ગુજરાતી દલિત સાહિત્ય જગતના બે દિગ્ગજ કવિઓ શ્રી નિલેશ કાથડ અને શ્રી આત્મારામ ડોડીયા દ્વારા લિખિત બે નવા કાવ્ય સંગ્રહોનું આગામી દિવસોમાં વિમોચન થવા જઈ રહ્યું છે ત્યારે આ કાર્યક્રમને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે.
મળતી માહિતી પ્રમાણે ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન અમદાવાદ દ્વારા આગામી તા. 22 માર્ચ 2025 ને શનિવારના રોજ સવારે 10.30 થી 2.00 વાગ્યા દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદ, ગોવર્ધન સ્મૃતિ ભવન, આશ્રમ રોડ અમદાવાદ ખાતે આ બંને કવિઓના નવા કાવ્ય સંગ્રહો અનુક્રમે ‘પોસ્ટમોર્ટમ’ અને ‘દાવેદારી’નું વિમોચન કરવામાં આવશે.
આ પણ વાંચો: જૂનાગઢના કવિ નિલેશ કાથડનો કાવ્યસંગ્રહ ‘પોસ્ટમોર્ટમ’ પ્રકાશિત થયો
કાર્યક્રમમાં કવિ દાન વાઘેલા સ્વાગત કરશે અને અધ્યક્ષપદે દિગ્ગજ વાર્તાકાર-નવલકથાકાર, સંશોધક ડો. મોહન પરમાર બિરાજશે. જ્યારે ડો. ભરત મહેતાના હસ્તે કવિ નિલેશ કાથડના કાવ્યસંગ્રહ ‘પોસ્ટમોર્ટમ’નું અને પૂર્વ સંયુક્ત માહિતી નિયામક શ્રી નટુભાઈ પરમારના હસ્તે કવિ આત્મારામ ડોડીયાના કાવ્યસંગ્રહ ‘દાવેદારી’નું વિમોચન કરવામાં આવશે. ત્યારબાદ બંને કવિઓ પોતાના પ્રતિભાવો આપશે. કાર્યક્રમની આભાર વિધિ કવિ રમણ વાઘેલા કરશે અને સંચાલન કવિ ધરમશી પરમાર શોભાવશે.
આ કાર્યક્રમને લગતી વધુ કોઈપણ વિગત માટે ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન અમદાવાદના સંપર્ક નંબર 9662986585, 9426169888 પર કોલ કરી શકાશે.
અહેવાલ ઈનપુટઃ નટુભાઈ પરમાર, ગાંધીનગર
આ પણ વાંચો: શાળાને બદલે મંદિરમાં પ્રવેશવા માટે દલિત પરિવારોનું આંદોલન
ખૂબ ખૂબ અભિનંદન બંને કવિઓ ને…