કડીના ધારાસભ્ય કરશન સોલંકીનું નિધન

કડીના દલિત ધારાસભ્ય કરશન સોલંકીનું કેન્સરની લાંબી સારવાર બાદ નિધન થયું છે. મુખ્યમંત્રી સહિત ભાજપના નેતાઓએ અંતિમયાત્રામાં પહોંચી શ્રદ્ધાંજલિ આપી.
Kadi MLA Karshan Solanki passed away

કડીના ધારાસભ્ય (Kadi MLA)  અને ભાજપના નેતા કરશનભાઈ સોલંકી (Karshan Solanki) નું કેન્સરની લાંબી બીમારી બાદ આજે અવસાન (Passes Away) થયું છે. નગરાસણ ગામના વતની કરશનભાઈ છેલ્લી બે ટર્મથી કડી વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. ‘108’ તરીકે જાણીતા કરશનભાઈ છેલ્લા દોઢ વર્ષથી કેન્સરની બીમારી સામે લડી રહ્યા હતા.

ગઈકાલે તેમની તબિયત વધુ લથડતા તેમને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમણે અંતિમશ્વાસ લીધા હતા. તેમના નિવાસસ્થાનથી અંતિમયાત્રા નીકળી હતી અને તેમના વતન નગરાસણમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના અવસાનના સમાચાર મળતાં જ મુખ્યંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઋષિકેશ પટેલ, નીતિન પટેલ સહિત ભાજપના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા અને પરિવારને સાંત્વના પાઠવી હતી.

કરશનભાઈએ તેમના રાજકીય કાર્યકાળ દરમિયાન કડી વિસ્તારના વિકાસ માટે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેઓ સતત બે ટર્મથી વિધાનસભામાં ચૂંટાઈને આવતા હતા, જે તેમની લોકપ્રિયતા અને કાર્યક્ષમતાનો પુરાવો છે. તેમના અવસાનથી ગુજરાત રાજકારણમાં ખાસ કરીને દલિત રાજકારણમાં એક અનુભવી નેતાની ખોટ સર્જાઈ છે.

કરશન સોલંકી પોતાના સરળ અને સૌમ્ય સ્વભાવને કારણે લોકપ્રિય નેતા હતા. ધારાસભ્ય હોવા છતાં વિધાનસભા જવા સરકારી બસનો જ ઉપયોગ કરતા હતા. તેમના મત વિસ્તારમાં નાનામાં નાના વ્યક્તિને ખૂબ સરળ સ્વભાવથી મળતા. લોકો તેમને કાકાના હુલામણા નામથી બોલાવતા હતા.

કરશનભાઇ વ્યવસાયે ખેડૂત હતા અને ગાંધીવાદી વિચારધારા ધરાવતા હતા. માત્ર શાળાકીય શિક્ષણ મેળવનાર કરશનભાઇ દરેક જગ્યાએ ચાલતા જતા હતા. તેઓ આખી જિંદગી કડી તાલુકાના નગરાસણ ગામમાં રહ્યા અને 60 વર્ષની વયે કડીના ધારાસભ્ય બન્યા. રસપ્રદ વાત એ છે કે, આ એ સીટ હતી જ્યાંથી લોકપ્રિય ગુજરાતી ફિલ્મ સ્ટાર હિતુ કનોડિયા હારી ગયા હતા.

તેમના અવસાનના સમાચાર મળતાં જ ભાજપના કાર્યકર્તાઓમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે. ભાજપના કાર્યકર્તાઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમના નિધનને લઇ દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી સી.આર.પાટિલ, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયા, કૃષિમંત્રી રાઘવજી પટેલ સહિતના નેતાઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી કરશનભાઈ સોલંકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Read Also: એકલપંડે ન્યાયની લડત લડનાર Zakia Jafri નું 86 વર્ષની વયે નિધન

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું ગુજરાત કોંગ્રેસ અને તેના સવર્ણ નેતાઓ દલિતો સાથે ભેદભાવ રાખે છે?
0
Would love your thoughts, please comment.x
()
x