સંસદમાં પસાર થયું એ દરમિયાન અનેક નેતાઓએ તર્કબદ્ધ ભાષણો આપ્યા હતા. એ દરમિયાન આપ સાંસદ સંજય સિંહે મોદી સરકારને કહ્યું અલગ પ્રકારનો પડકાર ફેંકતા તેને અસ્પૃશ્યતા દૂર કરવા માટેનું બિલ લાવવા અને હિંદુ ટ્રસ્ટોમાં દલિત, આદિવાસી અને ઓબીસી સમાજને 80 ટકા અનામત આપવાનું બિલ લાવવાનો પડકાર ફેંક્યો હતો.
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે પણ ગૃહમાં પોતાના વિચારો રજૂ કરતા કહ્યું કે હિન્દુ ટ્રસ્ટ અને સમિતિઓમાં દલિતો અને ઓબીસીને અનામત આપવા માટે બિલ લાવો અમે તેનું સમર્થન કરીશું. આ સાથે જ સંજય સિંહે RSS પર પણ સવાલો ઉઠાવ્યા હતા.
હિંદુ ટ્રસ્ટ, બોર્ડમાં SC-ST-OBC ને 80 ટકા અનામત આપો
સંજય સિંહે કહ્યું કે ચાલો સમાજમાંથી અસ્પૃશ્યતાના રોગને દૂર કરવા માટે પગલાં લઈએ અને આગામી સત્રમાં બિલ લાવીએ. જેટલા પણ હિંદુ ટ્રસ્ટ, બોર્ડ અને કમિટીઓ છે, તેમાં 80 ટકા દલિતો, આદિવાસીઓ અને ઓબીસીને અનામત આપો, હું તમને ટેકો આપીશ અને તમને માળા પહેરાવીશ.
આ પણ વાંચો: મોનાલિસાને ફિલ્મ ઓફર કરનાર સનોજ મિશ્રાની રેપ કેસમાં ધરપકડ
RSS પર પણ સવાલો ઉઠાવ્યા
એ દરમિયાન સંજય સિંહે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે તમે પછાત અને દલિતો માટે ભલું કરવાની વાત કરો છો. તમારું માતૃ સંગઠન RSS છે, પરંતુ આજ સુધીના 100 વર્ષમાં તમે એક પણ દલિત, પછાત, આદિવાસી અને મહિલાને RSSના વડા નથી બનાવ્યા.
કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા
કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કરતા સંજય સિંહે કહ્યું કે વકફ સુધારા બિલ દ્વારા ધાર્મિક સંપત્તિ પર કબજો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને પછી તેઓ આ જમીન તેમના માનીતા ઉદ્યોગપતિઓને આપી દેશે.
वक़्फ़ बिल पर बोलते समय मैंने एक “कटुसत्त्य” बोल दिया पूरी BJP चीखने लगी।
अच्छा आप ही बताइए प्रभु श्रीराम के मंदिर में चंदा…..
किसने की?
पिछड़ों दलितों आदिवासियों और महिलाओं को मदिर की कमेटियों में आरक्षण दो। pic.twitter.com/qErbgisuFU— Sanjay Singh AAP (@SanjayAzadSln) April 3, 2025
તેઓ વકફ વિશે વાત કરી રહ્યા છે પણ મંદિરો, ગુરુદ્વારા અને ચર્ચનો વારો ક્યારે આવશે? સરકાર કહી રહી છે કે આ બિલથી મુસ્લિમોને ફાયદો થશે, તો શા માટે અસ્પૃશ્યતા નાબૂદ કરવા માટે બિલ નથી લાવતા?
આ પણ વાંચો: ‘સિંહ કૂતરાનો શિકાર નથી કરતા…’ પૂર્વ CMએ દલિત IAS વિશે આવું કહ્યું
Very good👍