પંચમહાલ (Panch Mahal) જિલ્લાના વડા મથક ગોધરા (Godhra)ના અછાલા ગામ (Achhala Village)માં ઓબીસી સમાજના એક સગીર અને સગીરાની (minor girl and boy) ગામથી દૂર સીમમાં ઝાડ પર લટકતી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. અહીંના ડુંગર ફળિયામાં રહેતી 17 વર્ષની સગીરા ધોરણ 12માં અભ્યાસ કરતી હોવાથી ઘરેથી પરીક્ષાની રિસીપ્ટ લેવા જવાનું કહીને નીકળી હતી. જો કે તે ઘરે પરત ફરી નહોતી અને તેની લાશ તેના ફળિયામાં જ રહેતા એક સગીર સાથે ઓઢળીમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.
ઘટનાની જાણ થતા લોકોનાં ટોળેટોળાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને બંનેને પ્રેમીપંખીડા ગણાવી સોશિયલ મીડિયામાં ચિત્રિત કર્યા હતા. જોકે બંનેના પરિવારજનોએ આ વાતને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે બંને વચ્ચે કોઈ પ્રેમસંબંધ નહોતો. યુવતીના પિતા મંગળસિંહ પટેલે આરોપ મૂક્યો છે કે તેમની દીકરી અને ફળિયાના યુવકે આત્મહત્યા નથી કરી પરંતુ તેમની હત્યા કરીને લાશને ઝાડ પર લટકાવી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ બોપલમાં દલિત યુવકને ચોર સમજી ત્રણ લોકોએ ઢોર માર મારતા મોત

મામલો શું છે
ગોધરા તાલુકાના અછાલા ગામમાં આવેલા ડુંગર ફળિયામાં રહેતી 17 વર્ષીય રેણુકાબેન મંગળસિંહ પટેલ વહેલી સવારે પોતાની માતા સુમિત્રાબેનને ધોરણ 12ની રિસીપ્ટ લેવા માટે જવાનું કહીને સીમલિયા હાઈસ્કૂલમાં ગઈ હતી. જ્યાંથી તે પરત પોતાના ઘરે જઈ રહી હતી ત્યારે અછાલા ગામમાં આવેલા જંગલમાંથી તેમના જ ફળિયામાં રહેતા 17 વર્ષના વિકાસભાઈ રંગીતભાઈ પટેલ સાથે ટીમરુના ઝાડની ડાળી સાથે કપડાંની ઓઢણી વડે ફાંસો ખાધેલી હાલતમાં બંનેના મૃતદેહ મળ્યા હતા.
સગીરાના પિતા મંગળસિંહ પટેલ વડોદરા ખાતે સેન્ટિંગનું કામ કરવા માટે ગયા હતા અને તેમને ગામના સભ્યો અને સરપંચે ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. એ પથી મંગળસિંહ તાત્કાલિક વડોદરાથી ગોધરા પોતાના ગામમાં દોડી આવ્યા હતા. મંગળસિંહ પટેલના પરિવારમાં ત્રણ દીકરી અને બે દીકરા છે, તેમાં રેણુકા સૌથી નાની હતી. તેના મોતના સમાચાર સાંભળતાં જ પિતા ભાંગી પડ્યા હતા.
આ પણ વાંચોઃ ગટર સાફ કરવા ઉતરેલા બે સફાઈકર્મીઓના શ્વાસ રૂંધાવાથી મોત

પરિવારે હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી
બીજી બાજુ, બંને યુવક-યુવતીનો ઝાડ સાથે મૃતદેહ મળતાં સોશિયલ મીડિયામાં ફોટા વાઇરલ થયા હતા કે બે પ્રેમીપંખીડાંના જંગલમાંથી મૃતદેહ મળ્યા, જો કે બંનેના પરિવારજનોનું કહેવું છે કે, બંને પ્રેમીપંખીડાં નથી, પરંતુ એક જ ફળિયામાં રહેતાં યુવક-યુવતી છે અને બંને વચ્ચે એવા કોઈ સંબંધો નથી.
સગીરના પિતા મંગળસિંહ પટેલે આક્ષેપ કર્યો હતો કે બંનેએ આત્મહત્યા નથી કરી પરંતુ તેમને મારીને ઝાડ સાથે લટકાવી દેવામાં આવ્યા છે, કારણ કે બંનેના મૃતદેહ જમીનને અડીને લટકેલા છે.
ઘરેથી દૂર ટીમરૂના ઝાડ સાથે લટકતાં મૃતદેહ મળ્યાં
રેણુકા પટેલ અને તેના ફળિયામાં રહેતા વિશાલ પટેલના મૃતદેહ પોતાના ઘરથી બેથી ત્રણ કિલોમીટર દૂર જંગલમાંથી મળ્યા હતા. બંનેના મૃતદેહ જમીનને બિલકુલ અડીને હતા, આથી પરિવારના સભ્યો આક્ષેપ કરી રહ્યા છે કે અમારાં દીકરા-દીકરીને કોઈએ મારીને લટકાવી દીધાં છે. હાલ તો ગોધરા તાલુકા પોલીસ તપાસ કરી રહી છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સાચી હકીકત ખબર પડશે. ગોધરા તાલુકા પોલીસે બંને મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા છે. યુવતીની માતા સુમિત્રાબેન પટેલની ફરિયાદના આધારે પોલીસે BNSS 194 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ સરપંચની ચૂંટણી હારી જતા મુખીએ દલિતવાસ પર હુમલો કર્યો