બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સામે અંધશ્રદ્ધા ફેલાવવાની ફરિયાદ!

બાગેશ્વર ધામના કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી સામે દલિત પછાત સમાજ સંગઠને અંધશ્રદ્ધા ફેલાવવાની ફરિયાદ નોંધાવી.
bageshwar dham

બાગેશ્વર ધામના કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી સામે દલિત પછાત સમાજ સંગઠને અંધશ્રદ્ધા ફેલાવવાની ફરિયાદ નોંધાવી છે. ધીરેન્દ્ર શાસ્ત્રી સામે ભોપાલ પોલીસ કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે. સંગઠનના દામોદર યાદવે કહ્યું કે, ધીરેન્દ્ર શાસ્ત્રી અંધશ્રદ્ધા ફેલાવે છે અને તેના દ્વારા આપવામાં આવતા ખોટા ઈલાજોને કારણે લોકો જીવ ગુમાવે છે.

દલિત પછાત સમાજ સંગઠન (DPSS) એ સમાજ અને માનવ જીવનને જોખમમાં મૂકતા ગંભીર ગુનાઓ માટે કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી સામે એફઆઈઆર દાખલ કરવાની માંગ કરી છે. સંગઠને મધ્યપ્રદેશના DGP અને ભોપાલ પોલીસ કમિશનરને અલગ અલગ લેખિત ફરિયાદો કરી છે.

DPSS એ તેની અરજીમાં જણાવ્યું છે કે સ્થાનિક સ્તરે ફરિયાદો પર અસરકારક કાર્યવાહી ન થવાને કારણે, તેણે ભારતીય નાગરિક સેવા સંહિતા (BNSS), 2023 ની કલમ 173(4) હેઠળ આ ફરિયાદ દાખલ કરી છે. ધીરેન્દ્ર શાસ્ત્રી સામે એફઆઈઆર દાખલ થવી જોઈએ.

આ પણ વાંચો: ગુજરાતમાં 27 લાખ લોકો મેદસ્વી, 58 ટકા પુરૂષો સામેલ

દલિત પછાત સમાજ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભીમ આર્મીના રાષ્ટ્રીય કોર કમિટીના સભ્ય દામોદર યાદવે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું હતું કે, “અમારા કાર્યકરોએ DGP અને પોલીસ કમિશનરને પુરાવા સાથે ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અમે તેમની ચેનલો પર પોસ્ટ કરાયેલા વીડિયો QR કોડના રૂપમાં પુરાવા તરીકે પૂરા પાડ્યા છે.”

ધીરેન્દ્ર શાસ્ત્રી અંધશ્રદ્ધા ફેલાવી લોકોને વિજ્ઞાનથી દૂર કરે છેઃ યાદવ

દામોદર યાદવે જણાવ્યું કે, ધીરેન્દ્ર શાસ્ત્રી સાંપ્રદાયિકતા, અસ્પૃશ્યતા અને અંધશ્રદ્ધા ફેલાવીને લોકોને મેડિકલ સાયન્સથી દૂર કરી રહ્યા છે, જેના કારણે લોકોના મૃત્યુ થાય છે. આ કલમ 196-197, 202-272 સહિત વિવિધ કલમો હેઠળ ગુનો છે. તેમની સામે કાર્યવાહી થવી જોઈએ અને તેમની સામે FIR દાખલ થવી જોઈએ. પોલીસ અધિકારીઓએ અમને ખાતરી આપી છે કે તેઓ બે દિવસમાં તપાસ કરશે અને કાર્યવાહી કરશે. નહિંતર, અમે જબલપુર હાઈકોર્ટ દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ કાર્યવાહી કરીશું.

bageshwar dham

ધીરેન્દ્ર શાસ્ત્રી રાષ્ટ્રધ્વજમાં ચંદ્રના નામે લોકોને ડરાવે છે

દામોદર યાદવે કહ્યું, “ગઈકાલે ધીરેન્દ્ર શાસ્ત્રીએ એક નિવેદન આપ્યું હતું કે કેટલાક લોકો ત્રિરંગામાં ચંદ્ર જોવા માંગે છે. હું તેમને કહેવા માંગુ છું કે, અમે ન તો ત્રિરંગામાં ચંદ્ર જોવા માંગીએ છીએ કે ન તો ત્રિરંગામાં સ્વસ્તિક જોવા માંગીએ છીએ. અમે તિરંગામાં એ જ અશોક ચક્ર જોવા માંગીએ છીએ જે ચક્ર હાલ તિરંગામાં છે. અમે તિરંગામાં ચાંદના બહાને સ્વસ્તિક લાવવા માંગો છો તેને અમે થવા નહીં દઈએ. આ દેશ ફક્ત ભારતના બંધારણ દ્વારા ચાલશે.”

