સરકાર બુલડોઝર ચલાવી જજ, જ્યુરી કે જલ્લાદ ન બની શકે: CJI

CJI BR Gavai એ ભાજપ દ્વારા ચોક્કસ જાતિના ગુનેગારોના ઘરો પર બુલડોઝર ફેરવી દેવા મુદ્દે આકરી ઝાટકણી કાઢી. જાણો બુલડોઝર ન્યાય મુદ્દે સીજેઆઈએ શું શું કહ્યું.
cji b r gavai

CJI BR Gavai On Bulldozer Justice: ‘ઘર બનાવવું એ લોકોના સામાજિક અને આર્થિક અધિકારો સાથે સંબંધિત એક પાસું છે. તે વર્ષોની મહેનત, સપના અને આકાંક્ષાઓનું ફળ હોય છે. તેને ફક્ત મિલકત તરીકે જોઈ શકાતું નથી. તે સ્થિરતા અને સુરક્ષાનું પ્રતીક છે. તે પરિવાર કે વ્યક્તિની સામૂહિક અપેક્ષાઓનું પ્રતીક છે.’ ભારતના મુખ્ય ન્યાયાધીશ BR Gavai એ ઇટાલીમાં ભાજપસાશિત રાજ્યોમાં તોળાતા ‘બુલડોઝર જસ્ટિસ’ (CJI BR Gavai On Bulldozer Justice) અંગે આ નિવેદન આપ્યું હતું.

‘સામાજિક-આર્થિક ન્યાય પ્રદાન કરવામાં બંધારણની ભૂમિકા: ભારતનો 75 વર્ષનો અનુભવ’ આ વિષય પર એક કાર્યક્રમ CJI બોલી રહ્યા હતા. આ કાર્યક્રમ ઇટાલીના ‘મિલાન કોર્ટ ઓફ અપીલ’માં યોજાયો હતો. એ દરમિયાન CJI એ કહ્યું કે, સુપ્રીમ કોર્ટે ‘બુલડોઝર ન્યાય’ પર પ્રતિબંધ મૂક્યો છે. કાર્યપાલિકા એક સાથે જજ, જ્યુરી અને જલ્લાદ ન બની શકે.

આ પણ વાંચોઃ ઇન્ટરનેટ સમાજને ભાગલા તરફ દોરી રહ્યું છે: CJI બી.આર.ગવઈ

હકીકતે CJI વર્ષ 2024 માં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેમાં કાનૂની પ્રક્રિયાને સાઈડલાઈન કરીને મનફાવે તે રીતે તોડી ન નાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ કોર્ટે કહ્યું હતું કે આવી કાર્યવાહી બંધારણની કલમ 21 એટલે કે જીવનના અધિકારનું ઉલ્લંઘન કરે છે.

CJI બીઆર ગવઈએ વધુમાં કહ્યું કે બંધારણના મૂળભૂત માળખાને બદલી શકાતું નથી. તેમણે સામાજિક-આર્થિક અધિકારોને લાગુ કરવાના પ્રયાસો દરમિયાન ન્યાયતંત્ર અને સંસદ વચ્ચેના પ્રારંભિક તણાવને યાદ કર્યો. જેનું પરિણામ કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યના નિર્ણયના સ્વરૂપમાં સામે આવ્યું.

આ પણ વાંચોઃ કૌભાંડી જજ યશવંત વર્મા સામે મહાભિયોગની કાર્યવાહી થશે!

CJI એ વધુમાં કહ્યું, કોઈ પણ દેશ-સમાજના મોટા વર્ગને હાંસિયામાં ધકેલી દેતી માળખાકીય અસમાનતાઓ વિશે વાત કર્યા વિના ખરેખર પ્રગતિશીલ અથવા લોકશાહી હોવાનો દાવો કરી શકતો નથી.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રના સચિવ, ડીજીપીએ CJI B.R. Gavai નું અપમાન કર્યું

CJI બીઆર ગવઈએ કહ્યું, જ્યારે આપણે વીતી ગયેલા 75 વર્ષો પર નજર કરીએ છીએ, ત્યારે એમાં કોઈ શંકા નથી કે ભારતીય બંધારણે સામાન્ય લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે સંસદે કાયદા અને બંધારણીય સુધારા દ્વારા અગ્રણી ભૂમિકા ભજવી હતી, ત્યારે સુપ્રીમ કોર્ટે શિક્ષણથી લઈને આજીવિકા સુધીના સામાજિક-આર્થિક અધિકારોને મૂળભૂત અધિકારોમાં રૂપાંતરિત કરવા માટે સતત કામ કર્યું હતું. જેને પાછળથી સંસદ દ્વારા અસરકારક બનાવવામાં આવ્યા હતા. CJI બીઆર ગવઈએ કહ્યું કે ભારતનું બંધારણ માત્ર શાસન માટેનો દસ્તાવેજ નથી, પરંતુ એક ક્રાંતિકારી નિવેદન છે.

આ પણ વાંચોઃ CJI ચંદ્રચૂડે પૂછ્યુ ‘તને નિવૃત્તિ બાદ કોઈ પદમાં રસ છે?’

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Durgeshkumar
Durgeshkumar
3 days ago

જય ભીમ 💙🙏🏻

ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x