14 ફેબ્રુઆરી 2025ના રોજ વિકી કૌશલ અભિનીત ‘ Chhaava’ ફિલ્મ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગોવામાં કરમુક્ત બની. ફિલ્મની ‘સફળતા’ અને ચર્ચાને કારણે લોકો શિવાજીના પુત્ર સંભાજી (Shivaji’s son Sambhaji) વિશે વધુ જાણવા ઉત્સુક બની રહ્યા છે. તેમનો સ્ત્રોત Wikipedia છે.
વિકિપીડિયા કહે છે કે “એકવાર શિવાજીએ તેમના પુત્ર સંભાજીને કેદ કરી દીધા હતા કારણ કે તેણે એક બ્રાહ્મણ સ્ત્રીની ગરિમા સાથે રમત રમી હતી. બાદમાં તે શિવાજીની કેદમાંથી છટકી ગયા અને મોગલો સાથે જોડાયા. અને દિલેર ખાનના નેતૃત્વમાં તેણે શિવાજી સામે યુદ્ધ કર્યું.”
છેવટે, 19 ફેબ્રુઆરી 2025ના રોજ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ફડણવીસે વિકિપીડિયાને નોટિસ મોકલી અને આ ‘વાંધાજનક’ ભાગ દૂર કરવા કહ્યું.
આ એક ઉદાહરણ છે કે કેવી રીતે ફાસીવાદી યુગમાં વાર્તા અથવા વર્ણન પ્રથમ તૈયાર કરવામાં આવે છે અને પછી ઇતિહાસને તે મુજબ મરોડવામાં આવે છે. ફિલ્મના છેલ્લા દ્રશ્યમાં ઔરંગઝેબ સાંભાજીને ધર્માંતરણ કરવા અને પોતાની સાથે ભળી જવા કહે છે. જવાબમાં સાંભાજી કહે છે કે, ‘તમે મારી સાથે આવો અને તે માટે તમારે તમારો ધર્મ પણ બદલવો નહીં પડે!’
ઔરંગઝેબના દરબારમાં હિંદુઓની બહુમતી હતી. ઔરંગઝેબનો નાણા વિભાગ રાજા રઘુનાથ સંભાળતા હતા અને તેમની સેનાની કમાન્ડ જયસિંહ અને જસવંત સિંહના હાથમાં હતી. બીજી તરફ સંભાજીના પિતા છત્રપતિ શિવાજીની સેનામાં લગભગ 60 હજાર મુસ્લિમો હતા જેમની કમાન ઈબ્રાહીમ ખાનના હાથમાં હતી.
જેમ સિગારેટના બોક્સ પર ‘ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે’ લખેલું હોય છે, તેવી જ રીતે આ અત્યંત કોમવાદી ફિલ્મમાં સંભાજી એક પંક્તિ કહે છે કે ‘અમારો સંઘર્ષ કોઈ વિશેષ ધર્મ વિરુદ્ધ નથી.’ પરંતુ આખી ફિલ્મમાં પીરસવામાં આવેલ ઝેર આપણા માનસિક સ્વાસ્થ્ય માટે, ખાસ કરીને હિન્દુઓ માટે કેન્સરની જેમ ગંભીર ખતરો છે.
આ પણ વાંચો: છત્રપતિ સંભાજી મહારાજ પરની ફિલ્મ ‘CHHAAVA’ આવી રહી છે
તેથી તેને માત્ર ‘પ્રોપેગન્ડા ફિલ્મ’ કહીને અવગણી શકાય નહીં. આ ભાજપ-આરએસએસના હિન્દુત્વ-ફાસીવાદ પ્રોજેક્ટ હેઠળ બનેલી ફિલ્મ છે. એટલે જ તેને ભાજપ શાસિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગોવામાં કરમુક્ત કરી છે? ફિલ્મ જોયા બાદ દિલ્હીમાં ઘણા યુવાનોએ અકબર, બાબર, હુમાયુ રોડના નિશાનો પર પેશાબ કર્યો અને સૂત્રોચ્ચાર કર્યા. તમે સમજી શકો છો કે તેમના દિલમાં મુસ્લિમો પ્રત્યે કેટલી નફરત હશે!
ફિલ્મના અંતમાં સંભાજીના ત્રાસનું માત્ર અડધો કલાકનું ગ્રાફિક ચિત્રણ બતાવવામાં આવ્યું છે, જેનો એક માત્ર હેતુ હિંદુઓના હીનતાના ભાવના ઘા પર મીઠું ભભરાવવાનો અને હિંદુઓની કૃત્રિમ નફરતને મુસ્લિમો તરફ વાળવાનો છે. આ ફિલ્મે ખરેખર સાંભાજીની ઇજાઓ પર મીઠું ભભરાવી છે, સ્ક્રીન પર સાંભાજીની આંખો બહાર કાઢવી અને તેની જીભ કાપવી તે શું બતાવે છે.
આશ્ચર્યજનક તો એ છે કે આ પછી પણ તેને A પ્રમાણપત્રને બદલે U/A પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે, તે જ બતાવે છે કે આ એજેન્ડા ફિલ્મ છે, તો જ U/A પ્રમાણપત્ર મળે! પિક્ચર હોલમાંથી બહાર નીકળતી વખતે મેં જોયું કે પરિવારો સાથે 4-5 વર્ષના બાળકો પણ હતા. તેઓના કોમળ હૃદય અને દિમાગ પર તેની શું અસર થશે? તેઓ કેવા દ્વેષ સાથે મોટા થશે?
ફિલ્મની શરૂઆતમાં સંભાજી દ્વારા યુદ્ધ દરમિયાન એક મુસ્લિમ બાળકને બચાવીને તેની માતાને સોંપી દે છે અને ફિલ્મના અંતમાં ઔરંગઝેબની સેના દ્વારા એક હિંદુ છોકરીને સળગાવીને મારી નાખવામાં આવે છે, અને સ્ક્રીન પર તેનું ગ્રાફિક નિરૂપણ ભાજપના ‘ખુલ્લા એજન્ડા’ને સૂચવે છે. સત્તા માટે હિન્દુઓના ‘inferiority complex- હીનતા ભાવ’ પર મીઠું ઘસવાનું!
વિકી કૌશલ(Vicky Kaushal)ની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. પણ આવી નફરતથી ભરેલી લાઉડ ફિલ્મમાં એક્ટિંગની જરૂર નથી પણ ઓવર એક્ટિંગની જરૂર છે. અને વિકી કૌશલે આ કામ સારી રીતે કર્યું છે. હવે તે બોલિવૂડનો નવો ‘હિન્દુ હૃદય સમ્રાટ’ છે, જે મનુવાદી, ફાસીવાદી, ગોડસેવાદી ફેક્ટરીની નવી પ્રોડક્ટ છે!
રમેશ સવાણી (લેખક પૂર્વ આઈપીએસ અધિકારી અને રેશનલ વિચારધારાના પક્ષધર છે.વિચારો અંગત છે.)
આ પણ વાંચો: SC-ST વિદ્યાર્થીઓ માટે વરદાન સાબિત થઈ શકે છે આ સરકારી યોજનાઓ