ગટર સાફ કરવા ઉતરેલા બે સફાઈકર્મીઓના શ્વાસ રૂંધાવાથી મોત

બંને સફાઈકર્મીઓ ગટર સાફ કરવા અંદર ઉતર્યા હતા. જો કે અંદર ઝેરી ગેસ હોવાથી બંનેના શ્વાસ રુંધાતા બેભાન થયા બાદ હતા. હોસ્પિટલ લઈ જતા બંનેને મૃત જાહેર કરાયા.
sewer cleaning Death Narela Delhi

રાજધાની દિલ્હીના નરેલા વિસ્તારમાં ગટર સાફ કરતી વખતે બે સફાઈકર્મીઓના શ્વાસ રૂંધાવાથી મોત (Narela Sewer Cleaning Deaths) થયા છે. જ્યારે ત્રીજો મજૂર બેભાન થઈ ગયો. તેને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સફાઈ દરમિયાન ત્રણેય ઝેરી ગેસની ઝપટમાં આવી ગયા હતા, પોલીસે તેને બેદરકારીનો કેસ ગણીને કેસ નોંધ્યો છે.

મામલો શું છે?
ઘટના ગઈકાલે શુક્રવારના રોજ બપોરે 12:15 થી 12:30 વાગ્યાની વચ્ચે બની હતી. નરેલા વિસ્તારના પોકેટ-6 માં મનસા દેવી એપાર્ટમેન્ટ પાસે સિરકા કંપનીના બે કામદારો સફાઈ માટે ગટરમાં ઉતર્યા હતા. પરંતુ અંદર ઝેરી ગેસ હોવાથી તેમનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. જેના કારણે તેઓ બેભાન થઈ ગયા. જ્યારે બંને સફાઈકર્મીઓ લાંબા સમય સુધી બહાર ન આવ્યા ત્યારે ત્રીજો કર્મી તેમને મદદ કરવા માટે ગટરમાં ઉતર્યો હતો. પરંતુ તે પણ ઝેરી ગેસનો ભોગ બન્યો અને બેભાન થઈ ગયો. એ પછી નજીકના લોકોએ પોલીસને જાણ કરી.

આ પણ વાંચોઃ ખોખરામાં સફાઈકર્મી પિતાની દીકરીની કેનેડાથી જાન આવી

બે સફાઈકર્મીના મોત થયા, એકની હાલત ગંભીર
પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તરત જ ત્રણેયને SRCH હોસ્પિટલમાં દાખલ કર્યા. જ્યાં ડોક્ટરોએ બે સફાઈકર્મીઓને મૃત જાહેર કર્યા. આ બંને એ સફાઈકર્મીઓ હતા જેઓ પહેલા ગટરમાં ઉતર્યા હતા. મૃતકોની ઓળખ બેગુસરાયના રહેવાસી વિજય મોચી (36) અને મધ્યપ્રદેશના ટીકમગઢના રહેવાસી નંદુ (44) તરીકે થઈ છે. ત્રીજા મજૂરની ઓળખ ભોજપુરના રહેવાસી અનિલ કુમાર (37) તરીકે થઈ છે. જેની હાલત હજુ પણ ગંભીર છે. ડોક્ટરોનું કહેવું છે કે તે હાલમાં કંઈ કહેવાની સ્થિતિમાં નથી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પુરાવા એકત્રિત કર્યા છે. આ મામલામાં BNS ની કલમ 125 (કોઈ વ્યક્તિના જીવનને જોખમમાં મૂકવો) અને 106 (બેદરકારીને કારણે મૃત્યુ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હાલમાં પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

7 વર્ષમાં 377 સફાઈકર્મીઓના મોત થયા
અહીં એ યાદ રાખવું જરૂરી છે કે, સરકારી આંકડા અનુસાર વર્ષ 2019 થી 2023 ની વચ્ચે દેશભરમાં ગટર અને સેપ્ટિક ટેંક સાફ કરતી વખતે ઓછામાં ઓછા 377 લોકો મૃત્યુ પામ્યા હતા. જાગૃત નાગરિકો અને એક્ટિવિસ્ટોએ વારંવાર પ્રશ્ન ઉઠાવ્યો છે કે જ્યારે આવી સફાઈ માટે મશીનોની વ્યવસ્થા કરી શકાય તેમ છે, તો પછી સફાઈકર્મીઓને ગટર અને સેપ્ટિક ટાંકીમાં કેમ ઉતારવામાં આવે છે? સુપ્રીમ કોર્ટે ગટરમાં ઉતરીને સફાઈ કરવા પર પ્રતિબંધ ફરમાવેલો હોવા છતાં કોન્ટ્રાક્ટરો સફાઈકર્મીઓને ગટરમાં ઉતરવા માટે મજબૂર કરે છે. જેમાં તેમના મોત થાય છે. અત્યાર સુધીમાં આ રીતે અનેક સફાઈકર્મીઓ મોતને ભેટ્યા હોવા છતાં પણ કદી કોઈ કોન્ટ્રાક્ટરને મોટી સજા થઈ હોય તેવું જાણવા મળતું નથી. જેનો સીધો એવો અર્થ એવો થાય કે તંત્ર આવા કોન્ટ્રાક્ટરોને છાવરી રહી છે.

આ પણ વાંચોઃ બોપલમાં દલિત યુવકને ચોર સમજી ત્રણ લોકોએ ઢોર માર મારતા મોત

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x