Mercedes-Rolls Royce: તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ છે, જેમાં રોલ્સ-રોયસ અને મર્સિડીઝ બેન્ઝ જેવી મોંઘી કાર પર ‘Chamar’ લખેલું છે. આ ફોટાની તપાસ કરતા ખ્યાલ આવે છે કે અમેરિકામાં વસતા દલિત ઉદ્યોગપતિઓ માટે હવે આ સ્વાભિમાનનું પ્રતિક બની ગયું છે. અમેરિકન દલિત ઉદ્યોગપતિઓ માટે તે માત્ર આત્મસન્માનનું પ્રતીક નથી પણ સમાજમાં પરિવર્તનની નવી લહેરનું પણ પ્રતિબિંબ છે. આ ફોટોગ્રાફ્સ અમેરિકામાં રહેતા આંબેડકરવાદી સુધામાલી ગંગા દ્વારા શેર કરવામાં આવ્યા હતા, જેમાં યશપાલ શિંગાર નામના દલિત ઉદ્યોગપતિની લક્ઝરી કાર હતી. આ ઘટનાએ બહુજન સમાજમાં ઉત્સાહ અને પ્રેરણાનો સંચાર કર્યો છે.
જાતિગત અપમાનથી આત્મસન્માન સુધીની સફર
ભારતમાં ‘ચમાર’ શબ્દને જાતિગત અપમાન તરીકે જોવામાં આવે છે, પરંતુ અમેરિકા જેવા દેશોમાં તે એક નવી ઓળખ અને સફળતાનું પ્રતીક બની રહ્યો છે. યશપાલ શિંગાર (Yashpal Shingar) જેવા ઘણા બહુજનો પોતાની મહેનત અને સંઘર્ષ દ્વારા વિદેશમાં આર્થિક રીતે સફળ થયા છે, પરંતુ તેમણે પોતાના સમાજની છબી પણ બદલી છે. તેમનું માનવું છે કે આત્મસન્માનને અપનાવવું અને જાતિગત પૂર્વગ્રહોને પડકારવા જરૂરી છે.
કોણ છે યશપાલ સિંગાર?
યશપાલ શિંગાર (Yashpal Shingar) અમેરિકામાં માત્ર એક મોટા ઉદ્યોગપતિ (Dalit Businessman in US) જ નથી, પરંતુ તેઓ આંબેડકરવાદી વિચારધારાને પ્રોત્સાહન આપવા માટે પણ જાણીતા છે. તેમની પાસે રોલ્સ-રોયસ અને મર્સિડીઝ જેવી વૈભવી કારોનો કાફલો છે, જેના પર તેમણે પોતાનો આત્મસન્માન દર્શાવવા માટે ‘ચમાર’ લખવાનું નક્કી કર્યું હતું. તેમનું માનવું છે કે જાતીય ઓળખ છુપાવવાને બદલે તેને ગર્વથી સ્વીકારવી જોઈએ. તેમની આ પહેલ દર્શાવે છે કે શિક્ષણ અને આર્થિક સ્વતંત્રતા દ્વારા જાતિ ભેદભાવને દૂર કરી શકાય છે.
આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરમાં યોગદાન
યશપાલ શિંગાર માત્ર આર્થિક રીતે સફળ નથી પણ સામાજિક કાર્યમાં પણ યોગદાન આપે છે. તેમણે વોશિંગ્ટન ડીસીમાં બની રહેલા આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર માટે 2500 ડોલરનું દાન આપ્યું છે. આ કેન્દ્ર ૧૩ એકરમાં ફેલાયેલું હશે અને બહુજન સમાજ માટે એક મહત્વપૂર્ણ પ્રતીક બનશે. તેનો ઉદ્દેશ્ય આંબેડકરવાદી મૂલ્યોનું જતન કરવાનો અને સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવાનો છે.
આ પણ વાંચોઃ Chamar Studio: જ્ઞાતિના થપ્પાને જ બ્રાન્ડ બનાવી દીધી!
