ડાંગ (Dang) જિલ્લાના સાપુતારા (Saputara) માં ગંભીર અકસ્માત (Accident) થયો છે. જેમાં ચારધામ યાત્રાએ જઈને આવતા શ્રદ્ધાળુઓ ભોગ બન્યાં છે. આ અકસ્માતમાં 5 લોકોના મોત (5 Peaple dead) થયા છે. મળતી માહિતી પ્રમાણે સાપુતારાના માલેગાંવ ઘાટ (Malegaon ghat) માં એક ખાનગી બસ (Private bus) ઉતરી જતા આ અકસ્માત સર્જાયો હતો. મધ્યપ્રદેશ (MP) ના 50 જેટલા પ્રવાસી (50 passengers) ભરેલી આ બસ ઘાટમાં પલટી જતાં ગંભીર અકસ્માત થયો હતો. વહેલી સવારે 4 વાગે થયેલા અકસ્માતમાં 5 મૃતદેહ બહાર કાઢ્યા હતા. અન્ય કેટલાક પ્રવાસીઓ ઘાયલ થયા છે. તમામને નજીકના સામગહાન સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં પોલીસ અધિકારી તેમજ એડિશનલ કલેક્ટર ઘટનાસ્થળે પહોંચીને બચાવ અને રાહતકાર્ય હાથ ધર્યું છે.
સાપુતારામાં પર્વતીય વિસ્તાર હોવાથી અનેક ભયાનક વળાંક પણ છે. જેના કારણે અનેકવાર અકસ્માત સર્જાવાના અહેવાલ પણ આવતા રહે છે. આ ઘટના પણ કંઈક આ જ કારણોસર બની હોવાનું કહેવાય છે. મધ્યપ્રદેશના ગુનાથી જેટલા મુસાફરો એમાં મુસાફરી કરી રહ્યાં હતા. ચારધામની યાત્રા કરીને પરત ફરી રહેલી એક ખાનગી બસ ખીણમાં ખાબકી હતી. આ ગંભીર અકસ્માતમાં બે મહિલા અને ત્રણ પુરુષ મુસાફરના મૃત્યુ નીપજ્યાં છે. બસમાં 50થી વધુ યાત્રાળુઓ સવાર હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે, બસ સીધી ખીણમાં જઈને પડી હતી. આ દુર્ઘટનામાં અન્ય અનેક મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. સ્થાનિક પોલીસ અને તાત્કાલિક સેવાઓની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે. આ ઘટના સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.
Read Also: 80 વર્ષ અગાઉ ડૉ.આંબેડકરે ભારતીય મીડિયા વિશે શું કહ્યું હતું?