરિવાર સાથે છે.
આ પણ વાંચો: જે જજોએ આ ઓર્ડર આપ્યો તેમાં કેટલાં SC-ST છે?
ઉલ્લેખનીય છે કે ગયા શુક્રવારે મથુરાના રિફાઇનરી પોલીસ સ્ટેશન વિસ્તારના કરનાવલ ગામમાં જાતિવાદી તત્વોએ બે દલિત બહેનોને તેમના લગ્નના દિવસે રસ્તા પર દોડાવીને માર માર્યો હતો. આ ઘટનાએ સમગ્ર દેશમાં ભારે ચકચાર મચાવી હતી. આ ઘટના પછી, વરરાજાના પિતા લગ્ન કર્યા વિના જ જાન પાછી લઈ ગયા હતા.
ચંદ્રશેખર આઝાદ શુક્રવારે બપોરે આ બંને દીકરીઓ અને તેમના પરિવારને મળવા પહોંચ્યા હતા. ચંદ્રશેખરનો કાફલો સિર્રેલાથી ભગત નાગરિયા જવા રવાના થયો હતો.અહીંથી રસ્તો સુરીર થઈને જાય છે. સુરીરથી આગળ તેમના કાફલાના વાહન પર ફ્રીડમ ફાઇટર ગેટ પાસે ઈંટના ભઠ્ઠા પાસે પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
પથ્થરમારાને કારણે તેમની સાથે રહેલા કેટલાક બાઇક સવારો ઘાયલ થયા હતા. પથ્થરમારો કરનારા અંદાજે ચારથી પાંચ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. એ પછી ચંદ્રશેખરનો ભગત નગરિયા જવાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. પથ્થરમારા પછી ચંદ્રશેખરે નજીકમાં આવેલા આંબેડકર પાર્કમાં બેસી ગયા હતા અને ત્યાં જ પીડિતાના પરિવારને તેમના ખબરઅંતર પૂછ્યા હતા અને તેમને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. આ ઘટના બાદ આસપાસના પોલીસ સ્ટેશનની પોલીસ ખડકી દેવામાં આવી હતી.
આ પણ વાંચો: બે દલિત દુલ્હન બહેનોને જાતિવાદીઓએ દોડાવી-દોડાવીને મારી