ડૉ.આંબેડકરના ગુરૂ, બહુજન સમાજના સૌથી મોટા હીરો, મહાત્મા જ્યોતિબા ફૂલે અને માતા સાવિત્રીબાઈ ફૂલેના જીવન પર આધારિત ફિલ્મ ‘Phule’ તેમના જન્મદિવસ 11 એપ્રિલના રોજ થિયેટરોમાં રજૂ થવાની હતી. પરંતુ મનુવાદી બ્રાહ્મણોએ તેનો વિરોધ કર્યો હતો. એ પછી સેન્સર બોર્ડમાં બેઠેલા મનુવાદી બ્રાહ્મણોએ તેમાં 12 જેટલા સુધારા કરવાનો આદેશ આપ્યો હતો. એ પછી આ ફિલ્મ 25 એપ્રિલના રોજ થિયેટરોમાં રજૂ થઈ ચૂકી છે.
બહુજન સમાજ તેમના ઉદ્ઘારક ફૂલે દંપતિના મહાન કાર્યોને સિનેમાના પડદે જોવા ઉત્સુક છે ત્યારે અમદાવાદમાં ‘Phule’ ફિલ્મના ખાસ શોનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંના બહેરામપુરા-દાણીલીમડા અને ગીતામંદિર વિસ્તારમાં કાર્યરત મૂકનાયક ગ્રુપ દ્વારા આવતીકાલે ‘Phule’ ફિલ્મના ખાસ શોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ‘હિંમત હોય તો આભડછેટને દૂર કરવાનું બિલ લાવો, હું સમર્થન કરીશ’
મૂકનાયક ગ્રુપના કર્તાહર્તા અને સામાજિક કાર્યકર પ્રકાશભાઈ બેંકર દ્વારા આ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ‘Phule’ ફિલ્મ થિયેટરમાં જોવા માટેની ટિકિટ હાલ રૂ. 170માં ઉપલબ્ધ છે. પરંતુ મૂકનાયક ગ્રુપ દ્વારા આયોજિત આ શોમાં તમે માત્ર રૂ. 100 આ ફિલ્મ થિયેટરમાં નિહાળી શકશો. જે મિત્રો ફિલ્મ જોવા માંગતા હોય તેમણે મૂકનાયક ગ્રુપના પ્રકાશભાઈ બેંકરના મોબાઈલ નંબર 9898860670 પર સંપર્ક કરવાનો રહેશે.
આ મામલે khabarantar.in સાથે વાત કરતા પ્રકાશભાઈ બેંકરે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 150થી વધુ ટિકિટોનું બુકિંગ થઈ ગયું છે અને હવે જૂજ ટિકિટો બાકી રહી છે. એ પણ આજે સાંજ સુધીમાં બુક થઈ જશે. બહુજન સમાજ તરફથી આ શોને સારું એવું સમર્થન મળી રહ્યું છે. લોકો તેમના મહાનાયકને સિલ્વર સ્ક્રીન પર નિહાળવા માટે આતુર છે. અમે કાંકરિયા સ્થિત મિરાજ સિટી પલ્સ સિનેમામાં ‘Phule’ ફિલ્મના શોનું આયોજન કર્યું છે. આ શો યોજાયા બાદ આગળ પણ જરૂર પડશે તો વધુ શોનું આયોજન કરીશું.
આ પણ વાંચો: ‘બ્રાહ્મણોને શરમ આવે છે..’ ‘Phule’ વિવાદ પર Anurag Kashyap આકરા પાણીએ