ભાજપના Satish Upadhyay એ આદિવાસી મહિલાનું જાતીય શોષણ કર્યું?

મધ્યપ્રદેશ ભાજપના સહ પ્રભારી અને દિલ્હીના પૂર્વ ધારાસભ્ય Satish Upadhyay એ પોતાના જ પક્ષની આદિવાસી મહિલા કાર્યકરનું જાતીષ શોષણ કર્યાનો આરોપ લાગ્યો છે.
Satish-Upadhyay

મધ્યપ્રદેશ(MP) ભાજપ(BJP)ના સહ-પ્રભારી અને દિલ્હીના ભૂતપૂર્વ ધારાસભ્ય સતીશ ઉપાધ્યાય(Satish Upadhyay) પર આદિવાસી મહિલા(Tribal Woman)ની જાતીય સતામણી(Sexual Harassing) કરવાનો આરોપ લાગ્યો છે. આ આરોપ આમ આદમી પાર્ટી(AAP) ના નેતા અને પૂર્વ મંત્રી સોમનાથ ભારતી(Somnath Bharti)એ લગાવ્યો છે. ભારતીએ મધ્યપ્રદેશના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) કૈલાશ મકવાણાને એક પત્ર સુપરત કર્યો છે, જેમાં ન માત્ર આ આરોપની જાણ કરવામાં આવી છે, પરંતુ પીડિત આદિવાસી મહિલા ગુમ થઈ ગઈ છે અને તેની સલામતી જોખમમાં છે તેવું પણ જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ ભાજપ નેતાએ શંકાને લીધે પત્ની અને 3 બાળકોને ગોળી મારી દીધી

સોમનાથ ભારતી બુધવારે ડીજીપીને મળ્યા હતા અને તેમને આ પત્ર સોંપ્યો હતો. તેમણે પીડિત મહિલાની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરતી વખતે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસની અપીલ કરી છે. આ મુલાકાત પછી સોમનાથ ભારતીએ એક વીડિયો પણ બહાર પાડ્યો હતો, જેમાં તેમણે ભાજપની નૈતિકતા પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું, “ચાલ, ચરિત્ર અને ચહેરાની વાત કરનાર ભાજપ હવે આ મામલે શું કરે છે તે જોવાનું રહેશે.”

પત્રમાં શું લખ્યું છે?
ડીજીપીને સોંપવામાં આવેલા પત્રમાં સોમનાથ ભારતીએ દાવો કર્યો છે કે તેઓ પોતે દિલ્હી વિધાનસભાની માલવિયા નગર બેઠક પરથી 10 વર્ષથી ધારાસભ્ય છે અને છેલ્લી વખતે તેઓ સતીશ ઉપાધ્યાય સામે ખૂબ જ ઓછા માર્જિનથી હારી ગયા હતા. ભારતીએ કહ્યું કે તેમણે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ઉપાધ્યાયે ચૂંટણી સોગંદનામામાં મધ્યપ્રદેશમાં તેમની વિરુદ્ધ નોંધાયેલા ફોજદારી કેસની માહિતી છુપાવી છે.

આ પણ વાંચોઃ ભાજપના ધારાસભ્યે દલિત પરિવારની જમીન હડપ કરી લીધી?

ભારતીના મતે, આ એક આદિવાસી મહિલાના જાતીય શોષણનો મામલો છે, જે ભાજપની મહિલા કાર્યકર છે. તેમણે લખ્યું, “ઉપાધ્યાયે સહ-પ્રભારી તરીકે એક મહિલા પાર્ટી કાર્યકરનું શારીરિક શોષણ કર્યું અને હવે તે મહિલા ગુમ છે.”

કોર્ટ પાસેથી માહિતી માંગવામાં આવી
સોમનાથ ભારતીએ કહ્યું કે દિલ્હી હાઈકોર્ટે સતીશ ઉપાધ્યાય વિરુદ્ધ ચાલી રહેલા કેસ વિશે માહિતી માંગી છે અને આ મામલે સુનાવણી 8 એપ્રિલે થવાની છે. તેમણે કહ્યું, “હું ભોપાલ એ જાણવા આવ્યો છું કે આ કેસ કયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે અને કઈ કોર્ટમાં ચાલી રહ્યો છે, જેથી સત્ય બહાર લાવી શકાય.”

ડીજીપીને મળ્યા બાદ સોમનાથ ભારતીએ એક વીડિયો જાહેર કર્યો અને કહ્યું, “‘બેટી બચાવો, બેટી પઢાઓ’નો નારો આપનાર ભાજપ હવે આ દીકરી માટે શું કરે છે? આ જોવું મહત્વપૂર્ણ છે. ભાજપે આ મામલાની તપાસ કરવી જોઈએ અને પીડિતાને ન્યાય આપવો જોઈએ.”

પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો
સોમનાથ ભારતીએ માત્ર ડીજીપીને જ નહીં પરંતુ ભોપાલ જિલ્લા કોર્ટના ન્યાયાધીશને પણ એક પત્ર મોકલ્યો છે, જેમાં તેમણે એ જ બાબતોનો પુનરોચ્ચાર કર્યો છે. આ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જોકે, આ પત્રમાં ઉપાધ્યાય સામે નોંધાયેલા કેસની વિગતવાર માહિતી કે FIR નંબરનો ઉલ્લેખ નથી, જે કેટલાક પ્રશ્નો ઉભા કરી રહ્યો છે.

આ પણ વાંચોઃ ‘સિંહ કૂતરાનો શિકાર નથી કરતા…’ પૂર્વ CMએ દલિત IAS વિશે આવું કહ્યું

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું ગુજરાત કોંગ્રેસ અને તેના સવર્ણ નેતાઓ દલિતો સાથે ભેદભાવ રાખે છે?
0
Would love your thoughts, please comment.x
()
x