Dalit News: સવર્ણ હિંદુઓને આંબેડકરી વિચારધારા જ નહીં ડો.આંબેડકરના નામથી પણ નફરત હોય તેવું ચિત્ર દેશમાં ખડું થઈ રહ્યું છે. દેશમાં દર વર્ષે જાતિવાદી સવર્ણ હિંદુઓ દ્વારા સૌથી વધુ કોઈ મહાનાયકની પ્રતિમાને નુકસાન પહોંચાડાતું હોય તો તે બંધારણના ઘડવૈયા ડો.આંબેડકર છે. જે વ્યક્તિએ સમગ્ર દેશને સ્વતંત્રતા, સમાનતાનો કુદરતી હક અપાવ્યો તે મહામાનવને માત્ર તેમની જાતિને કારણે સવર્ણ હિંદુઓ નફરત કરે છે. પરિણામે ડો.આંબેડકરના અપમાનની, તેમની પ્રતિમાને તોડી પાડવાની ઘટનાઓ સતત બનતી રહે છે.
ડો.આંબેડકરનો ફોટો લઈને ચાલતા લોકો સાથે મારામારી
આવી એક ઘટનામાં જાતિવાદી તત્વોએ દલિત યુવકની જાનમાં ડો.આંબેડકરનો ફોટો લઈને ચાલતા દલિત સમાજના જાનૈયાઓ પર હુમલો કરી દીધો હતો. જેમાં 10 લોકો ઘાયલ થયા છે. લગ્ન સમારંભમાં ડૉ. આંબેડકરના ફોટો લઈને ચાલતા દલિતો પર જાતિવાદી તત્વોએ ગંદી કોમેન્ટ કરી હતી, જેને લઈને દલિતો-કથિત સવર્ણો વચ્ચે વચ્ચે ઝઘડો થયો હતો. આ વિવાદ શારીરિક હિંસામાં પરિણમ્યો, જેમાં આશરે 10 લોકો ઘાયલ થયા.

આ પણ વાંચો: ‘ભગવાન નિષ્પક્ષ છે, જાતિ..’, કહી હાઈકોર્ટે દલિતોની તરફેણમાં ચૂકાદો આપ્યો
યુપીના આગ્રાની ઘટના
મામલો ઉત્તરપ્રદેશના આગ્રાનો છે. અહીં શનિવારે રાત્રે બાહના જરારમાં લગ્નના વરઘોડા દરમિયાન ડૉ. બાબાસાહેબ આંબેડકરના ફોટા પર ગંદી કોમેન્ટ કરવાને લઈને મામલો ગરમાયો હતો. લગ્ન સમારંભમાં આવેલા જાતિવાદી તત્વો અને દલિત સમાજના યુવાનો વચ્ચે ઝઘડો થયો હતો. અડધા કલાક સુધી અંધાધૂંધી ચાલુ રહી, જેમાં લાકડીઓ અને દંડા ચાલ્યા. બંને પક્ષના 10 થી વધુ લોકો ઘાયલ થયા, પરંતુ કોઈએ તબીબી સારવાર લીધી નહીં અને પોલીસ પહોંચે તે પહેલાં જ સૌ ભાગી ગયા. હવે પોલીસ આ મામલે લેખિત ફરિયાદની રાહ જોઈ રહી છે.

વરઘોડામાં ડો.આંબેડકરના ફોટો સવર્ણોને ન ગમ્યાં
આ ઘટનાની મળતી માહિતી મુજબ, આગ્રાના બાહના પાર્વતીપુરાના રહેવાસી નેપાલ સિંહનો લગ્ન સમારંભ શનિવારે જરારમાં કેનેરા બેંક નજીક એક ધર્મશાળામાં યોજાઈ રહ્યો હતો. લગ્નના વરઘોડા પછી વરપક્ષ ધર્મશાળામાં રોકાયો હતો. રાત્રે ૧૧ વાગ્યે, શહેરમાં રહેતા એક દલિત પરિવારની બે પુત્રીઓના લગ્નનો વરઘોડો નીકળ્યો હતો.
આ પણ વાંચો: દલિત યુવકને પ્રેમિકાના પરિવારના 6 લોકોએ મળી રહેસીં નાખ્યો
દલિતો ડૉ.આંબેડકર અને બુદ્ધની તસવીરો લઈને નીકળ્યા હતા
વરઘોડો ધર્મશાળાની પાસે પહોંચ્યો ત્યારે જાતિવાદી ગુંડાઓએ જોયું કે, વરરાજા સહિત જાનમાં સામેલ અનેક યુવાનો હાથમાં મહાનાયક ડો.આંબેડકર અને ગૌતમ બુદ્ધના ફોટા લઈને આવ્યા છે. ત્યારે ધર્મશાળામાં રોકાયેલા કેટલાક સવર્ણ જાતિના ગુંડાઓએ આ ચિત્રો પર ગંદી કોમેન્ટ કરી હતી. જેને લઈને દલિત સમાજના લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. મામલો એટલો આગળ વધી ગયો કે બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો. સામસામે લાકડીઓ અને દંડા ચાલી. જેના કારણે બંને જાનમાં આવેલા લોકોમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ. બંને પક્ષના વડીલોએ અંતે દરમિયાનગીરી કરીને પરિસ્થિતિ શાંત પાડી.
મારામારીમાં 10થી વધુ લોકો ઘાયલ થયા
આ ઝઘડામાં બંને પક્ષના ૧૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા, પરંતુ કોઈએ તબીબી સારવાર લીધી નહોતી. ઘટના પછી, નેપાળ સિંહ ફરિયાદ નોંધાવવા માટે જરાર પોલીસ સ્ટેશન ગયા હતા. ઇન્સ્પેક્ટર બાહ સત્યદેવ શર્માએ જણાવ્યું હતું કે બંને પક્ષે કોઈ ફરિયાદ નોંધાઈ નથી. જો ફરિયાદ મળશે તો કાર્યવાહી કરવામાં આવશે. જો કે, આ ઘટનાએ ફરી એકવાર સવર્ણ હિંદુઓની ડો.આંબેડકર પ્રત્યેની નફરતને ઉજાગર કરી દીધી છે.
આ પણ વાંચો: 150 વર્ષે પહેલીવાર ગામમાં દલિત વરરાજાનો વરઘોડો નીકળ્યો