આ પણ વાંચો: ‘એ દલિત છે, તું એની સાથે લગ્ન કરવાનું વિચારી કેમ શકે?’

ધીરેન્દ્ર શાસ્ત્રી સામે પોલીસ ફરિયાદમાં મુખ્ય આરોપ શું છે

ધીરેન્દ્ર શાસ્ત્રી સામે પોલીસ ફરિયાદમાં મુખ્ય આરોપોમાં સાંપ્રદાયિક દ્વેષ ભડકાવવાનો આરોપ છે. ફરિયાદમાં જણાવાયું છે કે એક વીડિયોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ ખુલ્લેઆમ લોકોને “શસ્ત્રો ઉપાડવા” અને કાનૂની પ્રક્રિયાની બહાર ઘરો તોડી પાડવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. સંગઠન અનુસાર, આ નિવેદન સમાજમાં હિંસા, દ્વેષ અને અરાજકતા ફેલાવવાનું છે. DPSS જણાવે છે કે આ કૃત્ય BNS ની કલમ 196 (જૂથો વચ્ચે દુશ્મનાવટ) અને કલમ 197 (રાષ્ટ્રીય એકતા વિરુદ્ધ કૃત્યો) હેઠળ સજાપાત્ર છે.

ખોટા ઉપચારનો પ્રચાર

સંગઠનનો આરોપ છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીએ એક ટીવી ચેનલ (સંસ્કાર ટીવી) પર દાવો કર્યો હતો કે ગૌમૂત્ર અને હળદર સ્ટેજ-4 કેન્સરના ઈલાજની 100% ગેરંટી આપે છે. તેમણે વૈજ્ઞાનિક તબીબી પદ્ધતિઓનો પણ વિરોધ કર્યો.

આ પણ વાંચો: છેલ્લાં 13 વર્ષમાં 20 લાખ ભારતીયોએ નાગરિકતા છોડી દીધી

DPSS મુજબ, આ BNS (જીવલેણ અધિનિયમ) ની કલમ ૨૭૨ અને ડ્રગ્સ અને જાદુઈ ઉપચાર અધિનિયમ, ૧૯૫૪ ની કલમ ૩ અને ૪ નું સ્પષ્ટ ઉલ્લંઘન છે, જે કેન્સર જેવા જીવલેણ રોગો માટે ચમત્કારિક ઉપચારના પ્રચાર પર પ્રતિબંધ મૂકે છે.

બેદરકારીને કારણે મૃત્યુનો ગંભીર કેસ

ફરિયાદમાં નીલમ દેવી નામની એક મહિલાના મૃત્યુનો ઉલ્લેખ છે, જેના પરિવારે ધીરેન્દ્ર શાસ્ત્રીના ચમત્કારિક ઉપચારના ખોટા વચનો પર વિશ્વાસ કરીને પાંચ મહિના સુધી ડાયાલિસિસ જેવી જીવનરક્ષક સારવાર છોડી દીધી અને ધામમાં ધાર્મિક વિધિઓ કરી, જેના પરિણામે તેણીનું મૃત્યુ થયું. DPSS એ માંગ કરી છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રી સામે તાત્કાલિક FIR દાખલ કરવી જોઈએ. આ બાબતની નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ થવી જોઈએ અને સમાજમાં ફેલાવાતી અંધશ્રદ્ધા, હિંસા અને આવા કૃત્યો સામે કડક કાનૂની પગલાં લેવા જોઈએ.

આ પણ વાંચો: મનુસ્મૃતિ આધારિત રામરાજ્ય સારું કે ડૉ.આંબેડકરનું બંધારણીય રાજ્ય?

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
13 days ago

*જે જે લોકો દેવી-દેવતાઓ થી ગભરાઈ છે અને ડરે છે તેવા લોકો જ અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસ માં આસ્થા અને શ્રધ્ધા રાખે છે એટલે તેવા મૂર્ખ ધાર્મિક કથા કહેનારાને ગુરુ માને છે! કોઈ નાનો ભાઈ બનાવે છે!
વળી કોઈ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે! આ પ્રમાણે ધર્મની તિજોરીઓ અઢળક સંપત્તિથી છલકાય છે!
સુશિક્ષિત અને ભણેલા ગણેલા સંસ્કારી લોકો તેનાં ગુલામ થઈ જાય છે! આમાં ભૂલ કોની? ધાર્મિક ધૂતારા ઓને દૂરથી સલામ કરવાની હિંમત કરવી જોઈએ નહીં કે
તેનો જુલમ સહેવો જોઈએ! ધન્યવાદ સાધુવાદ!

તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
1
0
Would love your thoughts, please comment.x
()
x