દલિતોની બદલાતી છબી
ભારતમાં દલિત સમાજ હજુ પણ ભેદભાવ અને સામાજિક અવરોધોનો સામનો કરી રહ્યો છે, ત્યારે અમેરિકા અને યુરોપમાં સ્થાયી થયેલો દલિત બહુજન સમાજ પોતાની મહેનતથી એક નવી ઓળખ બનાવી રહ્યો છે. આ મોંઘી કારો વતનમાં ઢોર ચીરીને જેમના બાપદાદાઓની અનેક પેઢીઓ ગરીબની ગર્તામાં ધકેલાઈ ગઈ તેમના સંતાનો ભણીગણીને આગળ વધ્યાં અને અમેરિકા જેવા દેશોમાં સ્થાયી થયા તેમના સંતાનો માટે માત્ર એક સંપત્તિ નથી પરંતુ એક સામાજિક સંદેશ છે કે સફળતા અને આત્મસન્માન એ જાતિ ભેદભાવને સમાપ્ત કરવાનું સૌથી મોટું હથિયાર છે.
આ પણ વાંચોઃ કોણ છે ક્ષમા સાવંત, જેને મોદી સરકાર ભારત આવતા રોકી રહી છે?
ભારતમાં દલિત સમાજ લાંબા સમયથી દબાયેલો છે, પરંતુ હવે તેઓ પોતાની મહેનત અને સંઘર્ષ દ્વારા પોતાની આગવી ઓળખ ઉભી કરી રહ્યો છે. યશપાલ શિંગારે શેર કરેલો મર્સિડિજ પર ચમાર લખેલો આ ફોટો એ વાતનો પુરાવો છે કે સમાજના વંચિત વર્ગો પણ હવે આર્થિક રીતે સશક્ત બની રહ્યા છે અને તેમની નવી પેઢી માટે એક નવો માર્ગ ખોલી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર જોરદાર પ્રતિક્રિયાઓ મળી
આ વાયરલ ફોટો અંગે સોશિયલ મીડિયા પર જબરદસ્ત પ્રતિક્રિયા આવી હતી. આંબેડકરવાદી વિચારધારાથી પ્રેરિત લોકો તેને દલિત સમાજના સ્વાભિમાન અને સંઘર્ષનું પ્રતીક માની રહ્યા છે. ઘણા લોકોએ તેને સામાજિક ન્યાય તરફનું એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે.
આ પણ વાંચોઃ આઝાદી પછી પણ ભારત સરકાર દલિતોને પાસપોર્ટ કેમ નહોતી આપતી?
જોકે, કેટલાક લોકોએ તેના પર સવાલો પણ ઉઠાવ્યા હતા અને તેને જાતિવાદને પ્રોત્સાહન આપતું પગલું ગણાવ્યું છે. કેટલાક લોકોએ તેને કાયદાનું ઉલ્લંઘન પણ ગણાવ્યું હતું. જો કે, સૌ જાણે છે કે, ભારતમાં પોતાની જાતિનું નામ વાહનો પર લખવામાં કઈ જાતિના લોકો સૌથી આગળ છે. એટલે દલિતોએ તેમને બરાબરનો જવાબ આપ્યો હતો.
યશપાલ શિંગાર અને તેમના જેવા અન્ય દલિત ઉદ્યોગસાહસિકો સાબિત કરી રહ્યા છે કે મુશ્કેલીઓનો સામનો કર્યા પછી પણ સફળતા મેળવી શકાય છે. જાતિ એ શરમજનક બાબત નથી, પરંતુ આત્મસન્માન વધારવા માટે તેને ગર્વથી સ્વીકારી શકાય છે. આ ફોટોગ્રાફ્સ સામાજિક પરિવર્તનનું પ્રતીક અને આત્મસન્માનની નવી વ્યાખ્યા બની ગયો છે.
આ પણ વાંચોઃ દલિતે સવર્ણો વચ્ચે ઘર બનાવતા ગામલોકોએ સામાજિક બહિષ્કાર કર્યો
अगर ये महाशय आंबेडकरवादी है तब उनको कार पे “जय भीम” या “नमो बुद्धाय” लिखा होता तो जबरजस्त रहता।
*ચમાર એક જ્ઞાતિ છે, ફક્ત તમને જ્ઞાતિનું ગૌરવ હોય શકે, પરંતુ બોધિસત્વ મહામાનવ ભારત રત્ન અને વિશ્વ રત્ન પરમ પૂજ્ય બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકર
જીને દેશવિદેશના અગણિત લોકોનાં મસીહા તરીકે પહેલેથી જ માને છે, એટલે ગૌરવવંતુ અને દલિત ચેતનાને જીવંત રાખતું સૂત્ર છે “જયભીમ” અગર “નમો બુદ્ધાય” આપણા માટે સો ટચના સોના જેવી કિંમતી વાત છે. ધન્યવાદ સાધુવાદ!