કડી અને વિસાવદર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી જાહેર

કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતની બે વિધાનસભા બેઠકો કડી અને વિસાવદર માટે પેટા ચૂંટણી જાહેર કરી છે. વાંચો ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમ.
election by kadi vasavadar

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની બે વિધાનસભાની ખાલી પડેલી બેઠકો માટે પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં સમાવિષ્ટ કડી વિધાનસભા બેઠક તથા જૂનાગઢ જિલ્લામાં સમાવિષ્ટ વિસાવદર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી યોજાશે. જે અંતર્ગત બંને વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે તા.૨૬ મે ૨૦૨૫ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. જ્યારે તા.૧૯ જૂન ૨૦૨૫ ના રોજ મતદાન તથા તા.૨૩ જૂન ૨૦૨૫ ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. કડીના ધારાસભ્ય કરસન સોલંકીના અવસાન અને વિસાવદરના ધારાસભ્ય ભૂપેન્દ્ર ભાયાણીના રાજીનામાના કારણે આ બેઠકો ખાલી પડી હતી.

ભારતના ચૂંટણી પંચ દ્વારા કેરળ પંજાબ અને પશ્ચિમ બંગાળની એક-એક વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી સહિત ગુજરાતની બે બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે પૈકી ગુજરાતની ૨૪– કડી વિધાનસભા (અ.જા.) અને ૮૭– વિસાવદર વિધાનસભા બેઠક માટે તા.૧૯ જૂન, ૨૦૨૫ ના રોજ મતદાન યોજાશે. કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો માટે તા.૨૬ મે ૨૦૨૫ થી તા. ૨ જૂન ૨૦૨૫ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય ઉમેદવારીપત્રો ભરી શકાશે.

આ પણ વાંચો:  ભાજપ ચૂંટણી પ્રચારમાં ડો. આંબેડકરને યાદ કરે છે, પરંતુ ભારતીય દૂતાવાસોમાં તેમની કોઈ તસવીર નથી

કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી સંદર્ભે તા. ૨૫ મે, ૨૦૨૫ થી આદર્શ આચાર સંહિતા લાગુ પડશે.

ગત તા.૫ મે ૨૦૨૫ ના રોજ તા.૧ એપ્રિલ ૨૦૨૫ ની લાયકાતવાળી આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરાઈ હતી. ત્યારબાદ મતદાર યાદીની સતત સુધારણા મુજબ હાલની સ્થિતિએ મહેસાણા જિલ્લાની ૨૪-કડી (અ.જા.) વિધાનસભા મતવિસ્તારમાં આખરી મતદારયાદી પ્રમાણે ૧,૪૯,૭૬૦ પુરુષ, ૧,૪૦,૦૯૨ મહિલા અને ત્રીજી જાતિના ૦૪ મળી કુલ ૨,૮૯,૮૫૬ મતદારો નોંધાયા છે. જ્યારે જુનાગઢ જિલ્લાની ૮૭-વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં આખરી મતદારયાદી પ્રમાણે ૧,૩૫,૬૦૯ પુરુષ, ૧,૨૫,૪૭૯ મહિલા અને ત્રીજી જાતિના ૦૪ મળી કુલ ૨,૬૧,૦૯૨ મતદારો નોંધાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કડીના ધારાસભ્ય કરસન સોલંકીના અવસાનથી જ્યારે વિસાવદરના આમ આદમી પાર્ટી – ‘આપ’ ના ધારાસભ્ય ભૂપેન્દ્ર ભાયાણી (ભૂપત ભાયાણી)ના રાજીનામાના કારણે આ વિધાનસભા બેઠકો ખાલી પડી હતી.

આ પણ વાંચો: સવર્ણોના ઘર સામેથી ચંપલ પહેરીને નીકળેલા દલિત વર-કન્યાને માર્યા

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું ગુજરાત કોંગ્રેસ અને તેના સવર્ણ નેતાઓ દલિતો સાથે ભેદભાવ રાખે છે?
0
Would love your thoughts, please comment.x
()
x