રાજકોટમાં પોલીસની હેરાનગતિથી કંટાળી દલિત રિક્ષાચાલકે ઝેર પીધું

મેટોડા જીઆઈડીસી પોલીસ દલિત રિક્ષાચાલકની રિક્ષા લઈ ગઈ હતી અને તેમાં નુકસાન પહોંચાડ્યું હતું. રિક્ષા માલિકે સવાલ કરતા જાતિસૂચક ગાળો ભાંડી હેરાન કરતા તેમણે ઝેર પી લીધું હતું.
dalit sucide case rajkot

ગુજરાતમાં વાડ જ ચીભડા ગળે તેવી એક ઘટના સામે આવી છે. પોલીસનું કામ સામાન્ય માણસનું રક્ષણ કરવાનું અને ગુંડા તત્વોથી થતી તેની હેરાનગતિનો ઉકેલ લાવવાનું હોય છે. પરંતુ રાજકોટની પોલીસ પર ખુદ ગુંડા જેવું વર્તન કરવાનો આરોપ એક દલિત રિક્ષાચાલકે કર્યો છે. આધેડ રિક્ષાચાલકને અહીંની મેટોડા જીઆઈડીસી પોલીસથી એ હદે હેરાનગતિ થઈ હતી કે તેણે ઝેરી દવા પી લઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટનાની મળતી માહિતી મુજબ GIDC માં રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા 54 વર્ષીય આધેડે વીડિયો બનાવી ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વીડિયોમાં આધેડે સ્થાનિક પોલીસ પર ગંભીર આક્ષેપો કરતા ખળભળાટ મચી ગયો છે. આધેડે આરોપ લગાવ્યો છે કે તેઓ પોલીસના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી રહ્યાં છે.

મામલો શું હતો?

રાજકોટના કાલાવાડ રોડ પર અંજલિ પાર્કમાં રહેતા કાંતિભાઈ 54 વર્ષીય કાંતિભાઈ દાફડાએ સોમવારે 14મી એપ્રિલના દિવસે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. એ પહેલાં તેમણે એક વીડિયો બનાવી આપઘાતનું કારણ જણાવી મેટોડા જીઆઈડીસી પોલીસ અને સ્થાનિક પોલી પર ગંભીર આરોપો લગાવ્યા હતાં.

વીડિયોમાં કાંતિભાઈએ શું કહ્યું

વીડિયોમાં કાંતિભાઈએ કહ્યું કે, ‘ઓગસ્ટ, 2024માં મેટોડામાં જુગાર રમતા અમુક આરોપીને પોલીસે પકડ્યા હતાં. હું ત્યારે ત્યાંથી રિક્ષા લઈને નીકળતો હતો તો પોલીસે આરોપીઓને બેસાડવા મારી પાસે રિક્ષાની ચાવી માંગી હતી. બાદમાં તેઓ મારી રિક્ષા લઈને મોટેડા પોલીસ મથક પહોંચ્યા હતા. ત્યાં જઈને જ્યારે મેં રિક્ષા માંગી તો રિક્ષા પરત આપવાની બદલે પોલીસ મારી સાથે ગેરવર્તણૂક કરવામાં લાગી હતી. એ પછી જ્યારે મેં રિક્ષા છોડાવવા જતા જોયું તો રિક્ષામાં ઘણું નુકસાન થયેલું હતું.

આ પણ વાંચો: દલિત યુવકને 6 લોકોએ નિર્વસ્ત્ર કરી માર મારી પગ ચટાડ્યાં

જેના વિશે મેં પોલીસને પૂછ્યું તો મને કોઈ યોગ્ય જવાબ આપવામાં ન આવ્યો. મેં ઘટના અંગે એસપી કચેરીમાં અરજી કરી તેમજ RTI મારફતે પણ જવાબ માંગ્યો હતો. જોકે, મેં અરજી કરી ત્યારથી મને પોલીસ તરફથી ધમકીઓ મરવા લાગી અને મારા પર સતત માનસિક ત્રાસ ગુજારવામાં આવતો. મને જાતિવાચક શબ્દો દ્વારા અપમાનિત કરવામાં આવતો અને ખોટી રીતે હેરાન-પરેશાન કરવામાં આવતો. જેના કારણે હું આ પગલું ભરૂ છું.

પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા લગાવો

પીડિત કાન્તીભાઈ દાફડાએ વીડિયોમાં કહ્યું હતું કે, મારી સરકારને વિનંતી છે કે, દરેક પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે જેથી પોલીસ સ્ટેશનમાં કોઈ વાહન લાવવામાં આવે તો સીસીટીવી દ્વારા તેના પર નજર રાખી શકાય. પોલીસ સ્ટેશનની અંદર જંગલ જેવી સ્થિતિ છે, બે નંબરના ધંધા કરવા માટે પોલીસ સ્ટેશનના સીસીટીવી હટાવી દેવામાં આવે છે.

પોલીસની કામગીરી પર પ્રશ્નાર્થ ઉભો થયો

કાંતિભાઈ દાફડાએ પોલીસની હેરાનગતિને કારણે ઝેર પી લેતા અને તેમનો આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસ તંત્ર દોડતું થયું છે. હાલ કાંતિભાઈની તબિયત નાજુક છે અને તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તેમની સ્થિતિ સુધરતા પોલીસ દ્વારા આ મુદ્દે તેમનું નિવેદન નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવશે. જો કે, આ ઘટનાએ ફરી એકવાર ગુજરાતમાં પોલીસની કામગીરી પર પ્રશ્નાર્થ ઉભો કર્યો છે.

આ પણ વાંચો: કાર ધીમે ચલાવવાનું કહેતા 6 દલિતો પર થાર ચડાવી દીધી

4.3 4 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x