ગૌમાંસની શંકામાં ટોળાએ મુસ્લિમ શખ્સને થાંભલા સાથે બાંધીને માર્યો

મુસ્લિમ શખ્સ મોટરસાઈકલ પર જઈ રહ્યો હતો. ટોળાએ તેની પાસે ગૌમાંસ હોવાની શંકામાં બાંધીને માર માર્યો.
muslim man beaten up

ભાજપના રાજમાં ટોળાશાહી સતત ઉત્તેજન અપાઈ રહ્યું હોય તેવી સ્થિતિ છે. ગમે ત્યારે ટોળું કાયદો હાથમાં લઈને મુસ્લિમ, દલિત, આદિવાસી પર હુમલો કરી દે છે. ગૌમાંસના નામે દલિતો, મુસ્લિમો પર હુમલો કરવાની, મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે, ત્યારે આવી વધુ એક ઘટના સામે આવી છે.

ઘટના બિહારના ગોપાલગંજની છે. અહીં એક મુસ્લિમ વ્યક્તિ પાસે ગૌમાંસ હોવાની શંકામાં ટોળાએ તેને વીજળીના થાંભલા સાથે બાંધીને માર માર્યો હતો. આ ઘટના નગર પોલીસ સ્ટેશન વિસ્તારના મથિયા વિસ્તારમાં બની હતી અને ટોળાએ આ ઘટનાનો વીડિયો ફોનમાં રેકોર્ડ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેનાથી ભય અને ગુસ્સો ફેલાયો છે.

મીડિયા રિપોર્ટ મુજબ, પીડિતની ઓળખ અહેમદ આઝાદ તરીકે થઈ છે, જે પડોશી સિવાન જિલ્લાના બરહરિયા પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આઝાદ મોટરસાયકલ લઈને જઈ રહ્યો હતો ત્યારે કેટલાક લોકોએ તેને માત્ર શંકાના આધારે રોક્યો હતો. બાદમાં કોઈ કાનૂની અધિકાર વિના, તેમણે તેની કથિત રીતે તલાશી લીધી અને તેની પાસેથી ડબ્બામાં પ્રતિબંધિત માંસ મળી આવ્યું હોવાનો દાવો કર્યો હતો.

આ પણ વાંચો: બંધારણીય હોદ્દા પર ન હોવા છતા કથાકારને ‘ગાર્ડ ઓફ ઓનર’ અપાયું

થોડીવારમાં લોકો ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા. એ પછી ટોળાએ આઝાદને થાંભલા સાથે બાંધીને કડકડતી ઠંડીમાં જાહેરમાં માર માર્યો હતો. વાયરલ વીડિયોમાં, એક માણસ કહેતો સાંભળી શકાય છે, “અમે તેને પ્રતિબંધિત માંસ સાથે પકડ્યો છે. નજીકમાં એક મંદિર છે અને તેનો ઈરાદો ખરાબ હતો.” વીડિયોમાં બીજો એક અવાજ સંભળાય છે, જે એવો પણ દાવો કરે છે કે મોટરસાઇકલ ચોરાયેલી લાગે છે, જોકે કોઈ પુરાવા બતાવવામાં આવ્યા નથી.

muslim man beaten up

એક સ્થાનિક દુકાનદારે આ દ્રશ્યને ભયાનક ગણાવ્યું હતું. તેમણે કહ્યું, “તે રડી રહ્યો હતો અને મદદ માંગી રહ્યો હતો, પરંતુ લોકો દરમિયાનગીરી કરતા ડરતા હતા.”

આ ઘટનાથી ખાસ કરીને આ વિસ્તારના મુસ્લિમોમાં ભારે ભય ફેલાયો છે. એક સ્થાનિક વડીલે કહ્યું, “આજે અહમદ આઝાદ છે. કાલે કોઈ પણ હોઈ શકે છે. લોકો શેરીઓમાં જજ અને પોલીસની જેમ વર્તી રહ્યા છે.”

આ વીડિયોની ઓનલાઈન પણ ભારે ટીકા થઈ છે. ઘણા યૂઝર્સે પ્રશ્ન ઉઠાવ્યો કે ટોળું કોઈનો ન્યાય કેવી રીતે તોળી શકે. બહુમતી સમાજના સભ્યોએ પણ આ હુમલાની નિંદા કરી હતી. એક સ્થાનિકે કહ્યું, “જો તેણે કોઈ ગુનો કર્યો હોત, તો તેને પોલીસને સોંપી દેવો જોઈતો હતો. કોઈને આ રીતે માર મારવો શરમજનક છે.”

આ પણ વાંચો: ભેંસનું માંસ લઈને જતા મુસ્લિમને ટોળાએ ગૌતસ્કર સમજી માર્યો!

માહિતી મળ્યા પછી, પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આઝાદને ટોળાથી બચાવ્યો હતો. તેને અટકાયતમાં લેવામાં આવ્યો અને મોટરસાઇકલ અને કથિત માંસ જપ્ત કરવામાં આવ્યું. આઝાદને બાદમાં ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “અમને માહિતી મળી અને અમે ઘટનાસ્થળે પહોંચ્યા. તે શખ્સને બચાવી લેવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કેસની તપાસ ચાલી રહી છે.”

જોકે, પોલીસે એ સ્પષ્ટ કર્યું નથી કે આઝાદ પર હુમલો કરનારાઓની તાત્કાલિક અટકાયત કેમ કરવામાં આવી નથી. માનવાધિકાર કાર્યકરોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે આવી ઘટનાઓ શંકાના આધારે ટોળા દ્વારા મુસ્લિમો પર થતા હુમલાઓની પેટર્નને દર્શાવે છે. આ કાયદો વ્યવસ્થાની સ્થિતિને સીધો પડકાર છે. આ નફરતથી પ્રેરિત હિંસા છે. જ્યારે અધિકારીઓ મૌન રહે છે, ત્યારે આવી ટોળાશાહી અસ્તિત્વમાં આવે છે.

આ પણ વાંચો: મુસ્લિમ યુવકને “બાંગ્લાદેશી” ગણાવી ટોળાએ માર મારી હત્યા કરી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x